Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 343
________________ ૬૩૩ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૭/૪)]. તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતારથ ગુણ વાધ્યો રે; તસ હિતસીખ તણઈ અનુસારઈ, જ્ઞાનયોગ એ સાધ્યો રે ૧/૪ તે જે શ્રી ગુરુ, તેહનો ઉત્તમ ઉદ્યમ = જે ભલો ઉદ્યમ, તેણે કરીનેં ગીતાર્થ ગુણ વાધ્યો - गीतं जानन्ति इति गीतार्थाः, गीतं शास्त्राभ्यासलक्षणम्। (તસત્ર) તેહની જે હિતશિક્ષા, (તણઈ=) તેહને અનુસાર, તેહની આજ્ઞા માફકપણું, તેણે કરી એ જ્ઞાનયોગ તે દ્રવ્યાનુયોગરૂપ એ શાસ્ત્રાભ્યાસ સાધ્યો = સંપૂર્ણરૂપે થયો. ૧૭/૪ । तेषामुत्तमोद्यमाद् गीतार्थतागुणो वृद्धिं प्रगतः। तेषां हि हितशिक्षया ज्ञानयोग: साधितो मया।।१७/४।। तेषामुत्तमोटा परामर्शः - જ્ઞાનયોગસિદ્ધિ - લોકાથી - તે સદ્દગુરુઓના ઉત્તમ ઉદ્યમથી ગીતાર્થતા ગુણ વૃદ્ધિને પામ્યો છે. તેઓની જ હિતશિક્ષાથી મેં (= મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે) જ્ઞાનયોગ સાધ્યો છે. (૧૭૪) આ વર્તમાનકાળમાં ગીતાર્થ દુર્લભ 8 ઉપના :- મહાપુરુષો છેદગ્રંથોનો તથા દર્શનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરે તો તેમનામાં 5 એકાગ્રતા ગુણ વધે. તથા પરિણામી = ઉત્સર્ગ-અપવાદની સ્વસ્થાનશ્રદ્ધાવાળા સાધુઓને યોગ્યતા મુજબ છેદશાસ્ત્રોનો અને દર્શનશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ મહાપુરુષો કરાવે તો સાધુઓના જીવનમાં પણ ગીતાર્થતા થી ગુણ વધે. બાકી તો ગીતાર્થો દુર્લભ બની જાય. “ગીતાર્થદુર્લભ કાળ આવશે' - આ પ્રમાણે નિશીથભાષ્યમૂર્ણિમાં પણ જણાવેલ છે. તેથી યોગ્ય જીવોને યોગ્ય સમયે ગીતાર્થ બનાવવાની જવાબદારી પણ મહાપુરુષોના શિરે ૧૫ રહેલી છે. આ જવાબદારી સારી રીતે અદા થાય તો જિનશાસનનું તેજ વિષમ કલિકાળમાં પણ ભરપૂર વધે. આ રીતે અધિકારી જીવોને જિનશાસનનું તેજ વધારવાની પાવન પ્રેરણા આ શ્લોક કરે છે. જ યોગ્ય સાધુને દર્શનશાસ્ત્રાભ્યાસ માટે પ્રોત્સાહિત કરીએ , તથા સ્વયં દર્શનશાસ્ત્ર વગેરેનો અભ્યાસ વડીલજનો જો આશ્રિત જીવોને કરાવી શકતા ન હોય ગી તો તેવા સંયોગમાં પણ યોગ્ય સાધુને યોગ્ય સમર્થ પંડિત, વિદ્વાન સાધુ વગેરે પાસે દર્શનશાસ્ત્ર વગેરે ભણવા પ્રોત્સાહિત તો અવશ્ય કરવા જ જોઈએ. આવી પણ મંગલ પ્રેરણા આ શ્લોક દ્વારા અધિકારી છે? જીવોએ પ્રાપ્ત કરવી. આ રીતે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જણાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “સુખ મેળવવા માટે તો માત્ર મોક્ષ જ ઈચ્છનીય છે. કારણ કે તે (૧) જન્મ વગેરે ક્લેશોથી રહિત છે. (૨) ભયશક્તિથી પૂર્ણતયા મુક્ત છે તથા (૩) સદા પીડાશૂન્ય છે.” ઉપમિતિભવપ્રપંચા કથામાં શ્રીસિદ્ધર્ષિગણીએ અનુવાદરૂપે આ જ વાત કરેલ છે. ( ૧૪) શાં માં “ગુર્ણ” પાઠ. $ પુસ્તકોમાં ‘દ્રવ્યાનુયોગ' પાઠ પાલિ.નો પાઠ લીધો છે.

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384