Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३४०
[ અધ્યાત્મ અનુયોગ સહિત
વર્ગમૂળ ૧૬ થાય. ૨૫૬ = ૧૬. તેનું વર્ગમૂળ ૪ થાય. ૧૬ = ૪. તેનું વર્ગમૂળ ૨ થાય. ૫૪ = ૨. મતલબ કે ૬૫,૫૩૬ નું ચોથું વર્ગમૂળ જો ૨ થાય તો એક સિદ્ધ ભગવંતના સુખનું અનંતમું ૨ વર્ગમૂળ કેટલા નાના પ્રમાણમાં થાય ? તેમ છતાં તે લોકાલોકમાં સંપૂર્ણ આકાશમાં ન સમાય.
તો એક સિદ્ધ ભગવંતનું સુખ કેટલું વિશાળ હશે !
ધ્યા
=
હુ બાહ્ય ક્રિયામાં ગળાડૂબ તત્ત્વદર્શી ન હોય
સર્વ ક્રિયામાં ઉપરોક્ત જાગૃતિ વડે મૂર્રસ્વભાવનો ઉચ્છેદ કરીને સાધક મોક્ષમાં જાય છે. આ ગૂઢ તત્ત્વ છે. પરંતુ જે જીવ (૧) અધીરો હોય, (૨) અશાંત હોય, (૩) બેબાકળો હોય, (૪) મૂર્છા-મૃદ્ધિવાળો હોય, (૫) ક્ષુદ્ર સ્વભાવવાળો હોય, (૬) ઈષ્ટવિયોગાદિમાં દીન-રાંક હોય, (૭) ઈર્ષ્યાળુ હોય, (૮) પોતાના સ્વરૂપની જેને બિલકુલ ઓળખાણ જ ન હોય તેવો જીવ કદાચ ધર્મી બનવાની ઈચ્છા રાખે તો પણ માત્ર બહારની ક્રિયામાં જ તે ગળાડૂબ બને છે. ઉપર જણાવેલ ગૂઢ તત્ત્વને તે નથી જોતો કે નથી તો તેની શ્રદ્ધા કરતો. આ અંગે અધ્યાત્મસારની એક પંક્તિ ઊંડાણથી વિચારવા ॥ યોગ્ય છે. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે બાહ્ય ક્રિયામાં જ જેનું પોતાનું મન ખૂંચી ગયેલ હોય, તે ગૂઢ-રહસ્યભૂત તત્ત્વને જોતો નથી.' (૧૨/૩)
યો