Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને સઘળાની સાથે સ્પૃશ્યાસ્પૃશ્યને વિચાર કર્યા વીના એકતાનમાં ગાતાં નાચતાં અહીં તહીં ફરી રહ્યા છે. એમની આ પ્રકારની સ્વચ્છેદ પ્રવૃત્તિથી વર્ણાશ્રમની વ્યવસ્થા નષ્ટપ્રાય થઈ રહી છે. આથી આપનું એ કર્તવ્ય છે કે, આપ વ્યવસ્થાને યથાવત કાયમ રાખવા માટે એને લેપ કરનાર એ બંને ભાઈઓને શિક્ષા કરે. ગાયકમંડળીની આ વાત સાંભળીને રાજાએ તે બંને ભાઈઓને પિતાના નગરમાંથી કાઢી મૂક્યા. કેટલાક સમય પછી નગરમાં કૌમુદિમહોત્સ હોવાના સમાચાર ચિત્ર અને સંભૂતને મળ્યા. આ સમાચાર સાંભળીને તેઓ એ ઉત્સવ માણવાના લાભને રોકી ન શક્યા. અને રાજાની આજ્ઞા ભૂલી જઈને એ ઉત્સવમાં ભાગ લેવા માટે તેઓ વારાણસી નગરીમાં આવ્યા. નગરીમાં આવીને તેમણે પિતાના મોઢાં સફેદ વસ્ત્રોથી ઢાંકીને એક તરફ ઉભા રહીને ઉત્સવને જોવા લાગ્યા. એ વખતે ત્યાં શાનદાર રીતે સંગીત ચાલી રહ્યાં હતાં. એ સાંભળતાંની સાથે જ રસની પ્રકર્ષતાથી સ્વભાવતઃ તેમના મોઢામાંથી આપ આપ સંગીત વહેવા માંડયું. શ્રતિમધુર અને હૃદયદ્રાવક એમનાં ગીતને સાંભળીને એ ઉત્સવમાં આવેલ સઘળી જનતા આશ્ચર્યચકિત બનીને તર્કવિતર્ક પૂર્વક વિચારવા લાગી કે, અહે! કૃતિરસાયન સ્વરૂપ અને સમસ્ત ઈદ્રિના વ્યાપારને રેકનાર આ ગાયન કેણ ગાઈ રહેલ છે ? શું આ ગાનાર કઈ કિન્નર છે કે ગંધર્વ છે? કે કોઈ અસર ગાઈ રહી છે? સૂરની દિશામાં ખેળ કરતાં લેકે એ વસ્ત્રથી મોઢાને ઢાંકીને ઉભેલા એ બને માતંગ કુમારોને જોયા. જોતાંજ લેકેએ તેમના મુખ ઉપર ઢાંકેલા વસ્ત્રને ખેંચીને ફગાવી દીધાં. મોઢા ઉપરનું વસ્ત્ર દૂર થતાં લોકોએ તેમને ઓળખી લીધા. ઓળખતાંવેંત જે સંગીત તેમના હૈયાંને હીલોળે ચઢાવતું હતું ત્યાં રાગનું સ્થાન કે જમાવ્યું, પ્રેમનું સ્થાન ઈર્ષાએ લીધું આમ એકાએક લેકમાનસમાં પરિવર્તન થનાં લેકેએ તેમના ઉપર આકમણ કર્યું. કેઈ મુઠી વડે તે કઈ લાતેથી, તેમને માર મારવા લાગ્યા. માર એટલી હદે પડયો કે બનતેના શરીર તદ્દન શબવત નિજીવ જેવાં થઈ ગયાં અને ધરણી ઉપર ઢળી પડયા. સહૃદયતાને સ્થાને દૌમનસ્યને ભાવ જાગી ઉઠયે હતો. લેકેએ એમ માન્યું કે તેમણે રાજ્યઆજ્ઞાનો લોપ કર્યો છે તેમજ રાજ્યશાસનના એ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૫૧