Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 350
________________ ६४० રી, [ અધ્યાત્મ અનુયોગ સહિત જસ સેવા સુપસાયઈ સહજિં, ચિંતામણિ “મઈ લહિઉં; તસ ગુણ ગાઇ શકું કિમ સઘલા? ગાવાનઈ ગહગહિઓ રે I/૧૭/૧૦/l - (૨૮૩) હ. જસ સેવા = તેહની સેવા રૂપ જે સુપ્રસાદ, તેણે કરીને સહજમાંહે ચિંતામણિ શિરોમણિ રા નામે મહા ન્યાય શાસ્ત્ર, તે (મઈ = મેં) લહ્યો = પામ્યો. તસ ગુણ = તેહ જે મારા ગુરુ તેહના (સઘલાક) સંપૂર્ણ ગુણ એક જિહાએ કરીને કિમ ગાઈ સકાઈ? અને માહરું મન તો ગાવાને ગહગહી રહ્યું છે = આતુર થયું છઈ. ૧૭/૧૦ र यत्सेवाप्रसादेन चिन्तामणिशिरोमणिर्हि सुलब्धः। तदखिलगुणगाने मे शक्तिः कुतो गानरक्तस्य ?॥१७/१०।। જિક સંપૂર્ણ ગુરુગુણગાન અશક્ય છે શીકાંઈ - જેમની સેવા સ્વરૂપ પ્રસાદથી ચિંતામણિ-શિરોમણિ મને સારી રીતે મળ્યો. હું તો તેમના આ ગુણગાનમાં અનુરક્ત છું. પરંતુ તેમના તમામ ગુણોને ગાવાની મારી શક્તિ ક્યાંથી હોય !(૧૭/૧૦) ! તાત્વિક ગુરુકૃપાની ઓળખ છે આગાહી ય:- ગુરુ માત્ર માથે હાથ ફેરવે કે સારી સારી ગોચરી, કામળી વગેરે વસ્તુ આપણને આપે, માંદગીમાં આપણી સંભાળ કરે તે તાત્ત્વિક ગુરુકૃપા નથી. પરંતુ આપણે ગુરુ ભગવંતના ૨ ગુણનો અનુરાગ, ગુરુગુણાનુવાદ, ગુરુ ભગવંતની ભક્તિ, વિનય, બહુમાનાદિથી ગુરુદેવની ઉપાસના ત કરીએ તે જ તાત્ત્વિક ગુરુકૃપા છે. આવી ગુરુકૃપા થકી જ જટિલ શાસ્ત્રો સરળ બને છે. તેથી “ગુરુએ | મારા માટે શું કર્યું ?” તે વિચારવાના બદલે, “હું ગુરુદેવ માટે શું કરી શકું તેમ છું ?' - આવી વી વિચારણાને આપણા જીવનમાં કેન્દ્રસ્થાને ગોઠવી સદ્દગુરુની ઉપાસનામાં સદા લયલીન રહેવાની પાવન મ પ્રેરણા અહીં પ્રાપ્ત કરવા જેવી છે. સદ્ગુરુની ઉપાસનાના બળથી આવશ્યકનિયુક્તિવૃત્તિમાં શ્રીમલયગિરિ સૂરિજીએ જણાવેલ સર્વથા આઠ કર્મમલનો વિયોગ થવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૭/૧૦) પુસ્તકોમાં મેં પાઠ, સિ.+કો.(૯+૯+૭)માં “મિં” પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. આ.(૧)માં ‘ગાઉ કિમ' પાઠ.

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384