Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ચિત્તની વૃત્તિઓનો વિરોધ કરવામાં ઉપયોગી બને છે. આથી સમજી શકાશે કે વૃત્તિઓના નિરોધ માટે પ્રથમ વૈરાગ્ય અપેક્ષિત છે અને પછી અભ્યાસ ઉપયોગી બને છે. ./૧૧-લા
વૃત્તિઓના વિરોધમાં વૈરાગ્ય કઈ રીતે ઉપયોગી બને છે તે જણાવીને હવે તેમાં અભ્યાસ કઈ રીતે ઉપયોગી બને છે, તે જણાવાય છે–
निरोधे पुनरभ्यासो, जनयन् स्थिरतां दृढाम् ।
परमानन्दनिष्यन्दशान्तस्रोतःप्रदर्शनात् ॥११-१०॥ निरोध इति-निरोधे चित्तवृत्तिनिरोधे । अभ्यासः पुनदृढामतिशयितां स्थिरतामवस्थितिलक्षणां जनयन् । परमानन्दनिष्यन्दस्यातिशयितसुखार्णवनिर्झरभूतस्य शान्तस्रोतसः शान्तरसप्रवाहस्य प्रदर्शनादुपयुज्यते इत्यन्वयः । तत्रैव सुखमग्नस्य मनसोऽन्यत्र गमनायोगाद् । इत्थं च चित्तवृत्तिनिरोध इति योगलक्षणं सोपपत्तिकं व्याख्यातम् ।।११-१०॥
ચિત્તવૃત્તિઓના નિરોધમાં અભ્યાસ, અત્યંત સ્થિરતાને ઉત્પન્ન કરતો પરમાનંદના ઝરણાના શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન કરાવતો હોવાથી ઉપયોગી બને છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવામાં પૂર્વે જણાવેલો અભ્યાસ અત્યંત દઢ એવી સ્થિરતાને પ્રાપ્ત કરાવે છે.
એ વખતે શ્રેષ્ઠતમ સુખરૂપ સમુદ્રના ઝરણા સ્વરૂપ શાંતરસના પ્રવાહનું સારી રીતે દર્શન થવાથી ચિત્ત સુખમાં મગ્ન બને છે. તેથી મનને બાહ્ય વિષયો તરફ જવાનું જ બનતું નથી. જેને
જ્યાં આનંદ આવે તેનાથી બીજે જવાનું તેને ન જ બને એ સમજી શકાય છે. આ રીતે ચિત્તની દઢ સ્થિરતા દ્વારા ચિત્તના નિરોધમાં (ચિત્તવૃત્તિનિરોધમાં) અભ્યાસ ઉપયોગી બને છે. શ્લોક નં. ૯માનું વૈરાયમુપયુચ અહીં રહેલા ૩૫યુચતે આ પદનો સંબંધ અહીં પણ સમજી લેવો.
અહીં સુધીના દશ શ્લોકોથી ચિત્તવૃત્તિનિરોધું તુ યોરામદ. ઇત્યાદિ વાતનું નિરૂપણ તેમની માન્યતા મુજબ સારી રીતે કર્યું. તેથી ચિત્તવૃત્તિનિરોધ: આયોગલક્ષણનું નિરૂપણ પૂર્ણ થયું../૧૧-૧૦ના
अथ तदूषयन्नाहચિત્તવૃત્તિનિરોધો યોજ: - આ યોગલક્ષણ વગેરેમાં દોષ જણાવાય છે
न चैतद् युज्यते किञ्चिदात्मन्यपरिणामिनि ।
कूटस्थे स्यादसंसारोऽमोक्षो वा तत्र हि धुवम् ॥११-११॥ न चैति-न चैतत् पूर्वोक्तं किञ्चिदपरिणामिनि आत्मनि युज्यते । तत्रात्मनि हि कूटस्थे एकान्तिकस्वभावे सति । असंसारः संसाराभाव एव स्यात्, पुष्करपत्रवनिर्लेपस्य तस्याविचलितस्वभावत्वात् ।
પાતંજલયોગલક્ષણ બત્રીશી
૧૨૨