Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તે જ્ઞાન સ્વરૂપપ્રતિષ્ઠ બનતું નથી. આથી સમજી શકાશે કે જે જ્ઞાનના ઉત્તરકાળમાં થનારા યથાર્થ જ્ઞાનથી એ પૂર્વજ્ઞાનનો બાધ થાય છે તે અતદ્રુપપ્રતિષ્ઠજ્ઞાન ભ્રમ-વિપર્યય છે. ‘આ સ્થાણુ છે કે પુરુષ છે' ઇત્યાદિ સંશયાત્મક જ્ઞાન પણ અતદ્રુપપ્રતિષ્ઠ હોવાથી તેનો સમાવેશ વિપર્યયમાં જ કરાય છે. સંશયાત્મક જ્ઞાન વિપર્યયજ્ઞાનવિશેષ સ્વરૂપ છે.
પુંસશૈતન્ય... ઇત્યાદિ શ્લોકાર્ધથી વિકલ્પસ્વરૂપ વૃત્તિનું વર્ણન કરાય છે. આશય એ છે કે પુરુષનું ચૈતન્ય છે... ઇત્યાદિ વાક્યોથી ઉત્પન્ન થનાર શાબ્દબોધ અવસ્તુવિષયક છે. એ અવસ્તુવિષયક શાબ્દબોધને વિકલ્પ કહેવાય છે. ‘દેવદત્તની કામળી’ ઇત્યાદિ વાક્યોમાં દેવદત્ત અને કામળી : એ બંન્ને ભિન્ન છે - એ પ્રમાણે ષષ્ઠી વિભક્તિના કારણે શાબ્દબોધમાં જેમ ભેદનું ગ્રહણ (જ્ઞાન) થાય છે; તેમ પુરુષનું ચૈતન્ય... ઇત્યાદિ વાક્યથી પણ પુરુષ અને ચૈતન્ય : એ બેમાં પણ ભેદ અધ્યવસિત થાય છે, જે ખરેખર તો વિદ્યમાન જ નથી. પુરુષ ચૈતન્યસ્વરૂપ જ છે. તેનાથી તે ભિન્ન નથી. અવિદ્યમાન એવા ભેદનો આરોપ કરીને પુંસશૈતન્યમ્ ઇત્યાદિ અવસ્તુવિષયક અધ્યવસાય પ્રવર્તે છે. વસ્તુતઃ ચૈતન્ય જ પુરુષ છે. આ વાતને, ‘શવજ્ઞાનાનુપાતી વસ્તુશૂન્યો (પ્રસવવિષયો) વિત્ત્ત:’ II9-૬II આ યોગસૂત્રથી જણાવી છે. શબ્દને સાંભળ્યા પછી વસ્તુથી શૂન્ય જે જ્ઞાનસ્વરૂપ ચિત્તની વૃત્તિ છે, તેને વિકલ્પ કહેવાય છે.
વિકલ્પ, વસ્તુશૂન્ય બોધસ્વરૂપ હોવાથી ભ્રમવિશેષ સ્વરૂપ છે - એ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે શબ્દજન્યજ્ઞાનજનક હોવાથી વિકલ્પને ભ્રમસ્વરૂપ માનતા નથી. પુંસÊતન્યમ્... ઇત્યાદિ વાક્યજન્ય જ્ઞાનથી પુરુષથી ભિન્ન એવા ‘ચૈતન્ય’નો વિકલ્પાત્મક બોધ થાય છે. યદ્યપિ સામગ્રીવિશેષથી વિકલ્પાત્મક બોધ થાય છે, એટલા માત્રથી તેને ભ્રમથી ભિન્ન માનવાની જરૂર નથી. પરંતુ અહીં વિકલ્પસ્થળે વિષયનો અભાવ હોય છે. તેનું (વિષયાભાવનું) જ્ઞાન થવા છતાં તેવો બોધ થાય છે અને તેવા શબ્દપ્રયોગાત્મક વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. આ વાતના અનુસંધાનમાં શ્રી ભોજે કહ્યું છે કે વસ્તુની વસ્તુતાની અપેક્ષા રાખ્યા વિના જે અધ્યવસાય પ્રવર્તે છે, તેને વિકલ્પ કહેવાય છે.
અહીં યાદ રાખવું જોઇએ કે પૂર્વે જણાવ્યા મુજબ જેના ઉત્તરકાળમાં થનારા પ્રમાત્મકજ્ઞાનથી જેનો બાધ થાય છે તે ભ્રમ છે. વિકલ્પસ્થળે આવું બનતું નથી. પુરુષનું ચૈતન્ય ન હોવાનું ખબર હોવા છતાં પુંસશ્વેતત્ત્વમ્ ઇત્યાદિ વ્યવહાર પ્રવર્તમાન છે. ચૈતન્યાભાવવત્ પુરુષમાં ચૈતન્યનું જ્ઞાન થતું હોવાથી તે પ્રમાત્મક પણ નથી. ચૈતન્ય કે તેનો અભાવ... ઇત્યાદિની અપેક્ષા (વિચારણા) વિના જ પ્રવર્તમાન એ ચિત્તવૃત્તિ વિકલ્પસ્વરૂપ છે. ।૧૧-૪ નિદ્રાસ્વરૂપ ચિત્તવૃત્તિનું વર્ણન કરાય છે—
૧૧૬
निद्रा च वासनाभावप्रत्ययालम्बना स्मृता । सुखादिविषया वृत्तिर्जागरे स्मृतिदर्शनात् ॥११- ५ ॥
પાતંજલયોગલક્ષણ બત્રીશી