Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૩૯૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત
*અસદ્ભૂત વ્યવહારથી રે, છઈ ઉપચરિતસ્વભાવ; એ સ્વભાવ નયયોજના રે, કીજઈ મિન ધિર ભાવ રે ।।૧૩/૧૬॥
(૨૨૪) ચતુર.
અસદ્ભૂત વ્યવહારનયથી ઉપચરિતસ્વભાવ (છઈ). એ ભાવ (મનિ=) ચિત્તમાંહિં ધરી સ્વભાવ નયયોજના કીજઈ. *એ ભાવ ચિત્તમાંહિ ધરી મન ભાવનસહિત કીજે.* ૫૧૩/૧૬॥
परामर्शः
अभूतव्यवहाराद्ध्युपचरितस्वभावता ।
ર્વેનં હિ ધૃત્વા ત્તિ, સ્વમાવનયયોખનમ્।।૩/૬।।
→ ઉપચરિતસ્વભાવમાં નયપ્રવેશ )
શ્લોકાર્થ :- અસદ્ભૂત વ્યવહારનયથી જ ઉપચરિતસ્વભાવ સંમત છે. આ સ્વભાવસમૂહને હૃદયમાં ધારણ કરીને જ પ્રસ્તુત સ્વભાવોમાં નયોની યોજનાને તમે કરો. (૧૩/૧૬)
> નયયોજનાનું પ્રયોજન કે
આધ્યાત્મિક ઉપનય :- સામાન્ય-વિશેષ સ્વભાવોમાં પ્રસ્તુત નયયોજના ફક્ત વિદ્વત્તાની પ્રાપ્તિ માટે કે વિદ્વત્તાના પ્રદર્શન માટે નથી. તથા પોતાની પ્રસિદ્ધિ માટે પણ આ નયયોજના અહીં બતાવવામાં આવેલ નથી. પરંતુ પોતાના ભાવમનને એકાન્તવાદની મિથ્યા વાસનાથી મુક્ત કરી તેને ભાવના, સદ્ભાવના, સંવેદના, સંવેગ-વૈરાગ્યભાવ, સમર્પણભાવ, શરણાગતિનો ભાવ આદિથી વાસિત કરવા માટે એકવીસ ॥ સ્વભાવ સંબંધી નયયોજનાને દર્શાવેલ છે. આ રીતે શાસ્ત્રના પ્રત્યેક વચનોનો આધ્યાત્મિક ઉપયોગ કરી
2211
પોતાની આત્મપરિણતિને ઉજ્જવળ બનાવી આત્મવિશુદ્ધિના શિખરે આરૂઢ થવું જોઈએ. બાકી વ્યાકરણ-ન્યાય વગેરેથી જ સાધી શકાય તેવા પદાર્થોની તપાસ કરવામાં ગળાડૂબ થવામાં આવે તો શાસ્ત્રવચનો અને વ્યાકરણ -ન્યાયાદિસાધ્ય પદાર્થ વચ્ચે વાચ્ય-વાચકભાવ સંબંધ સિદ્ધ કરવામાં જ વ્યગ્ર થવાય. તથા તેવી વ્યગ્રતાથી તો શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં દર્શાવેલ શ્રુતજ્ઞાનના સીમાડામાં જ સાધક અટવાય. તેવા સંયોગમાં શ્રુતજ્ઞાન પછી થનારા ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન સુધી સાધક પહોંચી શકતો જ નથી. તેથી તેવી પરિસ્થિતિમાં · કદાગ્રહ, વ્યામોહ, મહત્ત્વાકાંક્ષા વગેરે આવર્તમાં (= વમળમાં) ડૂબવાનું દુર્લભ નથી રહેતું.
છે માત્ર શબ્દાર્થજ્ઞાનમાં ન અટવાઈએ છ
તેથી શાસ્ત્રસંબંધી વાચ્ય-વાચકભાવ સંબંધના સીમાડાને ઓળંગીને ચિંતાજ્ઞાનનું પરિશીલન કરવું. ‘મારો આત્મા કઈ રીતે વીતરાગતાને મેળવશે ? મારો આત્મા શુદ્ધસ્વરૂપે ક્યારે અનુભવાશે ?' - આ પ્રમાણે આત્મતત્ત્વસંબંધી ચિંતાજ્ઞાનનું પરિશીલન કરીને શાસ્ત્રકારના તાત્પર્યને આશયને પકડી,
• મો.(૨)માં ‘અદ્ભૂત' અશુદ્ધ પાઠ.
× પુસ્તકોમાં ‘ભાવો' પાઠ. કો.(૧)નો પાઠ લીધેલ છે.
ચિદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
=