Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ધર્મના ઉપાયો સુંદર હોવા જોઇએ અને નિપુણતાથી યુક્ત હોવા જોઈએ. અધિકૃત ધર્મ કરતી વખતે જે પ્રવૃત્તિ કરીએ છીએ; તે જોતાંની સાથે તેમાં સચવાતી વિધિ-જયણા વગેરે કારણે જોનારને એમ લાગે કે સરસ છે અને કરનાર હોશિયાર છે. આવી પ્રવૃત્તિને શુભ સારોપાયથી સંગત કહેવાય છે. વિવણિત ધર્માનુષ્ઠાનમાં અતિશય પ્રયત્ન કરવાથી પ્રવૃત્તિ શુભ અને સારભૂત ઉપાયથી સંગત બને છે. આથી સમજી શકાશે કે ત્યાં જ - અધિકૃત ધર્મસ્થાનમાં; યત્નાતિશયથી જન્ય પ્રવૃત્તિ પ્રવૃત્તિસ્વરૂપ આશયની જનની (કારણ) છે... અહીં જિજ્ઞાસુ જનોએ યોગવિંશિકા એક પરિશીલન અને શ્રી ષોડશક એક પરિશીલનમાં જણાવેલી વાતનું સ્મરણ કરી સમજવા પ્રયત્ન કરવો, જેથી અહીંના ગ્રંથના આશયને સમજવાનું થોડું સરળ બનશે. ૧૦-૧૨ll. હવે ‘વિધ્વજય” સ્વરૂપ આશયનું વર્ણન કરાય છે
बाहान्तर्व्याधिमिथ्यात्वजयव्यङ्ग्याशयात्मकः ।
कण्टकज्वरमोहानां जयैर्विघ्नजयः समः ॥१०-१३॥ ___ बाह्येति-बाह्यव्याधयः शीतोष्णादयोऽन्ताधयश्च ज्वरादयो मिथ्यात्वं भगवद्वचनाश्रद्धानं, तेषां जयस्तत्कृतवैक्लव्यनिराकरणं तद्व्यङ्ग्याशयात्मकः । कण्टकज्वरमोहानां जयैः समो विघ्नजयः । इत्थं च हीनमध्यमोत्कृष्टत्वेनास्य त्रिविधत्वं प्रागुक्तं व्यक्तीकृतं । तथाहि-कस्यचित्पुंसः कण्टकाकीर्णमार्गावतीर्णस्य कण्टकविघ्नो विशिष्टगमनविघातहेतुः, तद्रहिते तु पथि प्रवृत्तस्य निराकुलं गमनं संजायते, एवं कण्टकविघ्नजयसमः प्रथमो विघ्नजयः । तथा तस्यैव ज्वरवेदनाभिभूतशरीरस्य विह्वलपादन्यासस्य निराकुलं गमनं चिकीर्षोरपि तत्कर्तुमशक्नुवतः कण्टकविघ्नादप्यधिको ज्वरविघ्नः, तज्जयस्तु निराकुलप्रवृत्तिहेतुः, एवं ज्वरविघ्नजयसमो द्वितीयो विघ्नजयः । तस्यैव चाध्वनि जिगमिषोर्दिङ्मोहकल्पो मोहविघ्नस्तेनाभिभूतस्य प्रेर्यमाणस्याप्यध्वनीनैर्न गमनोत्साहः कथञ्चित्प्रादुर्भवति, तज्जयस्तु स्वरसतो मार्गगमनप्रवृत्तिहेतुः, एवमिह मोहविघ्नजयसमस्तृतीयो विघ्नजय इति फलैकोन्नेयाः खल्वेते ।।१०-१३॥
કાંટા, તાવ અને મોહના જયની જેમ; બાહ્યવ્યાધિ, અંતવ્યધિ અને મિથ્યાત્વ ઉપર વિજય - આ ત્રણ પ્રકારના જયથી જણાતો આશય સ્વરૂપ વિધ્વજય છે.” - આ પ્રમાણે તેરમા
શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બાહ્યવ્યાધિ સ્વરૂપ શીત અને ઉષ્ણ વગેરે પરીષહો છે. અંતવ્યધિ સ્વરૂપ તાવ વગેરે રોગાદિ પરીષહ છે. ભગવાનના વચન પ્રત્યે અશ્રદ્ધા સ્વરૂપ મિથ્યાત્વ છે. શીતોષ્ણાદિ પરીષહ, રોગાદિ પરીષહ અને મિથ્યાત્વા: આ ત્રણના કારણે અધિકૃત ધર્મની આરાધનામાં જે વિકલતા આવે છે, તેનું નિરાકરણ કરવું - તેને બાહ્યવ્યાધિ વગેરે ત્રણનો જય કહેવાય છે. આ જયથી અભિવ્યક્ત થતો આત્માનો જે આશયવિશેષ છે તેને વિધ્વજયસ્વરૂપ આશય કહેવાય છે, જે ક્રમે કરી કંટકજય, જવરજય અને મોહજય સમાન ત્રણ પ્રકારનો છે. આ રીતે વર્ણન કરવાથી બ્લોક નં. ૧૦માં “વિધ્વજય ત્રણ પ્રકારનો છે. આ પ્રમાણે જણાવ્યું
૯૦
યોગલક્ષણ બત્રીશી