Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૯૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત એહનઈ સુપસાઈ ઉભા જોડી પાણિ, સેવઈ નર-કિન્નર-વિદ્યાધર-પવિપાણિ; એ અમિય દૃષ્ટિથી જેહની મતિ સિંચાણી, તેમાંહિ ઉલ્લસઈ સુરુચિ વેલી કમાણી /૧૬/૪ (૨૭૦)
એહને સુપસાયઈ = એહના વાણીના પ્રસાદથી ઉભા પાણિ જોડી = હાથ જોડી (સેવઈ ) સેવા કરે છે. સેવામાં ભક્તિવંત નર તે ચક્રવર્યાદિક, કિન્નર તે વ્યંતરાદિ, વિદ્યાધરાદિક અને પવિપાણિ = ઈન્દ્ર પ્રમુખ કેઈ દેવતાની કોડા કોડી. એ અમૃતદૃષ્ટિથી જે ભવ્ય પ્રાણી બુદ્ધિવંતની મતિ સિંચાણી, તે મતિ નવ પલ્લવપણાને પામી, તેહમાંહે = તેહના હૃદયકમળમાંહે (ઉલ્લસઈ ) ઉલ્લાસ પામી. (સુરુચિ=) ભલી રુચિ રૂપ જે વેલી, આગે મિથ્યાત્વાદિસંસર્ગે કરમાણી હુંતી પણિ શુદ્ધ નૈયાયિકી વાણી સાંભળીને ઉલ્લાસ પામીઈ છઈ. ૧૬/૪ll
परामर्श:: एत
STEE
र एतत्कृपया पाणी पिधाय सेवते नरं पविपाणिः।
एतत्सुदृष्टिसिक्ता सुमतिानाऽपि सुरसाली।।१६/४।। શ્લોકાર્થ :- પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણીના પ્રસાદથી ઈન્દ્ર પણ બે હાથ જોડીને પ્રસ્તુત વાણીના પ્રકાશક એવા મનુષ્યની સેવા કરે છે. તથા કરમાયેલી સુમતિ = સન્મતિ પણ પ્રસ્તુત દ્રવ્યાનુયોગવાણીની - અમૃતદષ્ટિથી સિંચાયેલી સુરસાળ બની જાય છે. (૧૬)૪)
દ્રવ્યાનુયોગથી સન્મતિનો ઉદય જ આધ્યાત્મિક ઉપનય :- મિથ્યાત્વના સંપર્કથી સન્મતિનો નાશ થાય છે. અને દ્રવ્યાનુયોગના સંપર્કથી (1સન્મતિ અભ્યદયને પામે છે. તેથી “આત્માર્થી જીવે અત્યંત આદરપૂર્વક દ્રવ્યાનુયોગગોચર વાણીનો અભ્યાસ કરવામાં સદા લીન બનવું જોઈએ - આવી આધ્યાત્મિક સૂચના અહીં પ્રાપ્ત થાય છે.
સિદ્ધોનો આનંદ અસાંયોગિક છે છે આ સૂચનાને અનુસરવાથી આત્માર્થી સાધક પંચસૂત્રમાં જણાવેલ સિદ્ધસ્વરૂપને ઝડપથી મેળવે છે. ઓ ત્યાં જણાવેલ છે કે “તે સિદ્ધાત્મા (A) શબ્દશૂન્ય છે, (B) રૂપશૂન્ય છે, (C) ગંધશૂન્ય છે, (D) રસશૂન્ય,
(E) સ્પર્શશૂન્ય છે. તેમની સત્તા = વિદ્યમાનતા (૧) અરૂપિણી છે, (૨) અનિત્થસ્થસંસ્થાનવાળી છે, છે (૩) અનંતસામર્થ્યવાળી છે, (૪) કૃતકૃત્ય છે, (૫) સર્વપીડારહિત છે, (૬) સર્વથા નિરપેક્ષ છે, (૭)
સિમિત = સ્થિર છે, (૮) પ્રશાંત છે, (૯) અસાંયોગિક = સ્વાભાવિક આનંદસ્વરૂપ છે. તેથી જ તે આનંદ શ્રેષ્ઠ મનાયેલ છે.” (૧/૪)
આ.(૧)માં “સુરકિન્નર...' પાઠ. 8 લી.(૧)માં “પતિ
અશુદ્ધ પાઠ.