Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 388
________________ પ્રશ્નોત્તરી ૩૭૭ ઉત્તર-૭ થી વધારે હોય તે આ પ્રમાણે-(૧) ૮ ને બંધ, ૮ ને ઉદય, ૮ ની ઉદીરણ અને ૮ ની સત્તા (૨) ૭ ને બંધ, ૮ ને ઉદય, ૮ ની ઉદીરણ અને ૮ ની સત્તા તેમજ ભવની છેલી આવલિકામાં (૩) ૭ ને બંધ, ૮ ને ઉદય, આયુષ્ય વિના ૭ ની ઉદીરણ અને ૮ ની સત્તા. સાતમાથી નવમાં ગુણસ્થાનક સુધી (૪) ૭ ને બંધ ૮ને ઉદય, આયુ તથા વેદનીય વિના ૬ ની ઉદીરણ અને ૮ ની સત્તા, દશમા ગુણસ્થાનકે એક આવલિકા બાકી હોય ત્યાં સુધી (૫) ૬ ને બંધ, ૮ ને ઉદય, ૬ ની ઉદીરણ અને ૮ ની સત્તા, અને આજ ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં (૬) ૬ ને બંધ, ૮ ને ઉદય, મહનીય વિના પ ની ઉદીરણ અને ૮ ની સત્તા. અગ્યારમે ગુણસ્થાનકે (૭) ૧ ને બંધ, ૭ ને ઉદય, ૫ ની ઉદીરણ અને ૮ ની સત્તા, ક્ષીણહે છેલી આવલિકા વિના (૮) ૧ ને બંધ, ૭ ને ઉદય, ૫ ની ઉદીરણુ અને ૭ ની સત્તા અને આજ ગુણસ્થાનકની છેલી આવલિકામાં (૯) ૧ ને બંધ, ૭ ને ઉદય અને નામ તેમજ નેત્ર એ બે ની ઉદીરણા અને ૭ ની સત્તા. અને તેરમે (૧૦) ૧ ને બંધ, ૪ ને ઉદય, ૨ ની ઉદીરણા અને ૪ ની સત્તા હોય છે. આટલી વિશેષતા છે. અને ચૌદમે ઉદીરણાનો અભાવ હોવાથી કઈ તફાવત નથી. પ્રશ્ન-૧૨ દર્શનાવરણીયના ચાર અને પાંચ પ્રકૃતિ સ્વરૂપ એમ બે ઉદયસ્થાને અને તે બને ઉદયસ્થાનોને કાળ સારસંગ્રહમાં જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત બતાવેલ છે. પરંતુ પ થી ૬ કલાક અથવા તેથી પણ વધારે ટાઈમ સુધી સતત કામકાજની ધમાલમાં અથવા તે ઉત્તમ પ્રકારના મુનિએ સતત આરાધના વગેરેમાં હોય છે. તેમજ કેટલાએક જ ૮ થી ૧૦ કલાક અથવા તેથી પણ વધારે કાળ સુધી સતત નિદ્રા લે છે. એટલું જ નહીં, પરંતુ કુંભકર્ણ છ માસ સુધી ઊંઘતા હતા એમ પણ શાસ્ત્રોમાં સંભળાય છે. તે આ બન્ને ઉદયસ્થાને ઉત્કૃષ્ટ કાળ ઉપર બતાવેલ યુક્તિથી અન્તર્મુહૂર્તથી ઘણું વધારે કાળ સુધી પણ કેમ ન હોય ? ઉત્તર-સ્થૂલરહિટએ તમારો પ્રશ્ન બરાબર છે, પરંતુ સૂમદષ્ટિથી તેમ નથી. કર્મને વિપાકેદય વ્યકત એટલે આપણને ખ્યાલમાં આવે તેવો અને અવ્યક્ત એટલે આપણને ખ્યાલમાં ન આવે તે એમ બે પ્રકાર હોય છે. જ્યારે-જયારે વ્યક્ત વિપાકેદય હોય ત્યારે ત્યારે આપણને ખ્યાલ આવે છે. અને અવ્યક્ત વિપાકેદય હોય ત્યારે આપણને ખ્યાલ નથી આવતું. દષ્ટાંત તરીકે નવમાં ગુણસ્થાનકે અમુક ભાગ સુધી મહામુનિને પણ ત્રણ વેદને અને અમુક અમુક ભાગ સુધી સંજવલન ક્રોધાદિકને તેમજ આઠમા ગુણસ્થાનક સુધી હાસ્યાદિ બે યુગલને ઉદયે અવશ્ય હોય છે, અને રૈવેયક તથા અનુત્તર દેને ૪-૪ ગુણસ્થાનક હેવાથી વેદોને વિપાકેય અવશ્ય હોય છે. પરંતુ સાતમા ગુણસ્થાનક વાળા ૪૮

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420