Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પર્યાયાત્મક વસ્તુ જ વસ્તુ છે, સત્ છે, પ્રમાણનો વિષય છે. (૩૩) 134. છત્તમાર્ક
તમર્થપ્રવાશે: રૂઝ 134. આચાર્ય પ્રમાણનું ફલ કહે છે–
પ્રમાણનું ફલ અર્થનો પ્રકાશ છે. (૩૪) 135. “પ્રમાણ્યિ' રૂતિ વર્તતે, પ્રમાણે “નમ્' ‘ર્થપ્રાઃ ” अर्थसंवेदनम्: अर्थार्थी हि सर्वः प्रमातेत्यर्थसंवेदनमेव फलं युक्तम् । नन्वेवं प्रमाणमेव फलत्वेनोक्तं स्यात्, ओमिति चेत्, तर्हि प्रमाणफलयोरभेदः स्यात् । ततः किं स्यात् ? प्रमाणफलयोरैक्ये सदसत्पक्षभावी दोष: स्यात्, नासतः करणत्वं न सत: फलत्वम् । सत्यम्, अस्त्ययं दोषो जन्मनि न व्यवस्थायाम् । यदाहुः -
"नासतो हेतुता नापि सतो हेतोः फलात्मता । इति जन्मनि दोषः स्याद् व्यवस्था तु न दोषभाग् ॥” इति ॥३४॥
135. પ્રમુખસ્થ(પ્રમાણનું) પદ આગળ આવી ગયેલા સૂત્રમાંથી અહીં ચાલ્યું આવે છે. પ્રમાણનું ફલ અર્થપ્રકાશ અર્થાત્ અર્થનું જ્ઞાન છે. બધા પ્રમાતાઓ અર્થને ઇચ્છે છે એટલે અર્થનું જ્ઞાન પ્રમાણનું ફળ છે એમ માનવું યોગ્ય છે.
શંકા-[જ્ઞાન જ પ્રમાણ છે અને જ્ઞાનને જ ફળ માન્યું.] આમ પ્રમાણ પોતે જ ફળ કહેવાશે.
સમાધાન–હા, ખરી વાત. એમ જ છે. શંકા–તો પછી પ્રમાણ અને ફળનો ભેદ નહિ રહે, તેમનો અભેદ થઈ જશે. ઉત્તર–તો તેથી શું થાય?
શંકાકાર–પ્રમાણ અને ફળનો અભેદ માનતાં સકારણ) અને (ઉત્પત્તિ પૂર્વે) અસતુ(કાર્ય)ના અભેદના પક્ષમાં આવતા બધા દોષો આવે. [સત્ કરણ અસતુ ફળને ઉત્પન્ન કરે છે. તે બન્નેનો અભેદ હોતાં કરણ પણ અસતુ બને અને ફળ પણ સત્ બને.] પરંતુ જે અસત્ હોય તે કરણ હોય નહિ અને જે (ઉત્પત્તિ પૂર્વે) સત્ હોય તે ફળ હોય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org