Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જોઈએ કે જે શ્રદ્ધાને નષ્ટ કરે અને બુદ્ધિને કાદવગ્રસ્ત કરે. મુમુક્ષુ આત્માઓએ ધર્મની તાત્વિકતા સમજાય એટલે ધર્મની આરાધનાની શરૂઆતમાં પ્રમાણ-પ્રમેયાદિના લક્ષણાદિની ચર્ચામાં પડવાની આવશ્યકતા નથી. ધર્મની આરાધનામાં સ્થિરતા કેળવી લીધા પછી એ ચર્ચા બાધક નહીં બને. સમર્થ દાર્શનિકો પણ જો મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવા અસમર્થ બન્યા હોય તો આ મતિકઈમને લઇને ! અજ્ઞાન અને આગ્રહઃ આ બંન્નેનું જોર વધે એટલે મતિકદમ પણ વધવાનો. અંતે આ શ્લોકમાં ગ્રંથકાર પરમર્ષિના જણાવ્યા મુજબ મતિકઈમને દૂર કરી ધર્મવાદના વિષયને શોધવાના પ્રયત્નથી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ll૮-૩રો.
| તિ વાદશિા अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । .. व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
વાદ બત્રીશી