Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 43. અમે પણ ગમે તે કારણને હેતુ કહેતા નથી પરંતુ જે કારણની શક્તિ મત્રાદિથી રૂંધાઈન હોય અને જે કારણ બીજાં સહકારિકારણોથી વિકલ ન હોય તે કારણને જ હેતુ માનીએ છીએ.
શંકા–પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે કારણની શક્તિ મન્નાદિથી રુદ્ધ નથી કે તે સહકારિકારણોથી વિકલ નથી?
સમાધાન — વિકલ કારણથી સકલ કારણમાં વિશેષતા હોય છે અને આ વિશેષતાને તો રસ્તે ચાલતો સામાન્ય માણસ પણ જાણતો હોય છે. કહ્યું પણ છે, “જે વાદળો પોતાના ગંભીર ગડગડાટથી પર્વતની ગુફાઓને ભેદે છે, જેમની અંદર વીજળી ચમકે છે અને તેને કારણે જેમની અંદર પીળાશ આવી જાય છે, જેઓ ઉત્તેગ હોય છે, જેમનો રંગ ભ્રમર, ભેંસ, કાળો નાગ અને તમાલ જેવો કાળો હોય છે તે વાદળો હોય અને વરસાદ ન પડે એવું બને જ નહિ.” ન્યિાયમંજરી, પૃ. ૧૨૯]
44. ‘ાર્યમ્ યથા વૃષ્ટી વિશિષ્ટનવીપૂર:, શાની ધૂમ:, ચૈતન્ય प्राणादिः । पूरस्य वैशिष्टयं कथं विज्ञायत इति चेत्; उक्तमत्र नैयायिकैः। યવાદુ –
"आवर्तवर्तनाशालिविशालकलुषोदकः । कल्लोलविकटास्फालस्फुटफेनच्छटाङ्कितः ॥ वबहलशेवालफलशाद्वलसङ्कुलः । નીપૂરવિરોધ વયક્તિ ન ર હિતુK ” [ચાય. પૃ. ૨૨૦] इति धूमप्राणादीनामपि कार्यत्वनिश्चयो न दुष्करः । यदाहुः-- "कार्यं धूमो हुतभुजः कार्यधर्मानुवृत्तितः । સ મવંતરિ હેતુમાં વિયેત્ ” [પ્રમાળવી. ૨.૩૧] 44. (૩) કાર્યક્ષેતુ – ઉદાહરણાર્થ, વર્ષોના અનુમાનમાં વિશિષ્ટ નદીપૂર, અગ્નિના અનુમાનમાં ધૂમ, ચૈતન્યના અનુમાનમાં પ્રાણાદિ હેતુ કાર્ય હેતુ છે. શંકા–પૂરની વિશેષતા કેવી રીતે જાણી શકાય. *
ઉત્તર-નૈયાયિકોએ આનો ઉત્તર આપ્યો છે. તેમણે કહ્યું છે, “જો નદીના જળમાં વમળો થતાં હોય, તેનું જળ વિશાળ જથામાં હોય, મલીન હોય, મોજાંઓ જોરથી અફળાવાથી પેદા થયેલ ફીણની સ્પષ્ટ દેખાતી છટાવાળું હોય, ધસમસતા પ્રવાહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org