Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૦૪
હેમચન્દ્રાચાર્યત પ્રમાણમીમાંસા પૃ. ૫૯મા પ્રા'- ભારતીય શાસ્ત્રરચનામાં આ પ્રણાલી બહુ પહેલેથી ચાલી આવે છે કે સૂત્રરચનામાં પહેલું સૂત્ર એવું બનાવવામાં આવે જેનાથી ગ્રંથનો વિષય સૂચિત થાય અને જેમાં ગ્રંથનું નામકરણ પણ આવી જાય. ઉદાહરણો નીચે મુજબ છે. પાતંજલ યોગશાસ્ત્રનું પ્રથમ સૂત્ર છે ‘મથ યોરનુરાસન'. અકલેકે “પ્રમાણસંગ્રહ' ગ્રંથના પ્રારંભમાં ‘પ્રમાણે રૂતિ સંદ' આપ્યું છે. વિદ્યાનને ‘મથ પ્રમાણપરીક્ષાઆ વાક્યથી જ તેમના ગ્રન્થ “પ્રમાણપરીક્ષાનો પ્રારંભ કર્યો છે. આચાર્ય હેમચન્દ્ર આ પ્રણાલીને અનુસરીને આ સૂત્ર રચ્યું છે.
અથ શબ્દથી શાસ્ત્રનો પ્રારંભ કરવાની પરંપરા પ્રાચીન અને વિવિધવિષયક શાસ્ત્રગામિની છે. ઉદાહરણાર્થ, ‘અથાતો પૂfમાતી વ્યાધ્યાયામ:' (આપ. શ્રી. સૂ. ૧.૧.૧), કથ શબ્દાનુશાસન' (પાત. મહા.), 'અથાતો ધનિજ્ઞાસા' (જૈમિ. સૂ. ૧.૧.૧) ઇત્યાદિ. આચાર્ય હેમચન્દ્ર પોતાના કાવ્યાનુશાસન, છન્દોનુશાસનની જેમ આ ગ્રંથમાં પણ એ જ પરંપરા રાખી છે.
પૃ. ૫૯ “ગથ ત્યય' – અથ શબ્દનો અધિકાર’ અર્થ પ્રાચીન કાળથી જ પ્રસિદ્ધ છે અને પ્રસિદ્ધ આચાર્યોએ એ અર્થ લીધો પણ છે, જેમ કે આપણને વ્યાકરણભાષ્યના પ્રારંભમાં અર્થત્યયં બ્લોગધિરાર્થ' (૧.૧.૧. પૃ. ૬) તથા યોગસૂત્રમાં (૧.૧) મળે છે. આ અર્થ ઉપરાંત તેનો “આનન્તર્ય' અર્થ પણ પ્રસિદ્ધ છે જેમ કે શબરે પોતાના મીમાંસાભાષ્યમાં એ અર્થ લીધો છે. શંકરાચાર્ય “આનન્તર્ય' અર્થ તો લીધો પરંતુ “અધિકાર' અર્થને અસંગત સમજી તેનો સ્વીકાર ન કર્યો. શંકરાચાર્યને અથ શબ્દનો “મંગલ' અર્થ લેવો ઇષ્ટ હતો, પરંતુ એક સાથે સીધી રીતે બે અર્થ લેવા શાસ્ત્રીય યુક્તિની વિરુદ્ધ હોવાથી તેમણે આનન્તર્યાર્થક “અથ' શબ્દના શ્રવણને જ મંગલ ગણીને મંગલ અર્થ લીધા વિના જ, “મંગલ'નું પ્રયોજન સિદ્ધ કર્યું છે. યોગભાણના અને શાંકરભાષ્યના પ્રસિદ્ધ ટીકાકાર વાચસ્પતિએ તત્ત્વવૈશારદી અને ભામતીમાં શંકરોક્ત
૧. તત્ર તોથમથશબ્દો વૃત્તાનતરસ્થ પ્રક્રિયાળે ડૂ: – શબરભાષ્ય, ૧.૧.૧ २. तत्राथशब्द: आनन्द्रार्थः परिगृह्यते नाधिकारार्थः, ब्रह्मजिज्ञासाया अनधिकार्यत्वात्, मङ्गलस्य च
वाक्यार्थे समन्वयाभावात् । अर्थान्तरप्रयुक्त एव ह्यथशब्दः श्रुत्या मङ्गलप्रयोजनो भवति । -
બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્ય, ૧.૧.૧. 3. अधिकारार्थस्य चाथशब्दस्यान्यार्थ नीयमानोदकुम्भदर्शनमिव श्रवणं मङ्गलायोपकल्पत इति मन्तव्यम्।
–તત્ત્વવૈશારદી, ૧.૧. વેદત્તમથી વાચં વા નāવા, વિનુશધ્વનિવथशब्दश्रवणमात्रकार्यम्। तथा च 'ओंकास्चाथशब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा । कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावुभौ ।।' अर्थान्तरेष्वानन्तर्यादिषु प्रयुक्तोऽथशब्दः श्रुत्या श्रवणमात्रेण वेणुवीणाध्वनिવન્માનંર્વનું જ્ઞાન પ્રયોગનો પતિ બન્યાર્થમાનીયમનોમર્શન –ભામતી, ૧.૧.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org