Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 328
________________ ૬૨0 [અધ્યાત્મ અનુયોગ સહિત (૧૩) તેનાથી મહામોહનો દીકરો રાગકેસરી અત્યંત ખુશ થાય છે. નાટક પૂરબહારમાં આગળ વધે જ રાખે છે. ના નાટકમાં આત્મા ભાગ ભજવે નહિ જ (૧૪) અતિપ્રાચીન કાળથી સંચિત કરેલા આશાતનાના મલિન અનુબંધો, બહિર્મુખદશા, કુસંસ્કાર વગેરે સ્વરૂપ મૂલ્ય ચૂકવવાથી આ અનાદિકાલીન સંસારનાટકના જુદા-જુદા વિભાગમાં પ્રવેશ મળે છે. વિવિધ પ્રકારે પ્રવર્તતા આ સંસારનાટકમાં બહિરાત્મા ભળી જાય છે, ઓતપ્રોત થઈ જાય છે. પરંતુ હું તો બહિરાત્મદશા વગેરેથી ભિન્ન છું. હું મારા ચૈતન્યસ્વરૂપમાં જ વિશ્રા છું. કેવળ, વિશુદ્ધવિજ્ઞાનસ્વભાવી આત્મા છું. તેથી હું નાટકને ભજવતો નથી. તેમાં ભળતો નથી. પરંતુ કેવળ અસંગ સાક્ષીભાવથી તેને જોઉં જ છું. હકીકતમાં આત્માનો સ્વભાવ કાંઈ કરવાનો નથી. પણ જે જ્યાં જેવું છે, તેને ત્યાં તે સ્વરૂપે જાણવાનો આત્મસ્વભાવ છે. તેથી આ દૃષ્ટિએ આત્મા ભવનાટકમાં સ્વયં કોઈ પણ ભાગ ભજવતો નથી. કાયા, ઈન્દ્રિય, મન, કષાય, કામવાસના, કુવિકલ્પ વગેરે પરિણામો જ પલટાયે રાખે એ છે, જુદા-જુદો ભાગ (Role) ભજવે રાખે છે. તે પરિણામો અલગ-અલગ અવસ્થાને પામે રાખે છે. હું તો શુદ્ધનયદષ્ટિથી ક્યારેય બદલાતી દશાને પામતો નથી. કારણ કે હું કેવળ શુદ્ધ જ્ઞાયકસ્વભાવીDી ચૈતન્યસ્વભાવી છું.” દ્વાáિશિકાપ્રકરણવ્યાખ્યામાં દર્શાવેલ આ તાત્ત્વિક-સત્ય હકીક્તનું તે સ્વરૂપે પોતાના a અંતઃકરણમાં સંવેદન (અનુભવ) કરવા માટે નિર્લેપભાવથી આત્માર્થી સાધક ભગવાને સતત પ્રયાસ કરવો જરૂરી છે. આ રીતે આવો અનુભવ કરવો એ આત્માનો સ્વભાવ છે. દરેક સાધકે પોતાના 3. આ સ્વભાવમાં જ રહેવાનું છે. સાચી સમજણ મેળવવાની છે. તો જ પોતાનું સંસારનાટક વિરામ પામે. આ ચૌદ મુદાને સારી રીતે સમજવાથી-અનુભવવાથી ચૌદ રાજલોકના છેડે સિદ્ધ ભગવંતોના શું પરિવારમાં ઝડપથી પ્રવેશ મળે. સાધક ભગવાન ખુદ સિદ્ધ ભગવાન બની જાય. * સંસારનાટકને માત્ર જેનાર સાધક કર્મ ન બાંધે # જન્મ-જરા-મરણાદિમય, ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગાદિમય અને વિભાવ-વિકલ્પાદિમય એવા સંસારનાટકની અંદર (૧) “હું” પણાની બુદ્ધિ, (૨) “મારા' પણાની બુદ્ધિ, (૩) સારાપણાની બુદ્ધિ, (૪) પોતાના કાર્ય તરીકેની બુદ્ધિ, અર્થાત્ “હું આ કાર્યનો કર્તા છું' - આવી કર્તુત્વબુદ્ધિ, (૫) “આ મારા માટે ભોગ્ય છે. હું તેનો ભોક્તા છું' - આવી સ્વભોગ્યત્વબુદ્ધિ કે ભોફ્તત્વબુદ્ધિ, (૬) “આ વાસના-લાલસા વગેરે જ મારો સ્વભાવ છે' - આવી મલિનબુદ્ધિ, (૭) “કષાયાદિ મારું મૂળભૂત સ્વરૂપ છે'- આવી દુર્મતિ, (૮) “કષાયાદિ મારા ગુણધર્મો છે' - આવી કુટિલ બુદ્ધિ, (૯) “ષાયાદિ જ મારે સેવવા યોગ્ય છે, આચરવા યોગ્ય છે' - આવી કુબુદ્ધિ, (૧૦) “કામદેવ જ મારે ઉપાસના કરવા લાયક છે' - આવી દુર્બુદ્ધિ, (૧૧) “વિષય-કષાય જ મારા પરમ મિત્ર છે' - આવી કુમતિ, (૧૨) આ જ સાચું સુખ છે' - આવી સુખત્વબુદ્ધિ કે (૧૩) “આ જ સુખનું સાધન છે' - આવી સુખસાધન–બુદ્ધિ - આવી પૂર્વોક્ત ૩૫ પ્રકારની બુદ્ધિમાં આવતી તન્મયતા-એકરૂપતા-એકાકારતા એ મૂઢતા છે. એ મહામોહની પટરાણી છે. સાધક આવી મૂઢતાને છોડે છે. જે સાધક આવી મૂઢતાને છોડીને, સિદ્ધ ભગવંતની અદાથી કેવલ અસંગભાવથી ઔદયિકભાવમય સંસારનાટકને માત્ર જુએ જ છે, તેને નથી તો પાપ બંધાતું કે નથી તો ખેદ, ઉદ્વેગ, હર્ષ, શોક, આઘાત, પ્રત્યાઘાત વગેરે થતા. જેમ આકાશ મૂઢ (= મોહગ્રસ્ત)

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384