Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
39
પૂજારીના પગાર અને શ્રાવકની જિનપૂજા અંગે શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે, તેનો સંગ્રહ કર્યો છે.
→ નવમા પરિશિષ્ટમાં....પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાના કહેવાતા મધ્યસ્થ સંઘ’ ઉપરના પત્રના નામે ચાલતા અપપ્રચાર અંગે અગત્યનો ખુલાસો કરવામાં આવ્યો છે અને મધ્યસ્થ સંઘના અગ્રણી શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીનો દેવદ્રવ્ય અંગેનો અભિપ્રાય આપેલ છે.
→ દસમા પરિશિષ્ટમાં....વિ.સં. ૨૦૪૪ના સંમેલનના અધ્યક્ષ પૂ.આ.ભ.શ્રી.વિ.રામસૂરીશ્વરજી મહારાજાનો (ડહેલાવાળાનો) સંમેલનની નિષ્ફળતા અંગેનો હૃદયદ્રાવક પત્ર આપેલ છે. તેનાથી વાચકોને વાસ્તવિકતાનો બોધ થશે.
→ અગીયારમા પરિશિષ્ટમાં....વિ.સં. ૨૦૪૪ના સંમેલનની જાણવા જેવી હકીકતો જણાવી છે. તેમાં પૂ.મુ.શ્રીરૈવતવિ.મ.સા., પૂ.આ.શ્રી. ચંદનસાગરસૂરિજી મ.સા. જાહેર નિવેદનો-પત્રો સંકલિત કર્યા છે.
→ બારમા પરિશિષ્ટમાં....“ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં પૂજ્યપાદ પ્રેમસૂરિદાદા આદિ પૂજ્ય વડીલોના પત્રો આપવામાં આવ્યા છે. તે અંગે અગત્યનો ખુલાસો કરવામાં આવ્યો છે અને તે વખતે જિનવાણી, વર્ષ૧૯-અંક-૧૫-૧૬-૧૭-૧૮માં જે ખુલાસા જાહેર થયા હતા, તેને ત્યાંથી ગ્રહણ કરી અહીં સંકલિત કરેલ છે.’
→ તેરમા પરિશિષ્ટમાં....શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ’ના ‘સત્તરમા ફાલના’ અધિવેશનમાં દેવદ્રવ્ય અંગે જે ઠરાવનં.-૩ થયો હતો, તે અહીં આપેલ છે. તેનાથી શ્રીસંઘોને દેવદ્રવ્યના વિનિયોગ અંગેનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.
→ ચૌદમા પરિશિષ્ટમાં....શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને શ્રીશંખેશ્વરજી પેઢીના બે પત્રો છે. તે બંને તીર્થોમાં આરતી-મંગલ-દીવાની થાળીમાં મૂકાયેલી રકમ દેવદ્રવ્ય ખાતે જમા થાય છે.
→ પંદરમા પરિશિષ્ટમાં....પૂ.આ.ભ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી