Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 327
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)] ૬૧૯ ‘તેને મેં આમ કર્યું હતું, તેમ કર્યું હતું - ઈત્યાદિરૂપે સ્વકાર્યવબુદ્ધિને મિથ્યાત્વ જન્માવે છે. મેં તેને આમ ભોગવેલ હતી, હવે આમ ભોગવીશ.' ઈત્યાદિ સ્વભોગ્યત્વબુદ્ધિને પણ તે કરાવે છે. “ભોગસુખની કલ્પનામાં રાચવું એ જ મારો સ્વભાવ છે, એ જ મારું સ્વરૂપ છે, મારો ગુણધર્મ છે, મારી ફરજ છે. મારા માટે એ જ સેવવા યોગ્ય, ભોગવવા યોગ્ય અને ઉપાસવા યોગ્ય છે. એ જ મારો વિશ્વાસપાત્ર, વફાદાર પરમ મિત્ર છે' - આવી દુર્બુદ્ધિને પણ મિથ્યાત્વ પેદા કરે છે. તે-તે વિજાતીય વ્યક્તિ, અનુકૂળ વસ્તુ આદિ મળવાની આશા, કલ્પના, સંકલ્પ વગેરેમાં સુખરૂપતાનું ભાન મહામિથ્યાત્વ કરાવે છે. મહામિથ્યાત્વનો ઉદય જ વિજાતીયની આકૃતિને ભૂલવાનું, તેના રાગને ભગાડવાનું કે તેને મેળવવાની આશાને ભૂંસવાનું કામ કરવા દેતો નથી. કારણ કે “મનમાં ભાસમાન તેવી વિજાતીય આકૃતિઓને ઉદેશીને થતો રાગ, તેને મેળવવાની આશા વગેરે જ સુખસાધન છે' - આવી દુર્બુદ્ધિને મિથ્યાત્વ પેદા કરે છે. વિશેષતા તો એ છે કે મિથ્યા આકૃતિ-રાગ-આશા વગેરેમાં જે સ્વત્વ-મમત્વ-સુંદરતા -સ્વકાર્યત્વ-સ્વભોગ્યત્વ-સ્વસ્વભાવત્વ-સ્વસ્વરૂપ~-“સ્વગુણધર્મ7-“સ્વસેવ્યત્વ-સ્વઉપાસ્યત્વ - સ્વમિત્રત્વ-સુખત્વ-સુખસાધન–ાદિ પ્રકારક પૂર્વોક્ત (જુઓ – પૃષ્ઠ ૬૦૫ થી ૬૦૮) ૩૫ પ્રકારની ૨૫ દુર્બુદ્ધિને મહામિથ્યાત્વ પેદા કરે છે, તે દઢ રુચિ-પ્રીતિથી ગર્ભિત હોય છે. તેથી તેને હટાવવાનું કામ આ ખૂબ મુશ્કેલ બની જાય છે. આ ખૂબ જ વિચિત્ર, ગંભીર અને નોંધપાત્ર બાબત છે. જ સંસારનાટકમાં કેવળ પુગલ જ નાચે છે . (૭) ત્યાર પછી કર્તૃત્વશક્તિ શારીરિક આદિ સામર્થ્યનું અતિક્રમણ કરીને તથા મર્યાદાને છોડીને, બહારમાં કામભોગાદિ પ્રવૃત્તિમાં ઔદારિકાદિ પુદ્ગલોને તથા અંદરમાં નિર્લજ્જ પશુચેષ્ટાના ભાવમાં આ મનોવર્ગણાના પુદ્ગલોને પ્રવર્તાવે છે અને નચાવે છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાંથી કેવલ પુદ્ગલો જ કર્મના લ આ નાટકમાં નાચી રહ્યા છે. આમથી તેમ સતત-સખત દોડધામ કરી રહ્યા છે. (૮) પુદ્ગલના આ નાચમાં ભોસ્તૃત્વશક્તિ બહિરાત્માને મિથ્યા-ખોટી રતિનો આભાસિક અનુભવ હો. કરાવે છે. તેથી બહિરાત્મા તે રતિની મીઠાશને માણવામાં ખોટી થાય છે, ચોટી જાય છે. (૯) આત્મસ્વભાવવિરોધી બળ સ્વરૂપ સહજમળ તેવી આભાસિક મિથ્યા રતિમાં તન્મયતા-લીનતા -મગ્નતાને લાવે છે. (૧૦) કામદેવ તેવી આભાસિક મિથ્યાતિને વિશે આવેલી તન્મયતાને અન્યાય, અનાચાર, દુરાચાર, વ્યભિચાર વગેરે પ્રવૃત્તિ દ્વારા દીર્ઘ કાળ સુધી પૂરેપૂરી તાકાત લગાવીને સ્વચ્છંદપણે વધારે જ રાખે છે, લંબાવે જ રાખે છે. મિથ્યાતિતન્મયતામાં તાદાભ્યબુદ્ધિને છોડીએ જ (૧૧) ઉપમિતિભવપ્રપંચા કથામાં તૃતીય પ્રસ્તાવમાં (પૃ.૯૪) વર્ણવેલ વિષયાભિલાષ મત્રીનું બીજું નામ ભોગતૃષ્ણા છે. તેના આદેશથી બહિરાત્મા = પુદ્ગલરસિકજીવ મિથ્યાતિની દીર્ઘકાલીન વર્ધમાન તન્મયતામાં સ્વરસથી સ્વૈચ્છિકપણે ભ્રાન્ત તાદાભ્ય-એકરૂપતા-એકાકારતા-એકરસતાને અનુભવે છે. (૧૨) ઉપમિતિભવપ્રપંચા કથામાં મહામોહના શરીર તરીકે અવિદ્યારૂપી યષ્ટિ (= લાકડી) બતાવેલ છે. ઉપરોક્ત તાદાભ્યઅનુભૂતિના લીધે મહામોહની અવિદ્યાયષ્ટિરૂપ કાયા પ્રત્યેક અંગમાં = અંશમાં કામવાસના વગેરેના દાવાનળથી અત્યંત વ્યાપ્ત થાય છે. અવિદ્યાયષ્ટિ સર્વ અવયવોમાં વાસના દાવાનળથી ભડકે બળે છે.

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384