Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગાથા દ્વારા સૂત્રકાર પ્રગટ કરે છે.–“તેં પુછવળ”—ઈત્યાદિ..
અન્વયાર્થ–પુજા -પૂર્વનેÈન પૂર્વભવના સ્નેહના પુcri-ગ્રતાનું નામ અનુરાગને આધીન બનેલા અને મrળેલુ નિદ્ર-જામકુળપુ પૃદ્ધF મને શબ્દાદિક વિષયમાં લોલુપ બનેલા એવા તે નાદિવ-તં નrવિપક્ ચક્રવતી બ્રહ્મદત્તને ધરિણ-પશિતા ધર્મ માર્ગ ઉપર આરૂઢ બનેલા અને તાદિશાબ્દિ-સાથે દિતાનુશિ ચક્રવતીના હિતના અભિલાષી એવા પિત્તો-રિત્ર ચિત્રના જીવ મુનિરાજે આ પ્રકારે કહ્યું છે ૧૫
મુનિરાજે ચકવતીને જે કહ્યું તે કહે છે–“સબં”-ઈત્યાદિ.
અન્વયાર્થ–હે ચક્રવતી ! વ્યં-સર્વક સાંભળો જીવંતનૂ ગીત મારી દષ્ટિમાં વિવિદ્ય-વિપિત વિલાપ તુલ્ય છે તથા સવૅ ન-સમ ના સઘળા નાટક વિટંબણા રૂપ છે. અને જે સમાજમાર-સવળ સામાનિ મારા સઘળા આભરણે ભાર તુલ્ય છે. વધુ શું કહું? જો રામા સુણાવ-સર્વે જામા સુવાવë સઘળા ઈન્દ્રિયોના વિષય મને તે દુઃખદાયક જ દેખાય છે. જે પ્રમાણે ઉન્મત્ત અને બાળક વગેરેને ગીત શિક્ષા વિહીન હોવાને કારણે વિલાપ જેવાં લાગે છે તથા જે પ્રકારે વિધવા સ્ત્રીને પિતાના મૃત્યુ પામેલા પતિના ગુણેનું સ્મરણરૂપ ગીત વિલાપ તુલ્ય હોય છે એ જ રીતે મેક્ષના અભિલાષી મુનિની દૃષ્ટિમાં ગીત પણ એક પ્રકારનાં વિલાપ જેવાં જ માલુમ પડે છે. યક્ષથી અવિષ્યભૂત થયેલ મનુષ્યને તથા મદ્યપાન કરેલ વ્યક્તિને અંગેને વિક્ષેપ જે પ્રમાણે એક પ્રકારની વિટંબણાથી પૂર્ણ માનવામાં આવે છે એ જ રીતે નાટક પણ મુનિની દૃષ્ટિમાં એવાં જ માલુમ પડે છે. આભરણને ભલે બહિરાત્મા જીવ આભૂષણ રૂપ માને પરંતુ જે અન્તરાત્મા જીવ છે એને તે એ ભારરૂપ જ જણાય છે. તથા શબ્દાદિક વિષય તૃષ્ણાને વધારનાર હેવાથી એક પ્રકારે દુઃખરૂપ જ છે. આથી ચિત્રના જીવ મુનિરાજે ચક્રવર્તીને સમજાવ્યું કે, તમે એને કઈ રીતે સારા સમજીને મને અંગીકાર કરવાનું કહી રહ્યા છે? આના ઉપર એક કથા આ પ્રમાણે છે –
અંગદેશમાં મણીપુર નગરમાં ધનધાન્યાદિકથી પરિપૂર્ણ તથા ખૂબજ વિનીત એવા સુદર્શન નામે શેઠને એક પુત્ર રહેતા હતા. સુદર્શનની પત્નીનું નામ ચંદ્રકલા હતું. એ જેવું નામ હતું તેવી જ ગુણસંપન્ન હતી. કળાઓમાં ખૂબજ ચતુર હતી. એના શરીરનાં પ્રત્યેક અવયવ સૌંદર્ય અને લાવણ્યથી ભરપૂર હતાં. એક સમયની વાત છે કે, ચંદ્રકલાને તેની સાસુએ કે જે એ વખતે બીજા કેઈકામમાં ગુંથાયેલ હતી તેણે કહ્યું, વહુ ! મકાનની અંદરથી શિલાપુત્રકને લઈ આવે. ચંદ્રકળાએ સાસુનાં વચન સાંભળીને કહ્યું કે, માતાજી! શિલાપત્રકનું વજન તે ઘણું છે આથી તે મારા એકલાથી ઉપડી શકે તેમ નથી. જયારે ચંદ્રકળા આ પ્રમાણે કહી રહી હતી કે, એજ સમયે તેને પતિ કયાંકથી ત્યાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૯૮