Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
| अथ योगलक्षणद्वात्रिंशिका प्रारभ्यते ।।
कथानिरूपणानन्तरं तत्फलभूतस्य योगस्य लक्षणं निरूप्यते
આ પૂર્વેની બત્રીશીમાં કથાનું નિરૂપણ કર્યું. એ મુજબ ધર્મકથાદિના શ્રવણથી કથાના ફળ સ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે. એ યોગના લક્ષણનું નિરૂપણ કરાય છે
मोक्षेण योजनादेव योगो पत्र निरुच्यते ।
लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ॥१०-१॥ मोक्षेणेति-योगो हि योगशब्दो हि । अत्र लोके प्रवचने वा । मोक्षेण योजनादेव निरुच्यते व्युत्पाद्यते । तेनास्य योगस्य तु तन्मुख्यहेतुव्यापारता लक्षणं । निरुक्तार्थस्याप्यनतिप्रसक्तस्य लक्षणत्वानपायात् ।।१०-१।।
નવમી કથાબત્રીશીમાં વર્ણવેલી કથાના શ્રવણથી શ્રોતાને જે યોગસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; તે યોગની જિજ્ઞાસા હોવાથી તેના(યોગના) લક્ષણનું નિરૂપણ આ બત્રીશીમાં કરાય છે. “જે કારણથી શ્રી વીતરાગપરમાત્માના પ્રવચનમાં “મોક્ષા યોગનાદેવ ચો:” (“મોક્ષની સાથે જોડી આપતો હોવાથી જ યોગ કહેવાય છે.”) – આ પ્રમાણે થોડા શબ્દની વ્યુત્પત્તિ જણાવાય છે; તે કારણે આ યોગનું “મોક્ષના મુખ્ય કારણભૂત વ્યાપારતા” લક્ષણ છે.' - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે “જોન' શબ્દ યોનના યો: આ વ્યુત્પત્તિથી નિષ્પન્ન છે. આ વ્યુત્પત્તિના સામર્થ્યથી “મહાનંદસ્વરૂપ મોક્ષની સાથે જે જોડી આપે છે; તે મોક્ષના મુખ્ય કારણભૂત આત્મવ્યાપારને યોગ કહેવાય છે.' - આ પ્રમાણે થોડા શબ્દનો અર્થ પ્રતીત થાય છે. મોક્ષકારણભૂત આત્માના સઘળાય વ્યાપાર આ રીતે યોગ કહેવાય છે. કારણ કે તે દરેક વ્યાપારમાં મોક્ષ-મુખ્યકારણવ્યાપારતા સ્વરૂપ યોગનું લક્ષણ છે જ. જ્યાં યોગનું લક્ષણ છે તે યોગ છે, એ સમજી શકાય છે.
આ શ્લોકમાં જે વો શબ્દ છે, તેનો અર્થ યોગશબ્દ છે, લક્ષ્યભૂત યોગનો બોધક તે જોવા શબ્દ નથી. સત્ર અહીં જે સત્ર પદ છે તેનો અર્થ લોક અથવા પ્રવચન છે. યોનિનાદેવ યોજઃ - આ પ્રમાણે વ્યુત્પત્તિ સર્વ લોકમાં મનાતી નથી તેથી સત્ર પદથી પ્રવચન અર્થ વિવક્ષિત છે. મૌનીન્દ્ર પ્રવચનમાં એ વ્યુત્પત્તિને આશ્રયીને “યો શબ્દ વ્યુત્પાદિત છે. “મોક્ષા યોજનાદેવ યો: - મોક્ષની સાથે જોડી આપવાથી જ યોગ છે.” - આ પ્રમાણે જો શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી મોક્ષની પ્રત્યે કારણભૂત મુખ્યવ્યાપારતા : આ યોગનું લક્ષણ છે. આશય એ છે કે શ્રી વિતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ પૂ. સાધુભગવંતો નિરવઘ વસતિ, નવકલ્પી વિહાર અને ભિક્ષાટનાદિ જે જે પ્રવૃત્તિ કરે છે; તે બધી જ ક્રિયાઓનો સમુદાય મોક્ષપ્રાપ્તિનું
યોગલક્ષણ બત્રીશી