Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૭૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પછીના વ્યાસભાષ્ય, ગ્લાકવાર્તિક આદિમાં સમર્થિત, દ્રવ્ય શબ્દની ઉક્ત બધી વ્યાખ્યાઓ જૈન પરંપરામાં ઉમાસ્વાતિનાં સૂત્ર અને ભાગ્યમાં (૫.૨૯, ૩૦, ૩૭) સૌપ્રથમ સંગૃહીત થયેલી દેખાય છે. જિનભદ્ર ક્ષમાશ્રમણે તો પોતાના ભાષ્યમાં (વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૨૮) પોતાના સમય સુધી પ્રચલિત બધી વ્યાખ્યાઓનો સંગ્રહ કરીને દ્રવ્ય શબ્દનું નિર્વચન દર્શાવ્યું છે.
અકલંકના (લઘીયસ્ત્રથી, ૨.૧) જ શબ્દોમાં વિષયનું સ્વરૂપ દર્શાવતાં આચાર્ય હેમચન્દ્ર દ્રવ્ય શબ્દનો પ્રયોગ કરીને તેનો આગમપ્રસિદ્ધ અને વ્યાકરણ તથા દર્શનાત્તરસમ્મત ધ્રુવભાવ (શાશ્વત, સ્થિર) અર્થ જ દર્શાવ્યો છે. એવો અર્થ દર્શાવતી વખતે તેની જે વ્યુત્પત્તિ દેખાડી છે તે કૃત્ પ્રકરણાનુસારી અર્થાત્ ૮ ધાતુ + ય પ્રત્યય જનિત છે.
પ્રમાણવિષયના સ્વરૂપકથનમાં દ્રવ્યશબ્દની સાથે પર્યાય શબ્દનો પણ પ્રયોગ છે. સંસ્કૃત, પ્રાકૃત, પાલી જેવી શાસ્ત્રીય ભાષાઓમાં તે શબ્દ બહુ પુરાણો અને પ્રસિદ્ધ છે પરંતુ જૈન દર્શનમાં તેનો જે પારિભાષિક અર્થ છે તે અર્થ અન્ય દર્શનોમાં નથી દેખાતો. ઉત્પાદ-વિનાશશાલી યા આવિર્ભાવ-તિરોભાવવાળા જે ધર્મો, જે વિશેષો, જે અવસ્થાઓ દ્રવ્યગત હોય છે તે જ પર્યાય કે પરિણામ નામથી જૈન દર્શનમાં પ્રસિદ્ધ છે જેમના માટે ન્યાય-વૈશેષિક આદિદર્શનોમાં ગુણ શબ્દ પ્રયુક્ત થાય છે. ગુણ, ક્રિયા આદિ બધા દ્રવ્યગત ધર્મોના અર્થમાં આચાર્ય હેમચન્દ્ર પર્યાય શબ્દનો પ્રયોગ કર્યો છે પરંતુ ગુણ તથા પર્યાય શબ્દની બાબતમાં જૈન દર્શનનો ઇતિહાસ ખાસ જ્ઞાતવ્ય છે.
ભગવતી આદિ પ્રાચીનતર આગમોમાં ગુણ અને પર્યાય બન્ને શબ્દો દેખાય છે. ઉત્તરાધ્યયનમાં (૨૮.૧૩) તેમનો અર્થભેદ સ્પષ્ટ છે. કુન્દકુન્દ, ઉમાસ્વાતિ (તત્ત્વાર્થસૂત્ર, ૫.૩૭) અને પૂજ્યપાદે પણ તે જ અર્થભેદનું કથન અને સમર્થન કર્યું છે. વિદ્યાનન્દ પણ પોતાના તર્કવાદથી તે જ ભેદનું સમર્થન કર્યું છે પરંતુ વિદ્યાનન્દના પૂર્વવર્તી અકલંકે ગુણ અને પર્યાયના અર્થોનો ભેદભેદ દર્શાવ્યો છે જેનું અનુકરણ અમૃતચન્દ્ર પણ કર્યું છે અને તેનું જ ભેદભેદસમર્થન તત્ત્વાર્થભાષ્યની ટીકામાં સિદ્ધસેને કર્યું છે. આ વિષયમાં સિદ્ધસેન દિવાકરનું એક નવું પ્રસ્થાન જૈન તત્ત્વજ્ઞાનમાં શરૂ થાય છે જેમાં ગુણ અને પર્યાય બન્ને શબ્દોને કેવળ એકાર્થક જ સ્થાપવામાં આવ્યા છે અને કહ્યું છે કે તે બન્ને શબ્દો પર્યાયમાત્ર છે. દિવાકરની અભેદસમર્થક યુક્તિ એ છે કે આગમોમાં જો ગુણપદનો પર્યાયપદથી ભિન્ન અર્થ અભિપ્રેત હોત તો જેમ ભગવાને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે પ્રકારની દેશના આપી છે તેમ તેઓ ત્રીજી ગુણાર્થિક દેશના પણ આપત. જણાય છે કે આ યુક્તિની અસર હરિભદ્ર ઉપર પડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org