Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૦૫
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ ‘અથ' શબ્દશ્રુતિની મંગલપ્રયોજનતા–મૃદંગ, શંખ આદિ ધ્વનિના માંગલિક શ્રવણની ઉપમા દ્વારા – પુષ્ટ કરી છે અને સાથે સાથે જ જલ આદિ અન્ય પ્રયોજન વાસ્ત લાવવામાં આવતા પૂર્ણ જલકુંભના માંગલિક દર્શનની ઉપમા આપીને એક અર્થમાં પ્રયુક્ત અથ' શબ્દનો અર્થાન્તર કર્યા વિના જ તેના શ્રવણની માંગલિકતા દેખાડી છે.
આચાર્ય હેમચન્દ્ર ઉપર્યુક્ત બધી પરંપરાઓનો ઉપયોગ કરીને પોતાની વ્યાખ્યામાં અથ' શબ્દને અધિકારાર્થક, આનન્તર્યાર્થક અને મંગલપ્રયોજનવાળો દર્શાવ્યો છે. તેમની ઉપમા પણ શબ્દશઃ તે જ છે જે વાચસ્પતિના ઉક્ત ગ્રંથોમાં છે.
પૃ. ૫૯ ‘માયુષ્ય' – તુલના – “માવતિ દિ શાસ્ત્રમાં પ્રથજો वीरपुरुषाणि च भवन्ति, आयुष्मत्पुरुषाणि चाध्येतारश्च सिद्धार्था यथा યુરિતિ” – પાંત. મહા. ૧.૧.૧.
પૃ. ૫૯ “પરમેષ્ઠિ' – જૈન પરંપરામાં અહ, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવા આત્માઓના પાંચ વિભાગ લોકોત્તર વિકાસ અનુસાર કરવામાં આવ્યા છે, જે પંચપરમેષ્ઠી કહેવાય છે. તેમના નમસ્કારને પરમ મંગલ સમજવામાં આવે છે –
“પણ પઝનમ : સર્વપાપક્ષય:
मङ्गलानां च सर्वेषां प्रथमं भवति मङ्गलम् ॥" પૃ.૬૦ પ્રશર્મેન'–વાસ્યાયને પોતાના ન્યાયભાષ્યમાં (૧.૧.૩) “પ્રમાણ શબ્દને કરણાર્થક માનીને તેની નિયુક્તિ દ્વારા પ્રમાણ”નું લક્ષણ સૂચવ્યું છે. વાચસ્પતિ મિશ્ર પણ સાંખ્યકારિકાની પોતાની વ્યાખ્યામાં (તત્ત્વકૌ. કા. ૪) “પ્રમાણ'નું લક્ષણ કરવામાં એ જ નિર્વચનપદ્ધતિનું અવલંબન લીધું છે. આચાર્ય હેમચન્દ્ર પણ “પ્રમાણ” શબ્દની એ રીતે જ નિયુક્તિ કરે છે. આવી જ નિરુક્તિ શબ્દશઃ “પરીક્ષામુખની વ્યાખ્યા પ્રમેયરત્નમાલામાં (૧.૧) જોવા મળે છે.
૫.૬૦ ત્રથી દિ' – ઉપલભ્ય ગ્રંથોમાં સૌપ્રથમ વાત્સ્યાયનભાષ્યમાં જ શાસ્ત્રપ્રવૃત્તિના સૈવિધ્યની ચર્ચા છે અને ત્રણેય વિધાઓનું સ્વરૂપ પણ દર્શાવ્યું છે. શ્રીધરે
१. त्रिविधा चास्य शास्त्रस्य प्रवृत्तिः- उद्देशो लक्षणं परीक्षा चेति । तत्र नामधेयेन पदार्थमात्रस्याभिधानं
उद्देशः । तत्रोद्दिष्टस्य तत्त्वव्यवच्छेदको धर्मो लक्षणम् । लक्षितस्य यथालक्षणमुपपद्यते न वेति પ્રમૌરવધાર પરીક્ષા –ન્યાયભાષ્ય, ૧.૧.૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org