Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૮૩
આમ કહેવું પણ અયોગ્ય છે, કારણ કે જો વાદી બીજા હેતુ કે બીજા ઉદાહરણનો પ્રયોગ કરીને પણ પોતાનો પક્ષ સિદ્ધ કરી દે તો તેનો પરાજય નથી થતો.વળી, જો આપ બીજા હેતુ કે બીજા ઉદાહરણના પ્રયોગને નિગ્રહસ્થાન માનશો તો આપ પ્રમાણસંપ્લવ (એક જ વસ્તુનું અનેક પ્રમાણોથી ગ્રહણ) કેવી રીતે માની શકશો? અને પ્રમાણસંપ્લવ માનશો તો અધિકના પ્રયોગથી ‘અધિક’ નિગ્રહસ્થાન આવી પડશે.
-
‘અધિક’ નિગ્રહસ્થાનના પક્ષકારનો ઉત્તર - પ્રતિપત્તિની દૃઢતા અને સંવાદની સિદ્ધિના માટે પ્રમાણસંપ્લવનો પ્રયોગ કરવાથી નિગ્રહ (પરાજય) થતો નથી, કારણ કે તેનાથી વિશેષ પ્રયોજન સિદ્ધ થાય છે.
―
‘અધિક’ નિગ્રહસ્થાનનો પ્રતિષેધ કરનારનો ઉત્તર – આ તર્ક તો બીજા હેતુ યા બીજા ઉદાહરણના પ્રયોગને પણ સમાનપણે લાગુ પડે છે. એક હેતુ યા એક ઉદાહરણ દ્વારા કોઈ અર્થ સિદ્ધ કર્યા પછી બીજા હેતુ કે બીજા ઉદાહરણનો પ્રયોગ નિરર્થક નથી કેમ કે તેનું પણ વિશેષ પ્રયોજન છે.
‘અધિક’ નિગ્રહસ્થાનના પક્ષકારની શંકા
આમ માનીશું તો અનવસ્થા દોષ
થશે અર્થાત્ ક્યાંય આ પ્રક્રિયા અટકશે જ નહિ.
–
‘અધિક’ નિગ્રહસ્થાનનો પ્રતિષેધ કરનારનો ઉત્તર- - ક્યાંક ને ક્યાંક આકાંક્ષાની સમાપ્તિ થઈ જ જશે, જેમ એક વિષયમાં પ્રમાણાન્તરોની પ્રવૃત્તિની સમાપ્તિ થઈ જાય છે તેમ. વળી, [તમે નૈયાયિકો કરકસરનો આટલો બધો આગ્રહ રાખો છો તો પછી] ‘કૃતક’ જેવા પદોનો પ્રયોગ કેમ કરો છો ? કારણ કે તેમાં મૂળ શબ્દ ‘કૃત’ને લાગેલા સ્વાર્થિક પ્રત્યય ‘ક’ નો મૂળ શબ્દ ‘કૃત’ના અર્થથી વધારાનો કોઈ જ અર્થ નથી. વળી તમે નૈયાયિકો ય-તત્નો પ્રયોગ કરી ‘યસ્ ત તદ્ અનિત્યમ્ (જે કૃતક છે તે અનિત્ય છે)’ એ આકારમાં વ્યાપ્તિ કેમ કહો છો ? અર્થાત્ સામાસિક પદ (તાનિત્યમ) થી અર્થનું જ્ઞાન થઈ જાય છે તો પછી પદના બદલે વાક્યનો પ્રયોગ કેમ કરો છો ? વાક્યપ્રયોગ અધિક હોઈનિગ્રહસ્થાન નહિ થાય ? જો તમે કહેશો કે અધિક હોવા છતાં પણ તેમનાથી વિશેષ જ્ઞાન થાય છે એટલે તેમને નિગ્રહસ્થાન ન ગણાય તો અમે કહીશું કે અનેક હેતુઓ અને ઉદાહરણોથી પણ વિશેષ જ્ઞાન થાય છે તો પછી તમે તેમના પ્રયોગને નિગ્રહસ્થાન કેમ ગણો છો ? હા, જો નિરર્થક હેતુ યા નિરર્થક ઉદાહરણનો પ્રયોગ કરવામાં આવે તો તે નિરર્થક હોવાના કારણે જ નિગ્રહસ્થાન બનશે, અધિક હોવાના કારણે નહિ.
*
93. शब्दार्थयोः पुनर्वचनं पुनरुक्तं नाम निग्रहस्थानं भवत्यन्यत्रानुवादात् । शब्दपुनरुक्तं नाम यत्र स एव शब्दः पुनरुच्चार्यते । यथा अनित्यः शब्दः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org