Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જાય એમાં આશ્ચર્ય નથી. વિચિત્રતા અનુભવ્યા પછી પણ એ અનાદિકાળના સંસ્કાર નષ્ટ થતા નથી. એના અનુબંધનું સાતત્ય સતત અનુભવવા મળે એવા એ વિચિત્ર સંસ્કારો છે.
વિષયોનું સુંદર સ્વરૂપ; ભોગસમર્થ યૌવનાદિ વય; આકૃષ્ટ કરે એવાં ઉજ્જવળ વસ્ત્રાદિનું પરિધાન; સ્વભાવની મૃદુતા; કામના વિષયોનું પરિજ્ઞાન; જોયેલી, સાંભળેલી તેમ જ અનુભવેલી અદ્ભુત વસ્તુ અને વિષયોનો અત્યંત નિકટનો પરિચય... વગેરે કામનાં સાધનો છે. તેના જ્ઞાનથી કામની અભિલાષા દ્વારા જીવ તેની પ્રાપ્તિ વગેરે માટે પ્રયત્નરત બને છે. આ રીતે રૂપાદિનું (કામને ઉદ્દેશીને) વર્ણન જેમાં કરાય છે, તે કથા કામકથા છે. કામને હેય માનીને રૂપાદિનું અસારાદિ સ્વરૂપે જેમાં વર્ણન કરાય છે તે કામકથા નથી. કામમાં પ્રવૃત્તિ કરાવવાના ઉદ્દેશથી જ્યારે કામપ્રધાન કથા કરાય છે ત્યારે તે રૂપાદિના વર્ણનના પ્રાધાન્યવાળી કથાને અહીં કામકથા તરીકે વર્ણવી છે... ઇત્યાદિ વિવેકપૂર્વક સમજી લેવું. ૯-૩ હવે ત્રીજી ધર્મકથાનું સ્વરૂપ વર્ણવાય છે
तृतीयाक्षेपणी चैका, तथा विक्षेपणी परा ।
अन्या संवेजनी निर्वजनी चेति चतुर्विधा ॥९-४॥ तृतीयेति-तृतीया धर्मकथा च एका आक्षेपणी, तथा परा विक्षेपणी, अन्या संवेजनी, च पुनर्निर्वेजनी ફતિ વતુર્વિધા ll-૪||
ત્રીજી ધર્મકથા - ‘આક્ષેપણી, વિક્ષેપણી, સંવેજની અને નિર્વેજની આ ચાર પ્રકારની છે.” આ ચોથા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. ધર્મપ્રધાન કથાને ધર્મકથા કહેવાય છે. ઉપર જણાવ્યા મુજબ તેના ચાર પ્રકાર છે. દરેક પ્રકારનું વર્ણન હવે પછી કરાય છે. સામાન્ય રીતે તે તે શબ્દના અર્થ ઉપરથી તેનું સ્વરૂપ સમજી શકાય છે. શ્રોતાઓના ચિત્તને તત્ત્વ પ્રત્યે આકૃષ્ટ કરે એવી કથાને આક્ષેપણીકથા કહેવાય છે. તત્ત્વની પ્રત્યે શ્રોતાઓના ચિત્તને જે વિક્ષિપ્ત કરે તેને વિક્ષેપણીકથા કહેવાય છે. સંવેગને પ્રાપ્ત કરાવનારી કથાને સંવેજનીકથા કહેવાય છે અને શ્રોતાઓને નિર્વેદને પ્રાપ્ત કરાવનારી કથાને નિર્વેજનીકથા કહેવાય છે. સંવેગ અને નિર્વેદનું વર્ણન હવે પછી તે તે શ્લોકમાં જણાવાશે. ૯-૪ો. ચાર પ્રકારની ધર્મકથામાંથી પહેલી આક્ષેપણીકથાનું નિરૂપણ કરાય છે
आचाराद् व्यवहाराच्च, प्रज्ञप्तेदृष्टिवादतः ।
आद्या चतुर्विधा श्रोतुश्चित्ताक्षेपस्य कारणम् ॥९-५॥ आचारादिति-आचारं व्यवहारं प्रज्ञप्तिं दृष्टिवादं चाश्रित्य आद्याक्षेपणी चतुर्विधा । श्रोतुश्चित्ताक्षेपस्य तत्त्वप्रतिपत्त्याभिमुखलक्षणस्य अपूर्वशमरसवर्णिकास्वादलक्षणस्य वा कारणम् ।।९-५।।
એક પરિશીલન
૪૫