Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૭૩
બૌદ્ધયુગનો પ્રભાવ જૈન પરંપરા ઉપર પણ પડ્યો. બૌદ્ધ તાર્કિકોને વૈદિક પરંપરાસમ્મત અનુમાનલક્ષણ, અનુમાનભેદ આદિનું ખંડન કરતા તેમજ સ્વતન્ત્રપણે લક્ષણપ્રણયન કરતા જોઈને સિદ્ધસેન જેવા જૈન તાર્કિકોએ પણ સ્વતન્ત્રપણે પોતાની ષ્ટિ (જૈન દૃષ્ટિ) અનુસાર અનુમાનલક્ષણપ્રણયન કર્યું. ભટ્ટારક અકલંકે તે સિદ્ધસેનીય લક્ષણપ્રણયન માત્રમાં જ સંતોષ ન માન્યો પરંતુ સાથે સાથે જ બૌદ્ધ તાર્કિકોની જેમ વૈદિક પરંપરાસમ્મત અનુમાનના ભેદ-પ્રભેદોના ખંડનનો સૂત્રપાત પણ સ્પષ્ટપણે કર્યો જેને વિદ્યાનન્દ આદિ ઉત્તરવર્તી દિગમ્બરીય તાર્કિકોએ વિસ્તાર્યો અને પલ્લવિત કર્યો.
નવા બૌદ્ધયુગનાં બે પરિણામો સ્પષ્ટ દેખાય છે. એક તો એ કે બૌદ્ધ અને જૈન પરંપરામાં સ્વતન્ત્રપણે અનુમાનલક્ષણ આદિનું પ્રણયન થવા લાગ્યું તેમ જ પોતાના જ પૂર્વાચાર્યોએ કયારેક સ્વીકારેલાં વૈદિક પરંપરાસમ્મત અનુમાનલક્ષણ અનુમાનવિભાગ વગેરેનું ખંડન પણ થવા લાગ્યું. બીજું પરિણામ એ આવ્યું કે બધા વૈદિક વિદ્વાનો બૌદ્વસમ્મત અનુમાનપ્રણાલીનું ખંડન કરવા લાગ્યા અને બૌદ્ધોની સામે પોતાના પૂર્વાચાર્યોને સમ્મત એવી અનુમાનપ્રણાલીનું તર્કબદ્ધ સ્થાપન કરવા લાગ્યા. આ બીજા પરિણામમાં, ભલે ને ગૌણરૂપે જ કેમ ન હોય, એક ઉલ્લેખનીય વાત એ પણ દાખલ થઈ છે કે ભાસર્વજ્ઞ જેવા વૈદિક પરંપરાના કોઈ કોઈ તાર્કિકના લક્ષણપ્રણયનમાં બૌદ્ધ લક્ષણની અસર આવી ગઈ જે જૈન તાર્કિકોના લક્ષણપ્રણયનમાં તો બૌદ્ધયુગના પ્રારંભથી જ આજ સુધી એકધારી ચાલી આવી છે.પ
(૩) નવ્યન્યાયયુગ ત્રીજો નવ્યન્યાયયુગ ઉપાધ્યાય ગંગેશથી શરૂ થાય છે. ગંગેશે પોતાના વૈદિક પૂર્વાચાર્યોના અનુમાનલક્ષણને કાયમ રાખીને પણ તેમાં સૂક્ષ્મ પરિષ્કાર કર્યો જેનો આદર ઉત્ત૨વર્તી બધા નવ્ય નૈયાયિકોએ જ નહિ પરંતુ બધા વૈદિક દર્શનોના પરિષ્કારકોએ પણ કર્યો. આ નવીન પરિષ્કા૨ના સમયથી ભારતવર્ષમાં બૌદ્ધ તાર્કિકો લગભગ નામશેષ થઈ ગયા. એ કારણે બૌદ્ધ ગ્રન્થોમાં ૧. સાધ્યાવિનામુનો નિાત્ સાધ્વનિશ્ચાયક સ્મૃતમ્ । અનુમાનમ્ । ન્યાયાવતાર, ૫.
૨. ન્યાયવિનિશ્ચય, ૨.૧૭૧-૧૭૨.
―――――
૩. તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૨૦૫. પ્રમેયકમલમાર્તંડ, પૃ. ૧૦૫.
૪. સમ્યવિના માવેન પરોક્ષાનુમવસાધનમનુમાનમ્ । ન્યાયસાર, પૃ. ૫.
૫. ન્યાયાવતાર, ૫. ન્યાયવિનિશ્ચય, ૨.૧. પ્રમાણપરીક્ષા, પૃ. ૭૦. પરીક્ષામુખ, ૩.૧૪. ६. अतीतानागतधूमादिज्ञानेऽप्यनुमितिदर्शनान्न लिङ्गं तद्धेतुः व्यापारपूर्ववर्तितयोरभावात् વ્યાપ્તિજ્ઞાનું રણું પરામર્શે વ્યાપાર: । તત્ત્વચિન્તામણિ, પરામર્શ પૃ. ૫૩૬-૫૦
किन्तु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org