Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
नैवं यत्पुण्यबन्धोऽपि धर्महेतुः शुभोदयः । वह्नेर्दा विनाश्येव नश्वरत्वात् स्वतो मतः ॥१- १७॥
नैवमिति - नैवं यथा प्रागुक्तम् । यद्यस्मात्पुण्यबन्धोऽपि शुभोदयः सद्विपाको धर्महेतुर्मतः । तद्धेतुभिरेव दशाविशेषेऽनुषङ्गः पुण्यानुबन्धिपुण्यबन्धसम्भवात् प्राणातिपातविरमणादौ तथाऽवधारणात् । न चायं मुक्तिपरिपन्थी, दाह्यं विनाश्य वह्नेरिव तस्य पापं विनाश्य स्वतो नश्वरत्वाद् नाशशीलत्वात् । शास्त्रार्थाबाधेन निर्जराप्रतिबन्धकपुण्यबन्धाभावान्नात्र दोष इति गर्भार्थ ः || १-१७।।
પૂર્વે શંકાકારે જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોને, કારણે પણ કરાતા અનુકંપાદાનથી જે અનિષ્ટ પુણ્યબંધ થાય છે... ઇત્યાદિ જે વાત છે તે બરાબર નથી. કારણ કે જે પુણ્યબંધ થાય છે; તે પણ શુભના ઉદયવાળો અર્થાત્ સદ્વિપાકવાળો અને ધર્મમાં કારણભૂત છે. અનુકંપાદાનની પ્રવૃત્તિથી જ પુષ્ટાલંબનસ્વરૂપ દશાવિશેષમાં અનુષંગથી પુણ્યાનુબંધી પુણ્યનો સંભવ હોવાથી ભોગાદિની પ્રાપ્તિ થાય છે. પ્રાણાતિપાતવિરમણાદિ સ્વરૂપ મહાવ્રતાદિના પાલનમાં આ રીતે પુણ્યાનુબંધી પુણ્યનો સંભવ માન્યો છે; જે, મોક્ષપ્રાપ્તિમાં વિઘ્નસ્વરૂપ નથી. અગ્નિની જેમ પોતાના દાહ્ય(ઇંધન-બાળવાયોગ્ય)નો નાશ કરી પોતાની મેળે નાશ પામવાના સ્વભાવવાળું તે પુણ્યાનુબંધી પુણ્ય છે. પુણ્યાનુબંધી પુણ્ય; પાપનો નાશ કરી પોતાની મેળે જ નાશ પામે છે. જ્યાં શાસ્ત્ર-પ્રતિપાદિત અર્થનો બાધ-વિરોધ થવાથી નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક એવો પુણ્યબંધ થાય છે ત્યાં દોષ છે. દશાવિશેષમાં કરાતા અનુકંપાદાનથી શાસ્ત્રાર્થનો બાધ થતો ન હોવાથી ત્યાં નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક એવા પુણ્યનો અભાવ હોવાથી કોઇ દોષ નથી. ।।૧-૧૭ના
આપવાદિક અનુકંપાદાનથી થનારા પુણ્યબંધથી ભોગની પ્રાપ્તિ પણ થતી નથી. અને તેથી ભવપરંપરાનો પ્રસંગ આવતો નથી, એ જણાવાય છે—
એક પરિશીલન
भोगातिरपि नैतस्मादभोगपरिणामतः ।
मन्त्रितं श्रद्धया पुंसां जलमप्यमृतायते ॥१- १८॥
भोगाप्तिरिति - भोगप्राप्तिरपि नैतस्मादापवादिकादनुकम्पादानाद् । अभोगपरिणामतो भोगानुभवोपनायकाध्यवसायाभावात् । दृष्टान्तमाह-मन्त्रितं जलमपि पुंसां श्रद्धया भक्त्या अमृतायतेऽमृतकार्यकारि भवति । एवं हि भोगहेतोरप्यात्राध्यवसायविशेषाद्भोगानुपनतिरुपपद्यत इति भावः ।।१-१८।।
આશય એ છે કે કા૨ણે (અપવાદે) કરાતા અનુકંપાદાન વખતે તેનાથી પ્રાપ્ત થનારા પુણ્યાનુબંધી એવા પુણ્યથી મળેલી ભોગસામગ્રીનો ભોગ કરવાનો પરિણામ - અધ્યવસાય ન હોવાથી ખરી રીતે ભોગની પ્રાપ્તિ વગેરે થતી નથી. મંત્રેલું જળ પણ શ્રદ્ધાને લઇને જીવોને
૨૧