Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૨૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા કરી નાખ્યા (નન્દીસૂત્ર, ૩) જે બેમાંથી એકમાં ઉમાસ્વાતિકથિત અવધિ વગેરે મુખ્ય પ્રત્યક્ષ રહ્યા અને બીજામાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનો પણ પ્રત્યક્ષરૂપે રહ્યા. બીજું તત્ત્વ એ છે કે જેને દર્શનાન્તર આગમ પ્રમાણ કહે છે તે વસ્તુતઃ શ્રુતજ્ઞાન જ છે અને તે પરોક્ષ પ્રમાણમાં સમાવિષ્ટ છે.
જો કે આમિક જ્ઞાનચર્ચા ચાલતી રહી તો પણ જૈન વિચારપ્રક્રિયામાં તાર્કિકતા જોર પકડવા લાગી. તેનું ફળ ન્યાયાવતાર છે. તેમાં દ્વિવિધ પ્રમાણવિભાગને લઈને તાર્કિક શૈલીથી જ્ઞાનનું નિરૂપણ છે. તેનો મુખ્ય ઉદ્દેશ જૈન પ્રક્રિયાનુસારી અનુમાનને અર્થાત્ ન્યાયને દર્શાવવાનો છે. આપણે જોઈએ છીએ કે ન્યાયાવતારમાં પરોક્ષપ્રમાણના ભેદોના વર્ણને જ મુખ્ય જગા રોકી છે, તો પણ તેમાં એ નથી કહેવામાં આવ્યું કે જૈન પ્રક્રિયા પરોક્ષપ્રમાણના અમુક અને આટલા જ ભેદો માને છે જેમ કે આગળ જઈને અન્ય આચાર્યોએ તે કહ્યું છે. જિનભદ્ર ક્ષમાશ્રમણે પોતાના અતિ વિસ્તૃત ભાષ્યમાં દ્વિવિધ પ્રમાણવિભાગમાં આગમિક પંચ જ્ઞાનવિભાગનો તર્કપુરઃસર સમાવેશ દર્શાવ્યો છે અને આર્યરક્ષિતસ્થાપિત તથા નન્દીકાર દ્વારા સ્વીકૃત ઇન્દ્રિયજન્ય-નોઇન્દ્રિયજન્ય રૂપે દ્વિવિધ પ્રત્યક્ષના વર્ણનમાં આવનાર પેલા વિરોધનો સાંવ્યવહારિક અને પારમાર્થિક પ્રત્યક્ષ એવાં નામો આપીને સૌપ્રથમ પરિહાર કર્યો - ફૈયિમોમાં નું તે સંવવહારપન્નવસ્તું વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૯૫
જે વિરોધને પ્રતિવાદી તાર્કિક જૈન તાર્કિકો સમક્ષ ઉપસ્થિત કર્યા કરતા હતા. વિરોધ આ પ્રમાણે બતાવવામાં આવતો હતો કે જ્યારે જૈનદર્શન અક્ષાશ્રિત અર્થાત્ આત્માશ્રિત જ્ઞાનને જ પ્રત્યક્ષ કહે છે ત્યારે તેની પ્રક્રિયામાં ઇન્દ્રિયાશ્રિત જ્ઞાને પ્રત્યક્ષરૂપે સ્થાન પામવું વિરુદ્ધ છે. ક્ષમાશ્રમણજીએ આ બધું કર્યું તો પણ તેમણે એ ન દર્શાવ્યું કે જૈન પ્રક્રિયા પરોક્ષ પ્રમાણના આટલા ભેદો માને છે અને તે અમુક છે.
આમ અત્યાર સુધી જૈન પરંપરામાં આગમિક જ્ઞાનચર્ચાની સાથે સાથે જ, પરંતુ કંઈક પ્રધાનતાથી, પ્રમાણચર્ચા થઈ રહી હતી, તો પણ જૈન તાર્કિકોની સામે બીજા પ્રતિવાદીઓની તરફથી એ પ્રશ્ન વારંવાર ઉઠાવવામાં આવતો હતો કે જૈન પ્રક્રિયા જો અનુમાન, આગમ વગેરે દર્શનાત્તરપ્રસિદ્ધ પ્રમાણોને પરોક્ષપ્રમાણ રૂપે સ્વીકારે છે તો તેણે એ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે તે પરોક્ષપ્રમાણના કેટલા ભેદ માને છે અને દરેક ભેદનું સુનિશ્ચિત લક્ષણ શું છે.
જ્યાં સુધી જોયું તપાસ્યું છે તેના આધારે નિઃસંદેહ કહી શકાય કે ઉક્ત પ્રશ્નનો ઉત્તર સૌપ્રથમ ભટ્ટાક અકલંકે આપ્યો છે. અને તે બહુ જ સ્પષ્ટ તથા સુનિશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org