Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
महत्यल्पत्वबोधेन, विपरीतफलावहा ।
भवाभिनन्दिनो लोकपड्क्त्या धर्मक्रिया मता ॥१०-७॥ महतीति-महति अधरीकृतकल्पद्रुचिन्तामणिकामधेनौ धर्मे । अल्पत्वबोधेन अतितुच्छकीर्त्यादिमात्रहेतुत्वज्ञानेन विपरीतफलावहा दुरन्तसंसारानुबन्धिनी । भवाभिनन्दिनो जीवस्य । लोकपङ्क्त्या धर्मक्रिया मता । नात्र केवलमफलत्वमेव किं तु विपरीतफलत्वमिति भावः ।।१०-७।।
મહાન એવા ધર્મમાં અલ્પતાનું જ્ઞાન થવાથી(કરવાથી); ભવાભિનંદી જીવોને લોકપંક્તિથી કરાતી ધર્મક્રિયા દુરંત સંસારનો અનુબંધ કરાવનારી થાય છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન કે કામધેનુ કરતાં પણ અત્યધિક માહાભ્ય ધર્મનું છે. પોતાના માહાત્મના કારણે ધર્મે કલ્પવૃક્ષ કે ચિંતામણિ વગેરેનું માહાભ્ય રહેવા જ દીધું નથી. કારણ કે કલ્પવૃક્ષ વગેરે માંગ્યા પછી આ લોકના જ વિનશ્વર એવા ફળને આપે છે. પરંતુ ધર્મ તો શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ તેની આરાધના કરનારને માંગ્યા વિના પરમપદસ્વરૂપ મોક્ષફળ સુધીનાં ફળ આપે છે. તેથી ચિંતામણિ કે કલ્પવૃક્ષ વગેરેને ધર્મે તદ્દન જ નીચા(હીન) બનાવ્યા છે. કલ્પવૃક્ષાદિની અપેક્ષાએ અત્યધિક મહાન એવા ધર્મને અત્યંત તુચ્છ એવા કીર્તિ વગેરે આ લોકના કે પરલોકના ફળના કારણ સ્વરૂપે જાણવાથી મહાન એવી વસ્તુમાં અલ્પતાનો બોધ કરાય છે. આ રીતે કરાયેલી ધર્મની લઘુતાપૂર્વકની ક્રિયા; દુઃખે કરીને જેનો અંત આવે એવા સુદીર્ઘ સંસારનો અનુબંધ કરનારી બને છે.
લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા ભવાભિનંદી જીવોને ફળ આપનારી બનતી નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ વિપરીત(અનિષ્ટ) ફળને આપનારી બને છે. આથી સમજી લેવું જોઈએ કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ મોક્ષના આશયથી કરાતી ક્રિયા જ સફળ છે; એ આશયથી જુદા કોઈ આશયથી કરાતી ધર્મક્રિયા નિષ્ફળ જ નહિ, વિપરીત ફળને આપનારી છે. “લોકપંક્તિથી કરાતી પણ ધર્મક્રિયા અંતે તો ધર્મક્રિયા જ છે ને? લોકપંક્તિના કારણે, જે ફળ મળવું જોઈએ તે મળે નહિ; ઓછું મળે. પરંતુ એમાં એકાંતે લાભ છે, નુકસાન કાંઈ નથી.”... ઇત્યાદિ માન્યતા ધરાવનારાએ ઉપર જણાવેલી વાત યાદ રાખવી જોઇએ. // ૧૦-ળા
જે લોકપંક્તિના કારણે ભવાભિનંદી જીવોને ધર્મક્રિયા વિપરીત ફળવાળી બને છે, તે લોકપંક્તિ કોઈ વિવેકીને શુભપરિણામ માટે થઈ શકે છે - તે જણાવાય છે
धर्मार्थं सा शुभायापि धर्मस्तु न तदर्थिनः ।
क्लेशोऽपीष्टो धनार्थं हि क्लेशार्थं जातु नो धनम् ॥१०-८॥ धर्मार्थमिति-धर्मार्थं सम्यग्दर्शनादिमोक्षबीजाधाननिमित्तं । सा लोकपङ्क्ति निसन्मानोचितसम्भाषणादिभिश्चित्रैरुपायैः शुभाय कुशलानुबन्धाय अपि । धर्मस्तु तदर्थिनो लोकपङ्क्त्यर्थिनो न शुभाय । એક પરિશીલન
૮૩