Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
विद्येति-विद्यादयोऽर्थोपाया यत्र वर्ण्यन्ते साऽर्थकथेति भावः ।।९-२।।
“વિદ્યા, શિલ્પ, ઉપાય, નિર્વેદ, સંચય, દક્ષત્વ, સામ, ભેદ, દંડ અને દાન ઇત્યાદિ અર્થપ્રાપ્તિના ઉપાયો જ્યાં યત્નથી વર્ણવ્યા છે, તેને અર્થકથા કહેવાય છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. મંત્ર, તંત્ર અને જયોતિષ વગેરે વિદ્યાઓ અર્થોપાર્જનાદિના ઉપાયોનું વર્ણન કરનારી અર્થકથા છે. પ્રાસાદાદિને નિર્માણ કરવા અંગેના શિલ્પશાસ્ત્રાનુસાર અર્થોપાર્જનાદિના ઉપાય સ્વરૂપ શિલ્પનું વર્ણન કરનારી કથા અર્થકથા છે.
આવી જ રીતે વાણિજ્યાદિ ઉપાયોનું જેમાં વર્ણન કરવામાં આવ્યું હોય તે કથા અર્થકથા છે. અર્થોપાર્જનાદિમાં નિર્વેદ(કંટાળો) ન કરવો; યોગ્ય સમયે માલ ભરી રાખવો; મૂડી પૂરતા પ્રમાણમાં ભેગી કરવી વગેરે સંચય પણ અર્થોપાર્જનાદિનો ઉપાય છે. તેનું વર્ણન કરનારી અર્થકથા છે. વ્યાપારાદિની નિપુણતા; સૌમ્ય ભાષણ; બીજાને ત્યાં જનારા ગ્રાહકોને તોડવા; કોઈ પૈસા વગેરે ન આપે તો શિક્ષા-દંડ કરવો અને અવસરે અવસરે ગ્રાહકોને ભેટ વગેરે આપીને ખુશ રાખવા. ઇત્યાદિ અર્થપ્રાપ્યાદિના ઉપાયોનું જેમાં ખૂબ જ ઉપયોગપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હોય - તે કથા અર્થકથા છે. આવી તો કંઈકેટલીય અર્થકથાઓ પ્રસિદ્ધ છે. વર્તમાનપત્રો અને પુસ્તકો દ્વારા એ કથાઓ વિસ્તરતી જ જાય છે. અર્થના ઉપાર્જન, સંવર્ધન અને સંરક્ષણ માટે અનેકાનેક જાતની યોજનાઓ આપણને અનેક માધ્યમોથી જાણવા મળે છે. એ બધા જ માધ્યમોથી ચાલતી કથાઓ “અર્થકથા' છે. ૯-રા બીજી “કામકથા'નું સ્વરૂપ વર્ણવાય છે–
रूपं वयश्च वेषश्च, दाक्षिण्यं चापि शिक्षितम् ।
કૃષ્ટ કૃતં દાનુભૂત, મિતીયાયાં ચ સંસ્તવઃ || -રા रूपमिति-रूपं सुन्दरं, वयश्चोदग्रं, वेषश्चोज्ज्वलः, दाक्षिण्यं च मार्दवं, शिक्षितमपि विषयेषु, दृष्टमद्रुतदर्शनमाश्रित्य, श्रुतं चानुभूतं च, संस्तवश्च परिचयश्च, द्वितीयायां कामकथायां । रूपादिवर्णनप्रधाना છામwથેત્વર્થઃ ||૨-રૂા.
“રૂપ, વય, વેષ, દાક્ષિણ્ય, શિક્ષિત (અભ્યસ્ત) જોયેલું, સાંભળેલું, અનુભવેલું અને પરિચય વગેરેનું વર્ણન જેમાં કરાય છે તે બીજી કામકથા છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે રૂપ, વય, વેષ વગેરે કામનાં સાધનો છે. વિષયનો ભોગવટો એ કામ છે. સામાન્ય રીતે વિષયના ભોગ-અનુભવ દ્વારા સુખનો અનુભવ કરવા માટે જે ઈચ્છાય છે તેને કામ કહેવાય છે. કામ શબ્દનો અર્થ ખૂબ જ પ્રસિદ્ધ હોવાથી તે સમજાવવાની આવશ્યકતા નથી. બોલતાંની સાથે અર્થ પ્રતીત થાય એવો કામ શબ્દ જ્યારે પણ શ્રવણાદિનો વિષય બને છે; ત્યારે ક્ષણવાર તો તેનો અભિલાષ અનાદિકાળના અભ્યાસથી થઈ
४४
કથા બત્રીશી