Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારના વિચાર કરતા કરતા તે રાજાની પાસે આન્યા. આવતાં જ રાજાએ તેને એક સુંદર આસન બેસવા માટે આપ્યું, અને અમૃતમય વચનેથી તેની સાથે વાર્તાલાપ કરવા માંડયેા. વાર્તાલાપ દરમ્યાન રાજાએ તેને કહ્યું “તમારી મહેન મને આપે ” રાજાના પ્રસ્તાવ સાંભળીને મડકે વિચાર્યું' કે, મારી બહેનને આ કયાંથી જાણે? કેમકે જેટલી વ્યક્તિએ મારે ઘેર આવી છે એ બધી યમપુર પહેાંચાડી દેવાઈ છે. ત્યાંથી કાઈ ખહાર નીકળી શકતુ નથી. માલુમ પડે છે કે ગઇ કાલની ભાગેલ વ્યક્તિ તે આ રાજા પાતે જ છે. જ્યારે આ વાતની તેના મનમાં પાકી ખાત્રી થઈ ત્યારે તેણે રાજાને કહ્યું. સ્વામિન્ ! ખુશીથી હું આપને મારી બહેન આપું છું', માંડકની આ વાત સાંભળીને રાજાએ તેની રૂપ લાવણ્ય ચુક્ત એવી બહેન સાથે લગ્ન કર્યું' અને સડકને પ્રધાન મંત્રીના પદ્મ ઉપર નિયુક્ત કરી દીધા. એક દિવસ રાજાએ મડક મંત્રીને કહ્યુ. આજે દ્રવ્યની ખૂબજ જરૂર પડેલ છે માટે જેટલું બને તેટલું લાવી આપો. મત્રીએ રાજાની વાત સાંભળીને પેાતે આગળ ચારીયેાથી સ ંઘરેલું એવું પુષ્કળ ધન લાવી આપ્યું. મન્ત્રીની ઉદારતા જોઈને રાજા ઘણુંાજ પ્રસન્ન થયા અને તેનું બહુમાન કર્યું. આ રીતે રાજાએ કુનેહથી તેની પસેથી ચારીથી એકઠું કરેલું દ્રવ્ય મગાવી લીધું. એક દિવસ રાજાએ તે ચારની બહેનને પૂછ્યું કે, તમારા ભાઈ પાસે હવે કાંઈ રહ્યુ છે? ત્યારે તેણે કહ્યુ' હવે આ ઉપરાંત કાંઈ ધન તેની પાસે નથી. મ`ડક ચારની મહેન પાસેથી રાજાએ બધું જાણી લીધું, પછી જેને જેને ત્યાં ચારી થઈ હતી તે નગર જાને ખેલાવ્યા અને સરકારી રીપોર્ટમાં જણાવેલ ચારી પ્રમાણે દરેકને તેમનું ધન રાજાએ આપી દીધું. પછી એ સડક મંત્રીને તેના પદેથી દૂર કરીને રાજ સેવકા દ્વારા પ્રાણાંત દંડની શિક્ષા આપી, પાપ કરવાવાળાને કદી સુખ મળી શકતુ નથી, આ કથાથી એ સમજવાનું મળે છે કે, જે પ્રકારે મૂળદેવ રાજાએ સડક ચાર પાસેથી તેણે ચારેલું સઘળું દ્રવ્ય ન લઈ લીધું ત્યાં સુધી તેને મન્ત્રી પદ ઉપર રાખ્યો અને તેની રક્ષા કરી. આ રીતે મુનિએએ વિચારવું જોઈએ કે, જ્યાં સુધી તેમને નિરાના લાભ મળતા રહે ત્યાં સુધી આ શરીર કે જે અનેક દાષાથી ભરેલ છે તેનું તેએ રક્ષણ કરતા રહે, અને એના અભાવમાં તેના પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિત્યાગ કરી દે. ॥ ૭॥ ૫ આ રીતે મૂલદેવ રાજાનું દૃષ્ટાંત સપૂર્ણ થયું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૪૦