Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરે છે; તે વૃત્તિઓ અક્લિષ્ટ છે. તે ગુણાધિકારની વિરોધિની છે. ધર્મ અને અધમદિને ઉત્પન્ન કરવા દ્વારા આગામી જન્મનો આરંભ કરવો તે ગુણાધિકાર છે. વિવેકઞાતિના ઉદય(પ્રાદુર્ભાવ)થી એ ગુણાધિકારનો અંત આવે છે. તેથી વિવેકખ્યાતિપ્રયોજક સાત્ત્વિક વૃત્તિઓ ગુણાધિકારની વિરોધિની છે. પાંચ વૃત્તિઓનો નામમાત્રથી નિર્દેશ શ્લોકના ઉત્તરાર્ધથી કર્યો છે. નાવિવિજ્યનિદ્રામૃત: 19-દા આ યોગસૂત્રમાં એવો નિર્દેશ કરાયો છે. I૧૧-all
आसां क्रमेण लक्षणमाहપાંચ પ્રકારની વૃત્તિઓનાં અનુક્રમે લક્ષણો કહેવાય છે
मानं ज्ञानं यथार्थं स्यादतस्मिंस्तन्मतिभ्रमः ।
पुंसश्चैतन्यमित्यादौ, विकल्पोऽवस्तुशाब्दधीः ॥११-४॥ मानमिति-मानं यथार्थं तद्वति तदवगाहि ज्ञानं स्यात् । तदाह-“अविसंवादि ज्ञानं प्रमाणमिति" भ्रमोऽतस्मिंस्तदभाववति तन्मतिः, यदाह-“विपर्ययो मिथ्याज्ञानमतद्पप्रतिष्ठं [१-८]” संशयोऽपि स्थाणुर्वा पुरुषो वेत्यतद्पप्रतिष्ठत्वादत्रैवान्तर्भवति । पुंसश्चैतन्यमित्यादौ अवस्तुविषया शाब्दधीविकल्पः । अत्र हि देवदत्तस्य कम्बल इतिवच्छब्दजनिते ज्ञाने षष्ठ्यर्थो भेदोऽध्यवसीयते, तमिहाविद्यमानमपि समारोप्य प्रवर्ततेऽध्यवसायः । वस्तुतस्तु चैतन्यमेव पुरुष इति । तदाह-“शब्दज्ञानानुपाती वस्तुशून्यो [ऽसदर्थव्यवहारविषयो] विकल्प [१-९]” इति । भ्रमविशेष एवायमस्त्विति चेन्न, तथाविधशब्दजन्यजनकभावेनास्य विलक्षणत्वाद्, विषयाभावज्ञानेऽपि प्रवृत्तेश्च । यदोजः-“वस्तुनस्तथात्वमनपेक्षमाणो योऽध्यवसायः स વિવેકા ન્યુચ્યતે” રૂતિ I99-૪||
“યથાર્થજ્ઞાનને માન-પ્રમાણ કહેવાય છે. અતસ્મિનું અર્થાત્ તદભાવવમાં તેની બુદ્ધિને ભ્રમ કહેવાય છે અને “પુરુષનું ચૈતન્ય'.. ઇત્યાદિ અવસ્તુને જણાવનારી શબ્દજન્ય બુદ્ધિને વિકલ્પ કહેવાય છે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે ઘટવાદિ ધર્મવ(ઘટાદ)માં ઘટવાદિનું જે જ્ઞાન છે તેને માન-પ્રમાણ કહેવાય છે. અન્યત્ર એ પ્રમાણે જણાવાયું છે કે “અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે.” ઘટતાદિના અભાવવાળા પટાદિમાં ઘટત્યાદિનું જે જ્ઞાન છે તેને ભ્રમ-વિપર્યય કહેવાય છે. “વિપર્યયો મિથ્યાજ્ઞાનમતિદૂષપ્રતિષ્ઠ' 9-૮ આ યોગસૂત્રથી મિથ્યાજ્ઞાનને વિપર્યયસ્વરૂપે વર્ણવ્યું છે; જે મિથ્યાજ્ઞાન, અસ્વરૂપ પ્રતિષ્ઠ છે. કહેવાનો આશય એ છે કે સાદિવિષયમાં જે સપાદિનું જ્ઞાન થાય છે; તે પ્રમાત્મક છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા કોઈ જ્ઞાનથી તે બાધિત થતું નથી. તેથી તે જ્ઞાન સ્વરૂપ પ્રતિષ્ઠ બની રહે છે. પરંતુ દોરડાદિવિષયમાં થનારું જે સર્પ વગેરેનું જ્ઞાન છે; તે ભ્રમ-વિપર્યયસ્વરૂપ છે. કારણ કે તે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા દોરડાદિના યથાર્થજ્ઞાનથી તેનો બાધ થાય છે. તેથી
એક પરિશીલન
૧૧૫