Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આ પ્રમાણે કહેવાનું બરાબર નથી. કારણ કે તેથી અનવસ્થા અને સ્મૃતિસંકર નામના દોષનો પ્રસંગ આવશે. જો બુદ્ધિ (ચિત્ત), બુદ્ધંતરથી વેદ્ય બને તો તે પણ બુદ્ધિ, બુદ્ધિ વડે બુધ્વંતરનું વેદન કરાવવા અસમર્થ હોવાથી તેના વેદન માટે ગ્રાહક તરીકે બુધ્વંતરની કલ્પના કરવી પડશે. ત્યાર પછી તેણીના પ્રકાશક તરીકે અન્ય બુધ્વંતરની કલ્પના કરવી પડશે, જેથી હજા૨ વર્ષના પણ આયુષ્યમાં પુરુષને-આત્માને અર્થની પ્રતીતિ નહીં થાય. કારણ કે પ્રતીતિમાં; બુદ્ધિ અપ્રતીત હોય તો અર્થ પ્રતીત થતો નથી તેમ જ સ્મૃતિસંકર પણ થશે.
આશય એ છે કે જ્યારે ચિત્તને ચિત્તાંતરથી વેદ્ય માનવામાં આવે ત્યારે ચિત્તથી એકાદ રૂપ કે રસને વિશે બુદ્ધિ થયે છતે તે તે બુદ્ધિને ગ્રહણ કરનારી અનંતી બુદ્ધિઓની (રસાદિગ્રાહક, રસાદિજ્ઞાનગ્રાહક, રસાદિજ્ઞાનજ્ઞાનગ્રાહક... ઇત્યાદિ બુદ્ઘિઓની) ઉત્પત્તિ થવાથી તે તે બુદ્ધિઓથી અનંતા સંસ્કારોની ઉત્પત્તિ થાય છે અને એ સંસ્કારોથી એકી સાથે અનંતી સ્મૃતિઓ ઉત્પન્ન થયે છતે; કયા અર્થમાં આ સ્મૃતિ ઉત્પન્ન થઇ છે એ જાણી નહીં શકાય. આ પ્રમાણે યોગસૂત્રમાં ‘સમયે ચોમયાનવધારાસ્’ ।।૪-૨૦।। અને ‘ચિત્તાન્તરરૃપે બુદ્ધિબુદ્ધેરતિપ્રસ સ્મૃતિસંદૂરથ' ।।૪૨૧॥ આ સૂત્રથી જણાવ્યું છે. એનો અર્થ સ્પષ્ટ છે કે એક કાળમાં વિષયનું અને ચિત્તનું પોતાનું ગ્રહણ શક્ય નથી અને ચિત્તાંતરથી ચિત્તને દશ્ય માનવામાં બુદ્ધિથી બુદ્ધિનું ગ્રહણ થવાથી અતિપ્રસંગ (અનવસ્થા) તેમ જ સ્મૃતિસંકર દોષ આવશે, જે ઉ૫૨ જણાવ્યા છે. ।।૧૧-૧૪
नन्वेवं कथं विषयव्यवहार इत्याह
આ રીતે ચિત્ત સ્વાભાસ(સ્વપ્રકાશ્ય) ન હોય અને ચિત્તાંતરથી ગ્રાહ્ય ન હોય તો તે પુરુષથી પણ ગ્રાહ્ય અર્થાત્ પુરુષના ગ્રહણનો વિષય કઇ રીતે બનશે, કારણ કે ચિત્ત; જેમ વિષયની સાથે ઇન્દ્રિયો દ્વારા સંબદ્ધ થઇને વિષયભૂત ઘટાદિના આકારમાં પરિણત થાય છે અને તેથી વિષયને ગ્રહણ કરે છે તેમ પુરુષ તો અપરિણામી - અસંગ હોવાથી ચિત્તાકારમાં પરિણત નહીં થાય, તો પછી તે (પુરુષ) ચિત્તને વિષય કઇ રીતે બનાવશે - આ શંકાનું સાંખ્યો તરફથી સમાધાન કરાય છે—
अङ्गाङ्गिभावचाराभ्यां, चितिरप्रतिसङ्क्रमा ।
द्रष्टृदृश्योपरक्तं तच्चित्तं सर्वार्थगोचरम् ॥११-१५॥
अङ्गेति-चितिः पुरुषरूपा चिच्छक्तिः । अङ्गाङ्गिभावचाराभ्यां परिणामपरिणामिभावगमनाभ्याम् । अप्रतिसङ्क्रमा अन्येनासङ्कीर्णा । यथा हि गुणाः स्वबुद्धिगमनलक्षणे परिणामेऽङ्गिनमुपसङ्क्रामन्ति तद्रूपतामिवापद्यन्ते, यथा चा (वा) लोकपरमाणवः प्रसरन्तो विषयं व्याप्नुवन्ति, नैवं चितिशक्तिः, तस्याः सर्वदैकरूपतया स्वप्रतिष्ठितत्वेन व्यवस्थितत्वादित्यर्थः । तत्तस्माच्चित्सन्निधाने बुद्धेस्तदाकारा चेतनायामिवोपजायमानायां बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्तायाश्च चिच्छक्तेर्बुद्ध्यविशिष्टतया सम्पत्तौ स्वसम्बुद्ध्यु
એક પરિશીલન
૧૨૭