Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
तथा च
માવી મુક્યતુવં તેન મો... (૨૨) આ શ્લોકમાં; ક્રિયામાં પણ મોક્ષહેતુતા જણાવી છે, તે કઈ રીતે છે તે જણાવાય છે
विचित्रभावद्वारा तत्, क्रिया हेतुः शिवं प्रति ।
अस्या व्यञ्जकताप्येषा, परा ज्ञाननयोचिता ॥१०-२७॥ विचित्रेति-विचित्रो भावोऽध्यात्मादिरूपस्तद्वारा क्रिया शिवं प्रति हेतुः । दण्ड इव चक्रभ्रमिद्वारा घटे । कारणता च तस्याः शक्तिविशेषेण न तु भावपूर्वकत्वेनैव, भावस्यान्यथासिद्धिप्रसङ्गाद् । अस्याः क्रियाया व्यञ्जकताप्येषा हेतुताविशेषरूपा परा । अत एव भावस्य ज्ञापकत्वरूपाभिव्यञ्जकता ज्ञाननयोचिता ज्ञाननयप्राधान्योपयुक्ता, न तु व्यवहारतो वास्तवी, अन्यथा सत्कार्यवादप्रसङ्गादिति भावः ।।१०-२७।।
તેથી મોક્ષની પ્રત્યે ક્રિયા વિચિત્ર અધ્યાત્માદિ સ્વરૂપ ભાવ દ્વારા કારણ છે. ક્રિયાની વ્યજકતા પણ હેતુતાવિશેષ સ્વરૂપ જ્ઞાનનયની અપેક્ષાએ શ્રેષ્ઠ છે.” – આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો શબ્દાર્થ છે. તેનો ભાવાર્થ એ છે કે જેમ ઘટની પ્રત્યે ચક્રભ્રમણ દ્વારા દંડ કારણ બને છે તેમ મોક્ષની પ્રત્યે ભિન્ન ભિન્ન અધ્યાત્મભાવનાદિ સ્વરૂપ ભાવ દ્વારા ક્રિયા કારણ બને છે. ક્રિયામાં જે મોક્ષની પ્રત્યે કારણતા મનાય છે તે તેમાં રહેલી ભાવને અનુકૂળ એવી શક્તિવિશેષ
સ્વરૂપે મનાય છે, પરંતુ ભાવપૂર્વકત્વ સ્વરૂપે મનાતી નથી. કારણ કે તેમ કરવાથી દંડત્વની જેમ ભાવને પણ અન્યથાસિદ્ધ માનવાનો પ્રસંગ આવશે. ઘટની પ્રત્યે દંડત્વસ્વરૂપે દંડ કારણ હોવાથી જેમ દંડત્વ અન્યથાસિદ્ધ મનાય છે તેમ ભાવપૂર્વકત્વસ્વરૂપે ક્રિયાને કારણ માનવામાં આવે તો ભાવને અન્યથાસિદ્ધ માનવાનો પ્રસંગ આવશે.
ભાવ દ્વારા ક્રિયાને કારણે માનવા કરતાં મોક્ષની પ્રત્યે ભાવને જ કારણ માનવો. પૂર્વપૂર્વ ભાવથી જ ઉત્તર ઉત્તર ભાવની ઉત્પત્તિ થવાથી ભાવની વૃદ્ધિ થાય છે. ક્રિયા તો ભાવની વ્યજક છે. - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ક્રિયામાં જે ભાવની વ્યકતા છે તે, ઉપર જણાવ્યા મુજબની ભાવની પ્રત્યે તેમાં રહેલી કારણતા-વિશેષ સ્વરૂપ શ્રેષ્ઠ કોટિની વ્યજકતા છે. ભાવની પ્રત્યે ક્રિયા કારણ છે. તેમાં કારણતા છે. એ કારણતા જ શ્રેષ્ઠ વ્ય~તા છે. સામાન્ય રીતે વ્યજક કારણ જ હોય એવો નિયમ નથી અને કારણ વ્યજક જ હોય એવો નિયમ નથી. દા.ત. જલાદિના મધુરાદિ રસનું વ્યજક હરડે વગેરેનું ભક્ષણ છે. પરંતુ તે મધુરાદિનું કારણ નથી. તેમ જ ઘટાદિના કારણ દંડાદિ ઘટાદિના વ્યંજક નથી. ભાવની વ્યજક ક્રિયા ભાવનું કારણ પણ છે. આ જ ક્રિયામાં ભાવની પર વ્યકતા છે.
૧૦૪
યોગલક્ષણ બત્રીશી