Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૩૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પ્રશસ્તપાંદ, શંકરમિશ્ર વગેરેએ કાઢ્યો છે. વિદ્યાનન્દ વગેરે જૈનાચાર્યોએ પણ વૈશેષિકસમ્મત પ્રમાણદ્વિત્વનો જ નિર્દેશ (પ્રમાણપરીક્ષા, પૃ. ૬૬) કર્યો છે, ત્યારે પ્રશ્ન થાય છે કે આચાર્ય હેમચન્દ્ર વૈશેષિકમતે પ્રમાણત્રયનું કથન કેમ કરે છે ? આનો ઉત્તર એ જણાય છે કે વૈશેષિકસમ્મત પ્રમાણત્રિત્વની પરંપરા પણ રહી છે જેને આચાર્ય હેમચન્દ્રે લીધી અને પ્રમાણદ્ધિત્વવાળી પરંપરાનો નિર્દેશ ન કર્યો. સિદ્ધર્ષિકૃત ન્યાયાવતારવૃત્તિમાં (પૃ. ૯) આપણને આ પ્રમાણત્રિત્વવાળી વૈશેષિક ૫રં૫રાનો નિર્દેશ મળે છે. વાદિદેવે તો પોતાના સ્યાદ્વાદરત્નાકરમાં (પૃ. ૩૧૩, ૧૦૪૧) વૈશેષિકસમ્મતરૂપે દ્વિત્વ અને ત્રિત્વ બન્ને પ્રમાણસંખ્યાનો નિર્દેશ કર્યો છે.
તુલના
સાંખ્યકારિકા, ૪.
પૃ. ૭૮ ‘સાક્થા:' ‘મૈયાયિા:
તુલના ન્યાયસૂત્ર, ૧.૧.૩.
તુલના
પૃ. ૭૮ ‘માટ્ટા ’
પૃ. ૭૮
―
પૃ. ૭૮ ‘પ્રમાા: ' રોÉતમ્ । પ્રકરણપંચિકા, પૃ. ૪૪
તુલના
પૃ. ૨૪૬.
'
―――――
✔
Jain Education International
-
―
――――
―
www.addicom
तत्र पञ्चविधं मानम्
इति
અતઃ ષડેવ પ્રમાળનિ । શાસ્ત્રદીપિકા,
પૃ. ૭૮ ‘અનુતે’—— પ્રત્યક્ષ શબ્દની વ્યુત્પત્તિમાં ‘અક્ષ’ પદનો ‘ઇન્દ્રિય’ અર્થ માનવાની પરંપરા બધાં વૈદિક દર્શનોમાં તથા બૌદ્ધ દર્શનમાં એકસરખી છે. તેમાં કોઈ દર્શને ‘અક્ષ’ શબ્દનો આત્મા અર્થ માનીને વ્યુત્પત્તિ નથી કરી. તેથી વૈદિકબૌદ્ધ દર્શનો અનુસાર ઇન્દ્રિયાશ્રિત જ્ઞાન જ પ્રત્યક્ષરૂપે ફલિત થાય છે. અને તદનુસા૨ તેમને ઇન્દ્રિયાશ્રિત પ્રત્યક્ષ ન મનાતા ઈશ્વરીય જ્ઞાન આદિમાં પ્રત્યક્ષનો પ્રયોગ ઉપરિત જ માનવો પડે છે.
જૈન પરંપરામાં ‘અક્ષ’ શબ્દનો ‘આત્મા’ અર્થ માનીને વ્યુત્પત્તિ કરવામાં આવી છે. તદનુસાર તેમાં ઇન્દ્રિયનિરપેક્ષ કેવળ આત્માશ્રિત મનાતા જ્ઞાનોને જ પ્રત્યક્ષ પદનો મુખ્ય અર્થ માન્યો છે અને ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનને વસ્તુતઃ પરોક્ષ જ માન્યું છે. તેમાં
१. अक्ष्णोति व्याप्नोति जानातीत्यक्ष आत्मा, तमेव प्राप्तक्षयोपशमं प्रक्षीणावरणं वा प्रतिनियतं वा પ્રત્યક્ષમ્ । સર્વાર્થસિદ્ધિ, ૧.૧ ૨. નીવો અવો અત્યાવળમોવળ ખ્ખિો એળ । તું પર્ફ વધુ નાળું નં પત્ત્તાં તયં તિવિદ્દે। વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૮૯. તથા ૨ મળવાનું भद्रबाहुः - जीवो अक्खो तं पई जं वट्टइ तं तु होइ पच्चक्खं । परओ पुण अक्खस्स वट्टन्तं દોફ પરોવવું || ન્યાયાવતારટીકાટિપ્પણ, પૃ. ૧૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org