Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અગડદત્ત જ અહીં સુઈ રહ્યો છે, અને પિતે હાથમાં તલવાર લઈને એ ઝાડની પાછળના ભાગમાં જઈ છુપાઈ ગયે. જ્યારે બીજા મજુરો ઘર નીદ્રામાં પડયા હતા ત્યારે તે જગી ઉઠો અને ઉઠીને એકી શ્વાસે તેણે તલવારથી સુતેલા બધાનાં માથાં કાપી નાખ્યાં પછી અગડદત્તને મારવા માટે તે જ્યાં વૃક્ષની ડાળ કપડાથી ઢાંકેલ હતી ત્યાં આવ્યા. ગીએ
અહિં અગડદત્ત સુઈ રહ્યો છે. ” એમ માનીને તે વૃક્ષની ડાળ ઉપર તલવારને ઘા કર્યો અને કહેવા લાગ્યું કે, મેં અગડદત્તને મારી નાખ્યો, મારી નાખ્યો. મારી ના એટલામાં અગડદત્ત પ્રત્યક્ષ ખડા થઈને કહ્યું કે, નહીં અગડદત્ત જીવે છે, જીવે છે, જીવે છે. આમ કહીને અગડદત્તે પિતાની તલવાર એવી યુક્તિ પૂર્વક તે જોગીની ઉપર ફેકી કે જેનાથી જેગીના બનને પગ કપાઈ ગયા. બન્ને પગ કપાઈ જતાં તે જોગી ત્યાં જ પડી ગયે. પડતાંની સાથે જ તેણે રાજકુમાર અગડદત્તને કહ્યું, વત્સ ! હું ભુજગ નામને ચાર છું. અહીં સ્મશાનમાં પશ્ચિમ દિશા તરફ પાતાળ ગ્રહ છે. ત્યાં વીરમતી નામે મારી એક બહેન રહે છે. જે હજુ સુધી અવિવાહિત છે. તમે આ વડનાં મૂળ ઉપર ઉભા રહીને તેને તેનું નામ લઈ બેલાવજે પિતાનું નામ સાંભળતાં જ તે દરવાજો ખેલશે અને તમારે આદરસત્કાર કરી તેમને પરણશે.
મરતા સમયે ચેરે કહ્યા પ્રમાણે અગડદત્ત કુમાર તે વડવૃક્ષના મૂળની પાસે ગયો અને વીરમતીને સાદ પાડવા લાગ્યા. વીરમતીએ પિતાનું નામ સાંભળીને તુરત જ પાતાળગૃહને દરવાજે છે અને અગડદત્તને તે અંદર લઈ ગઈ અંદર લઈ જઈને તેણે અગડદત્તને એક સુંદર શમ્યા – પલંગ ઉપર બેસાડો અને પછી પોતાના ભાઈનું વૃત્તાંત પૂછવા લાગી. અગડદ તેના ભાઈનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. અને તેણે આપેલી તલવાર તેને વિશ્વાસ બેસે એ માટે બતાવી. “હું આપને માટે ચંદનાદિક લઈ આવું ત્યાં સુધી આપ અહીં બેસે” એવું કહીને તે ત્યાંથી ઉભી થઈ.
તેના ગયા પછી અગડદત્ત વિચાર કર્યો કે, આ ચોરની બહેનનો મારે એકદમ વિશ્વાસ ન કરવો જોઈએ કેમકે, “ઘોર મુદ્દત્તા વરું સરી” એ વિચાર કરીને તેણે તે શય્યા છોડી દીધી અને ત્યાંથી ઉઠીને તે ભીંતના આધારે દીવાની નીચે જઈને ઉભે રહ્યો. વીરમતીએ ઘરની ઉપરની છત ઉપર જઈને યંત્રની સહાયતાથી શય્યાની ઉપર એક માટી ભારે શીલા નાખી. શીલા પડવાથી તે શય્યાના ચૂરેચૂરા થઈ ગયા. વીરમતી બેલીકે, “મારા ભાઈના ઘાત કરનારને મારી નાખ્યો ” આ સાંભળીને અગડદત્તને ખૂબ જ ક્રોધ ચડે. વીરમતી નીચે આવતાંની સાથે જ તેને ચેટ પકડીને અગડદત્તે કહ્યું-હે પાપણી ! હું તે મર્યો નથી જીવતે છું પણ તું જે સ્ત્રી ન હેત . આજે હ તારા ટુકડા કરી નાખત. એવું કહીને પ્રાત:કાળ થતાં વીરમતીને પકડી તેના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨ ૭