Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
अष्टाविंशतिर्नरकयोग्याऽष्टाविंशत्यादीनि सुराणां चत्वारि । त्रिकपञ्चषइविंशतिरेकेन्द्रियाणां तिर्यग्मनुजानां बन्धत्रिकम् ॥ ५७ ॥ અર્થ–નરકગતિગ્ય અાવીસનું બંધસ્થાન, દેવગતિ યોગ્ય આહાવીશ આદિ ચાર, એકેન્દ્રિય ગ્ય ત્રણ, પાંચ અને છ અધિક વીશ અને તિર્યંચ તથા મનુષ્યને યોગ્ય પચીસ, એગણત્રીસ અને ત્રીસ એમ ત્રણ બંધસ્થાન છે.
ટીકાનુ–નરકગતિ કેમ અટૂઠાવીશ પ્રકૃતિના સમૂહરૂપ એક બંધસ્થાન છે, એટલે કે નરકગતિ યોગ્ય બંધ કરતાં નામકર્મની અડાવીશ પ્રકૃતિએને બંધ થાય છે. દેવગતિ
ગ્ય બંધ કરતાં અાવીશ, ઓગણત્રીસ, ત્રસ અને એકત્રીસ એમ ચાર બંધસ્થાનકે બંધાય છે. એકેન્દ્રિય ગ્ય બંધ કરતાં ત્રેવીસ, પચીસ અને છવીસ એમ ત્રણ બંધસ્થાન બંધાય છે. તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યગતિ યોગ્ય બંધ કરતાં પચીસ, એગણત્રીસ અને ત્રીશ એમ ત્રણ ત્રણ બંધ થાનકને બંધ થાય છે. આ સઘળાં બંધસ્થાનકેને સૂત્રકાર પિતે જ આગળ ઉપર વિચાર કરશે, માટે અમે અહિં તેને વિચાર કર્યો નથી. પ૭
હવે ગુણસ્થાનકેમાં બંધસ્થાનકેને વિચાર કરતા આ સૂત્ર કહે છેमिच्छम्मि सासणाइसु तिअट्ठवीसाइ नामबंधाओ। छत्तिण्णि दोति दोदो चउपण सेसेसु जसबंधो ॥ ५८ ॥ मिथ्यात्वे सासादनादिषु ध्यष्टाविंशत्याधा नामबन्धाः।
षड् भयो द्वौ गयो द्वौ द्वौ चत्वारः पञ्च शेषेषु यशोबन्धः ॥ ५८॥ અર્થ–મિથ્યાત્વે અને સાસ્વાદનાદિમાં અનુક્રમે વેવીશ આદિ અને અહાવીશ આદિ છ, ત્રણ, બે, ત્રણ, બે, બે, ચાર અને પાંચ બંધસ્થાનકે હોય છે. શેષ ગુણસ્થાનમાં યશ દીતિનેજ બંધ હોય છે.
ટીકાનુ—મિયાદષ્ટિ ગુણસ્થાનકે ત્રેવીસ, પચીસ, છ વીશ, અઠવીસ, એગણત્રીસ, અને ત્રીસ એમ નામકર્મનાં છ બંધસ્થાનકે હેય છે. મિથ્યાદષ્ટિએ ચારે ગતિવાળા ચકે ભેદના જ હોય છે, અને ચારે ગતિ એગ્ય બંધ કરે છે, તેથી ઉપરોક્ત બંધસ્થાનકે સંભવે છે. એકત્રીસને બંધ સાતમે તથા આઠમે અને એકને બંધ આઠમા આદિમાં થતું હોવાથી મિથ્યાષ્ટિને તેને સંભવ નથી.
૧ અપર્યાપ્તાવસ્થામાં પહેલે-બીજે ગુણથાનકે નરક કે દેવગતિ ગ્ય બંધ થતું નથી.