Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 287
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૬/૭)] ૫૭૯ -સદ્ભાવ-સત્કાર-શ્રદ્ધાદિ ભાવોથી ગર્ભિતપણે કરવો જોઈએ. તેવો ઉદ્યમ આજ સુધી ન કરવાના લીધે ભાવલબ્ધિ મળી ન હોય તેવું પણ શક્ય છે. જીવને તેવી વર્ધમાન ભાવવિશુદ્ધિ (N) અથવા તો આગળ (પૃ.૫૮૬) જણાવવામાં આવશે તે ક્ષયોપશમલબ્ધિ વગેરે પાંચ લબ્ધિઓ ન મળી હોય તેથી પણ ગ્રંથિભેદકારક તેવી ભાવશુદ્ધિ આ જીવને ન મળી હોય તેવું પણ શક્ય છે. મિથ્યાત્વત્યાગ એ શ્રાવકનું પ્રથમ કર્તવ્ય અ તેથી કર્મસૈન્યને જીતવાની ઈચ્છાવાળા સાધકે નિદ્રા, તંદ્રા, પ્રમાદ વગેરે પૂર્વોક્ત (પૃ.૫૭૧) વિઘ્નોની પરવશતાને છોડીને, ગુરુવિનય-ગુરુભક્તિ વગેરેને આગળ ધરીને, આત્મજ્ઞાની સદ્ગુરુની પવિત્ર નિશ્રામાં, ગ્રન્થિભેદનું પ્રણિધાન દઢ કરીને, સંવેગ-વૈરાગ્ય-ઉપશમભાવ વગેરેથી ભીંજાતા અંતઃકરણથી અહીં બતાવેલ પંદર પ્રકારના અંતરંગ પ્રયત્ન સ્વરૂપ અધ્યાત્મયોગનો અભ્યાસ કરવા દ્વારા સૌપ્રથમ સમ્યક્ત્વને વિશે જ ઉદ્યમ કરવો જોઈએ. શ્રીચંદ્રપ્રભસૂરિજીએ દર્શનશુદ્ધિ પ્રકરણમાં જણાવેલ છે કે ‘કર્મસૈન્યને જીતવાને માટે જેનું મન તલસતું હોય તેણે સમ્યગ્દર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ.' અરે ! સાધુજીવનમાં તો શું ? શ્રાવકજીવનમાં પણ શ્રાવકધર્મના આચાર પાળતા પૂર્વે મિથ્યાત્વનો ત્યાગ જ સૌપ્રથમ મુખ્ય કર્તવ્ય તરીકે શાસ્ત્રકારોએ ઉપદેશેલ છે. તેથી જ શ્રાદ્ધવિધિ વ્યાખ્યામાં પ્રથમ પ્રકાશમાં જ જણાવેલ છે કે ‘સૌપ્રથમ મિથ્યાત્વને છોડવું. પછી રોજ યથાશક્તિ ત્રણ વખત, બે વાર કે એક વખત જિનપૂજા, જિનદર્શન, સંપૂર્ણ દેવવંદન અને ચૈત્યવંદના કરવી.' મતલબ કે જિનદર્શન-પૂજન -વંદનાદિ કરતાં પણ મિથ્યાત્વનો ત્યાગ વધુ મહત્વપૂર્ણ છે. ‘સુખ, શાંતિ વગેરે બહારમાં છે, પત્ની -પુત્ર-પરિવાર-પૈસા-પ્રસિદ્ધિમાં છે' - આવી મિથ્યા મતિ ટળે તો જ મિથ્યાત્વ ઓગળે તથા પોતાને અંદરમાં સહજ શાંતરસમય અનન્ત આનન્દનું વેદન થાય. ધ્યા CL = ઊ મિથ્યાત્વને કાઢવા માટે પાંચ સાવધાની રાખીએ ઊ યો છે. તેથી મિથ્યામતિને ટાળવા અને મિથ્યાત્વને ગાળવા-ઓગાળવા માટે (૧) રસપૂર્વક -પક્ષપાતગર્ભિત વિષયવાસનાનો તીવ્ર આવેગ, (૨) કષાયનો આવેશ, (૩) આક્રોશ (= ઈર્ષા, દ્વેષ, તિરસ્કાર વગેરે ભાવોથી પ્રેરાઈને સાચી-ખોટી હૈયાવરાળ કાઢવી), (૪) કદાગ્રહ (= કોઈ સમજાવે તો પણ પોતાની ખોટી પક્કડને વળગી રહેવાની કુટેવ) અને (૫) તારક સ્થાનની આશાતનાની પરિણતિ આ પાંચેય મલિન તત્ત્વોને પોતાના અંતઃકરણમાંથી બહાર કાઢવા માટે જ આત્માર્થી સાધકે સતત સ્વયં પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આ પાંચેય મલિન પર્યાયોની અંદરમાં કબજિયાત થયેલી હોય ત્યાં સુધી જપ, તપ, શાસ્ત્રાભ્યાસ, ચારિત્રાચાર પાલન વગરે ધર્મસાધના દ્વારા ઉત્પન્ન થતું પુણ્ય પણ પાપાનુબંધી જ બંધાય. દ્વાત્રિંશિકા પ્રકરણમાં “ખેદની વાત છે કે ત્યાં અવેઘસંવેદ્યપદમાં જે પુણ્યબંધ થાય છે, તે પણ ભવિષ્યમાં નુકસાન કરનારો છે - તેવું મહર્ષિઓને માન્ય છે” આ પ્રમાણે જે કહેલ છે, તેની પણ અહીં યોજના કરવી. મલિન પુણ્યની ભયાનકતાને સમજીએ તેવી મલિનાશયગર્ભિત ધર્મસાધનાથી પણ સત્ત્વ ગુણનો ઉદ્રેક-ઉછાળો-વધારો થતાં (૧) દેહબળ, (૨) વાણીબળ, (૩) મનોબળ, (૪) પુણ્યબળ, (૫) ધર્મોપદેશબળ, (૬) લેખનબળ, (૭) પ્રભાવકતાબળ, (૮) આત્મવિશ્વાસબળ, (૯) શિષ્યપરિવાર બળ વગેરે પ્રકૃષ્ટ થાય છે. પરંતુ જે આ બળ વધે છે, -

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384