Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાઈ ચેરનું મસ્તક કાપી લઈને તે રાજા સમક્ષ હાજર થયે. આ બાજુ એ સમયે રાજા ક્રોધના આવેશમાં સિંહાસન ઉપર બેઠેલ હતો અને વિચાર કરી રહ્યો હતો કે, “આજે આઠમો દિવસ છે માટે અગડદત્તને આજે પ્રાણાન્ત દંડ આપીશ.” આટલામાં ચારનું માથું હાથમાં લઈને અગડદત્તને આવતે જોઈને રાજા ખૂબ હર્ષિત થયે. અગડદત્તે રાજાને સઘળી બીના કહી સંભળાવી. વૃત્તાંત સાંભળીને રાજાએ તે ભૂમિગૃહમાંથી સઘળું દ્રવ્ય મંગાવીને જે જેનું હતું તે દ્રવ્ય સઘળા લોકોને આપી દીધું અને વીરમતીને જીવતી છેડી દીધી. અગડદત્તના વીરતા ભરેલા આ કાર્યને જોઈને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું અને પ્રસન્ન થઈને રાજાએ કમળસેના નામની પોતાની પુત્રી તેની સાથે પરણાવી. અગડદત્ત રાજાને જમાઈ બને, રાજાએ દહેજમાં સો હાથી, એક હજાર ગામ, દસ હજાર ઘોડા, એકલાખ સિનિકે આપ્યા, સાથોસાથ સાત માળનો એક મહેલ પણ આપે. અગડદત્ત કુમાર ત્યાં પોતાની પત્ની કમળસેના સાથે રહેવા લાગ્યા. રાજા સમય સમય ઉપર તેનું સન્માન કરવા લાગ્યા. નગરવાસીએ પણ અગડદત્ત કુમારને દરેક પ્રસંગે દરસત્કાર કરવામાં કાંઈ કમી નહોતા રાખતા. આ રીતે રાજા અને પ્રજાજનોથી સત્કાર પામીને તે સુખપૂર્વક ત્યાં સમય વ્યતિત કરવા લાગ્યો.
આ પ્રમાણે અગડદત્ત આનંદપૂર્વક પિતાના મહેલમાં દિવસે વ્યતિત કરતે હતે. એક દિવસ તેની પાસે શેઠની એક દાસી મદનમંજરીને સંદેશ લઈને આવી અને કહેવા લાગી કે, મને આપની પાસે મદનમંજરીએ મોકલી છે તે આપને ખૂબ યાદ કરે છે અને આપના વિરહથી ઘણી જ દુખી છે, આપની આશાએ જીવન ટકાવી રહી છે. દાસીની વાત સાંભળીને અગડદત્ત કુમારે કહ્યું કે, હે દાસી ! તમે જઈને મદનમંજરીને કહે-હું જ્યારે અહીંથી શંખપુર જઈશ ત્યારે તેને સાથે લેતે જઈશ. આજદિન સુધી તમે જે રીતે દિવસે વ્યતિત કર્યા તે રીતે થોડા વધુ દિવસ શાંતિ રાખજો સૌ સારાં વાનાં થશે
ત્યાં જવામાં હવે ઝાઝા દિવસની વાર નથી. દાસીએ ઘેર આવી અગડદત્તનો સંદેશો મદનમંજરીને સંભળાવ્યું. પિતાની આશા નજીકના ભવિષ્યમાં ફળશે જાણું મદનમંજરી હર્ષથી રોમાંચ અનુભવવા લાગી.
આમ દિવસો વીતતાં એક દિવસ હાથી ઉપર બેસીને બે અનુચર અગડદા પાસે આવ્યા અને તેમના પિતા તરફથી મેકલેલે સંદેશે કહ્યો. માતા પિતાના કુશળવર્તમાન પૂક્યાબાદ અગડદત્તે તે અનુચરોના આવવાનું પ્રજન પૂછયું આવનાર સેવકેએ કહ્યું કે, આપના માતા પિતા સર્વે કુશળ છે પરંતુ આપના વિરહની વેદના તેમને સતાવી રહી છે આથી અમે આપને લેવા માટે આવ્યા છીએ. આ સમાચાર સાંભળીને અગડદત્તના ચિત્તમાં ઘણે ઉદ્વેગ થયો અને માતા પિતાના દર્શન કરવા તેનું ચિત્ત અધીરૂં બન્યું. ઉત્કંઠાના આવેશમાં અગડદત્તકુમાર તેજ વખતે પિતાના સાસરા ભુવનપાળ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૮