Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
એનો આશય સ્પષ્ટ છે. ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા - આ ચાર પ્રકારની વિકથા છે. અર્થકથા અને કામકથા જેવી જ જણાતી વિકથામાં થોડો ફરક છે. કથા, સામાન્યથી તે તે પુરુષાર્થને સિદ્ધ કરે છે. જ્યારે વિકથા તેમાં અંતરાયસ્વરૂપ બને છે. જેમાં મળે કાંઈ નહિ અને માત્ર વાતો ઘણી – એવું સ્વરૂપ વિકથાનું છે. એક પ્રકારના અનર્થદંડ સ્વરૂપ વિકથા છે – એમ કહી શકાય. ભોજનાદિ સ્વરૂપનું વર્ણન કરનારી પ્રથમ વિકથા છે. સ્ત્રીના સ્વરૂપનું વર્ણન કરનારી બીજી વિકથા છે. દેશ-રાષ્ટ્રના સ્વરૂપનું વર્ણન કરનારી ત્રીજી વિકથા છે અને રાજાદિનું વર્ણન કરનારી ચોથી વિકથા છે. વિકથાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. કોઈ પણ રીતે તે કરવા જેવી નથી... એ કહેવાની જરૂર નથી. ઓછા વધતા પ્રમાણમાં એનાં કડવાં ફળોનો સ્વાદ આપણને અનુભૂત જ છે. પરંતુ વિકથાની પક્કડમાંથી છૂટવાનું ખૂબ જ કપરું છે. સમયનો સદુપયોગ કરવાનું જાણે એ એક જ સાધન છે - એમ સમજીને આપણે વિકથામાં પ્રવર્તતા હોઈએ એમ લાગ્યા વિના નહિ રહે.
શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં વિકથાનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા, ચૌરકથા, જનપદ(દેશ)કથા, નટકથા, નર્તકકથા, જલ્લકથા અને મુષ્ટિકકથા... વગેરે વિકથા છે. ચામડાના દોરડા(પટ્ટા) ઉપર ચઢીને રમનારને જલ્લ કહેવાય છે. મલ્લને મુષ્ટિક કહેવાય છે. આથી સમજી શકાશે કે વિકથાના આવા તો કેટલાય પ્રકારો વર્ણવી શકાય છે. દિવસે દિવસે વિકથાના વિષયોમાં ખૂબ જ ઝડપથી વધારો થતો જાય છે. સ્વાધ્યાયમાં તીવ્ર રુચિ કેળવ્યા વિના વિકથાની કથામાંથી બહાર નીકળવાનું કોઈ પણ રીતે શક્ય નથી. આજે નહિ તો કાલે વિકથા ઉપર વિરામ મૂકવો જ પડશે. ૯-૨૦ના
કથા અને વિકથાનું નિરૂપણ કરીને હવે પ્રજ્ઞાપકને આશ્રયીને અકથાદિ સ્વરૂપે તે બને છે અર્થાત પ્રજ્ઞાપકને આશ્રયીને કથાઓ આશયવિશેષને લઇને અકથાદિ સ્વરૂપ બને છે, તે જણાવાય છે–
प्रज्ञापकं समाश्रित्य, कथा एता अपि क्रमात् ।
વથા વિવથા વા , થા વા ભાવમેવતઃ FB- प्रज्ञापकमिति-प्रज्ञापकं वक्तृपुरुषविशेषं समाश्रित्य एता उक्तलक्षणाः कथा अपि अकथा विकथाः कथा वा स्युः । भावभेदत आशयवैचित्र्यात् सम्यक्श्रुतादिवत् । तत एव पुरुषार्थप्रतिपत्त्यभावतद्विरोधतत्प्रतिपत्तिफलभेदात् । तदुक्तं-“एया चेव कहाओ पन्नवगपरूवगं समासज्ज । अकहा कहा व विकहा हविज्ज परिसंतरं पप्प ।।१।। अत्र प्रज्ञापकप्ररूपकमित्यत्र कर्मधारयाश्रयणादवबोधकप्ररूपको व्याख्यातो घरट्टभ्रमणकल्पश्च व्यवच्छिन्नो, द्वन्द्वाश्रयणे तु द्वित्वे बहुवचनापत्तिरित्यवधेयम् ।।९-२१।।
“કથા કહેનાર(પ્રજ્ઞાપક)ને આશ્રયીને આ કથાઓ પણ ક્રમે કરીને અકથા, વિકથા અને કથા સ્વરૂપે ભાવભેદથી બને છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ
૬૪
કથા બત્રીશી