Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-~
રાજા પાસે જઈને કહેવા લાગ્યું કે, મારા પિતાને સંદેશ લઈને બે અનુ. ચરે મને બોલાવવા અહીં આવેલ છે. આથી હું મારે ઘેર જવા ઈચ્છું છું. અગડદત્તની વાત સાંભળીને રાજાએ કહ્યું-આપ ખુશીથી જાવ પરંતુ ફરીથી કેઈવાર અહીં આવવાને આપને હું આગ્રહ કરું . કેમ કે, આપની હાજ. રીથી અમને બધાને ઘણુંજ આનંદ થાય છે. રાજાની આજ્ઞા મળતાં અગડદત્ત જવાની તૈયારી કરવા લાગ્યો. રાજાએ તેની સાથે પોતાની પુત્રીને પણ મોકલી. અને અગડદત્ત કુમારને ઘણા વસ્ત્ર, આભૂષણે આપી વિદાય આપી.
અગડદત્ત જ્યારે નગર છોડયું ત્યારે તેને મદનમંજરીને સાથે લેવાની વાત યાદ આવી. તેણે એ વખતે સઘળા સિનિકોને ત્યાં જ ખડા રહેવાનો હુકમ આપી, પિતે એક રથમાં બેસીને નગરમાં પહોંચી ગયો અને પિતાના એક સેવકને મદનમંજરીની દાસી પાસે મોકલ્યો. દાસીએ સેવકની વાત સાંભળીને મદનમંજરી પાસે જઈને કહ્યું –બાઈ સાહેબ! અગડદત્તકુમાર શંખપુર જાય છે, સઘળી સેનાને નગરની બહાર ઉભી રાખી એક રથ લઈને તમને બેલાવવા માટે ખાસ આવ્યા છે. દાસીની આ વાત સાંભળી મદનમંજરી ખૂબ આનન્દ પામી અને ક્ષણ પણ ન વિતાવતાં તરત જ પોતાની એક સખીને સાથે લઈને તે કુમાર અગડદા પાસે આવી પહોંચી. અગડદત્ત તેને રથમાં બેસાડીને રથ દડા અને જ્યાં પિતાની સેના ખડી હતી ત્યાં સૌ આવી ગયા.
રથ આનંદ પૂર્વક તીવ્ર ગતીથી ચાલી રહ્યો હતે. સિનિક પણ આગળ પાછળ ચાલી રહ્યા હતા. ચાલતાં ચાલતાં તેઓ એક જંગલના માર્ગમાં આવી પહોંચ્યા. ત્યાં અગડદને સામેથી ઘણા ભીલેને આવતા જોયા. ભીલોએ આવીને અગડદત્તના સિનિકે ઉપર હલ્લો કર્યો. પરસ્પર યુદ્ધ જામ્યું. ભીલોએ અગડદત્તની સનિકને ખૂબજ બૂરી રીતે હરાવ્યા. ભાગી છુટેલા તે રાજપુરૂષ કમળસેનાને લઈને બીજા રસ્તે થઈને શંખપુર જવા રવાના થયા. જ્યારે રથમાં બેઠેલા અગડદત્તકુમારે પોતાના સૈનિકોની આ હાલત જોઈ ત્યારે તેને ખૂબ જ ક્રોધ ચઢયો અને જાતે જ આગળ આવી તે ભીલોની સામે યુધ્ધે ચઢયે. અને બાણવૃષ્ટિથી ભલેને નસાડી દીધા. ભીલ સરદાર પિતાના માણસેને નાસભાગ કરતા જોઈ કે પાયમાન થયા, અને આવેશમાં આવીને નિષ્ફર વચન બેલતાં બેલતાં અગડદત્ત કુમારને યુદ્ધ માટે પડકાર કર્યો. એકદમ તે તેની સામે આવીને ઉભે. બન્ને વચ્ચે યુધ્ધ થવા લાગ્યું. એક બીજા બાણને વરસાદ વરસાવવા લાગ્યા, એક બીજા સાથે બાણે અથડાવાથી અગ્નિ એ તો ઝરતે હતો કે જાણે વગર વરસાદે વીજળી ચમકી હોય. તેમના ધનુષ્ય કારોથી જંગલના પશુઓ પણ વિહવળ બની રહ્યા હતાં. બાણ એક બીજા ઉપર અવિરત રીતે છેડાઈ રહ્યાં હતાં. અને આકાશમાં એ બાણો મંડપની માફક છવાઈ ગયાં હતાં. લડતાં લડતાં અગડદને જોયું કે આ શત્રુને બળથી હરાવ મુશ્કેલ છે, ત્યારે પિતે શીઘ વિચારક હોવાથી તેને કપટ દ્વારા હરાવવાનો વિચાર કર્યો, પિતાને બૂહ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૯