Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટo
પચસંગ્રહ વતીયખડ શુક્લ લેશ્યાજ હોય છે. પરંતુ કૃતકરણ અવસ્થામાં ચરમ સ્થિતિખંડને ઘાત કરતાં અન્ય લેશ્યા આવે છે. તેમ કર્મપ્રકૃતિ, પહઠ કર્મગ્રંથ વગેરેની ટીકામાં બતાવેલ છે. અને ર૩નું સત્તાસ્થાન ૨ કરણ કરી અનિવૃત્તિ કરણમાં પ્રવેશ કર્યા બાદ મિથ્યાત્વને ક્ષય થાય ત્યારે જ આવે છે. અને તે વખતે શુકલ લેશ્યાજ હોય છે. માટે ૨૩નું સત્તાસ્થાન શી રીતે આવે ?
ઉતર ઃ તમારે પ્રશ્ન બરાબર છે. તેને અને પદ્મ લેશ્યામાં આ પાઠે જોતાં ૨૩નું સત્તાસ્થાન ન જ આવે. પરંતુ દરેક પુસ્તકના કેહઠકોમાં ૨૩નું સત્તાસ્થાન બતાવેલ છે. તેથી કદાચ મતાંતર પણ હોય, એમ માની ઘણુ પંડિતએ લખેલ હેવાથી મેં પણ કેઠકમાં બતાવેલ છે. તત્ત્વ તે બહુતે જાણે,
પ્રશ્નઃ ૫૧ મનુષ્યને વૈકિય તથા આહારક શરીર અને તિર્યંચોને વૈક્રિય શરીર બનાવતાં ૨૫ અને ૨૭ થી ૩૦ એમ પ ઉદયસ્થાને બતાવેલ છે. પરંતુ વૈકિય અથવા . ' આહારક શરીર બનાવે ત્યારે મૂળ શરીર પણ હોય છે. એટલું જ નહીં પણ કેટલીક વાર તે મૂળ દારિક શરીરી અને બનાવેલ ઐકિય અથવા આહારક શરીરી ક્રિયાઓ પણ એકી સાથે કરે છે. તે ૨૫ આદિ ઉદયસ્થાનમાં ઔદારિક ક્રિકને ઉદય તે માનેલ નથી. અને જે તેને ઉદય માનીએ તે સંઘયણને ઉદય પણ માનવો પડે, માટે ૨૫ ને બદલે ૨૮ અને ૨૭ આદિને બદલે ૩૦ થી ૩૩ પર્યત એમ ૫ ઉદયસ્થાને કેમ ન હોય?
ઉત્તર - ક્રિય અથવા આહારક શરીર બનાવે તે વખતે મૂળ શરીરની અપેક્ષાએ તે ૩૦ પ્રકૃતિને ઉદય હોય જ છે પરંતુ તેની વિવક્ષા કરવામાં આવેલ નથી, કારણ કે ૨૫ આદિના ઉદયસ્થાનમાં પણ જેમ મૂળ શરીરની અપેક્ષાએ ઔદારિકદ્ધિક અને સંઘયણને ઉદય છે, તેમ પરાઘાત આદિ ૪ પ્રકૃતિને પણ ઉદય છે જ, છતાં વૈક્રિય વગેરે શરીર બનાવતાં ૨૫ ના ઉદય સ્થાનમાં જેમ પરાઘાત આદિની વિરક્ષા કરેલ નથી તેમ ઔદારિદ્ધિક અને સંઘયણના ઉદયની પણ વિવક્ષા કરેલ નથી અને જેમ મૂળ શરીરની અપેક્ષાએ ૩૦ ને ઉદય માનીએ તે માત્ર વૈકિય કે આહારક શરીર બનાવતાં વૈક્રિયદ્ધિક અથવા આહારદ્ધિક આ બે પ્રકૃતિને ઉદય વધારે થાય છે. માટે ૩૦ ને બદલે ૩૨ નું અને ઉદ્યોતને પણ ઉદય થાય તે ૩૦ ને બદલે ૩૩ નું એમ બે ઉદયસ્થાન આવે, પરંતુ ૨૫ અને ૨૭ આદિ ૪ એમ ૫ અથવા તમે એ પ્રશ્નમાં પૂછેલ છે તે પ્રમાણે ૨૮ અને ૩૦ આદિ ૪ એમ ૫ ઉદયસ્થાને તે ન જ આવે.
પ્રશ્ન-પર તમેએ ૧૯ માં પ્રશ્નમાં અનુત્તર દેવોની અપેક્ષાએ પુરૂષદના ઉદયને ઉત્કૃષ્ટ કાળ ૩૩ સાગરેપમ બતાવેલ છે. પરંતુ પંચ સંગ્રહ દ્વિતીય દ્વાર ગાથા ૪૮ માં પુરૂષદની ઉત્કૃષ્ટ સ્વાયરિથતિ કેટલાએક વર્ષ અધિક ૨૦૦ થી ૯૦૦ સાગરોપમ પ્રમાણ બતાવેલ છે. માટે પરસ્પર વિરોધ કેમ ન આવે?