Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
तत्त्वहानिप्रसङ्गाद् । आह च-“संविग्नो णुवएसं ण देइ दुब्भासिअं कडुविवागं । जाणतो तम्मि तहा મતદøરો ૩ મિત્તે 19 રૂતિ 9-93II.
“પોતાની અનુકંપાદાનની પ્રવૃત્તિના સમર્થન માટે પૂ.આ.ભ. શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ એ (પૂ. સાધુભગવંતોએ કારણે અનુકંપાદાન કરવું જોઇએ - એ) જણાવ્યું છે માટે તે ઉચિત નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ; કારણ કે એ વાત સંવિગ્નપાક્ષિકએવા પૂ. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ નિશ્ચિતપણે જણાવી છે.” આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પોતાની અસંયતને દાન આપવાની જે પ્રવૃત્તિ હતી; તેના સમર્થન માટે શ્રી અષ્ટક પ્રકરણમાં ગ્રંથકાર પરમર્ષિશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ “કારણે પૂ. સાધુભગવંતો અનુકંપાદાન કરી શકે'... વગેરે જણાવ્યું છે, માટે તે સુંદર નથી - આ પ્રમાણે શંકા કરનારાનું કહેવું છે. એના સમાધાનમાં અહીં જણાવ્યું છે કે; એ શંકા બરાબર નથી. કારણ કે શ્રી અષ્ટક પ્રકરણના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંવિગ્નપાક્ષિક હતા. નિશ્ચિત રીતે તેઓશ્રીએ જણાવેલી એ વાત સર્વથા સાચી છે. કારણ કે સંવિગ્નપાક્ષિક અસત્ય બોલતા નથી.
એ જ વાત સત્તાવીશમા અષ્ટકના વિવરણમાં જણાવી છે. પોતાની અસંયતને દાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે આ અષ્ટક છે - એમ કેટલાક લોકો માને છે. ભોજનકાળે પૂ.આ.ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા શંખ વગાડવા પૂર્વક અર્થીઓને દાન અપાવતા હતા એમ કહેવાય છે. પરંતુ આ સંભવિત નથી. કારણ કે ગ્રંથકારશ્રી સંવિગ્નપાક્ષિક હતા. જે સંવિગ્ન અથવા સંવિગ્નપાક્ષિક હોય છે તેઓશ્રી આગમવિરુદ્ધ (અનાગમિક) અર્થનો ઉપદેશ આપતા નથી. કારણ કે આગમબાહ્ય અર્થના ઉપદેશથી સંવિગ્ન અથવા સંવિગ્નપાક્ષિકનું સ્વરૂપ જ રહેતું નથી, તેની હાનિ થાય છે. આથી કહ્યું છે કે આગમથી વિરુદ્ધ એવા અર્થનો ઉપદેશ; પરમાર્થથી અનુપદેશ છે. અનુપદેશ દુવચન સ્વરૂપ છે અને ભવાંતરે તે કડવા વિપાકને આપનારો છે – એમ જાણતા હોવાથી સંવિગ્ન કે સંવિગ્નપાક્ષિકો અનુપદેશ આપતા નથી. તેમના વચનમાં તથાકાર (સ્વીકાર) કરવો જોઈએ. એ મુજબ ન કરીએ તો અતથાકાર મિથ્યાત્વસ્વરૂપ છે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧-૧લી. અનુકંપાદાનનું સ્વરૂપ વર્ણવીને હવે સુપાત્રદાનનું સ્વરૂપ વર્ણવાય છે–
भक्तिस्तु भवनिस्तारवाञ्छा स्वस्य सुपात्रतः ।
तया दत्तं सुपात्राय बहुकर्मक्षयक्षमम् ॥१-२०॥ भक्तिस्त्विति - भक्तिस्तु स्वस्य सुपात्रतो भवनिस्तारवाञ्छा । आराध्यत्वेन ज्ञानं भक्तिः, आराधना च गौरवितप्रीतिहेतुः क्रिया गौरवितसेवा चेत्येतदपि फलतो नैतल्लक्षणमतिशेते । तया भवत्या सुपात्राय दत्तं बहुकर्मक्षये क्षमं समर्थं भवति ।।१-२०।।
એક પરિશીલન