Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તૃતીયખંડ નપુંસક ચતુક વિના બીજે ૯૨, અને ત્રીજે ૭૦ અને થે ૭૨ બંધે છે. અનુત્તરવાસી દેવેને માત્ર ચોથું ગુણસ્થાનક હેવાથી તેઓ ૭૨ બાંધે છે.
ઈન્દ્રિયમાર્ગણામાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય અને કાયમાર્ગ ણામાં પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયના જે જિનનામ વગેરે ૧૧ વિના એધે તથા મિથ્યાત્વે ૧૦૯, અને સાસ્વાદને સૂક્ષ્મ આદિ ૧૩ વિના ૯૬ અથવા તેમાંથી મનુય અને તિર્યંચાયુષ્ય વિના ૯૪ બાંધે છે. પંચેન્દ્રિય, ત્રસકાય, કાગ, વચનગ, મગ, . ભવ્ય, અને આહારી માર્ગણાઓમાં બધા ગુણસ્થાનકના કમ પ્રમાણે જ બાંધે છે. અહીં ટીકામાં દ્રવ્ય મનની વિવક્ષા કરેલ ન હોવાથી મનગમાં ૧૨ ગુણસ્થાનક જ કહેલ છે.
તેઉકાય અને વાઉકાયમ જિનાદિ ૧૧, મનુષ્યત્રિક, અને ઉચ્ચત્ર વિના ૧૦૫ બંધાય છે. ૩ વેદ માર્ગણામાં ગુણસ્થાનકના કમ પ્રમાણે જ ૮ ગુણસ્થાનક સુધી અને નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ બંધાય છે. ત્યારબાદ ભાવ વેદની અપેક્ષાએ જીવો અવેદી હોય છે. ક્રોધાદિક ત્રણમાં આઠમા સુધી ગુણસ્થાનકના કમ પ્રમાણે અને નવમા ગુણસ્થાનકે અનુક્રમે ૨૧-૨૦ અને ૧૯ પ્રકૃતિઓને બંધ હોય છે. અને લેભ માર્ગણામાં ૧૦ ગુણસ્થાનક સુધી ગુણસ્થાનકમાં બતાવ્યા પ્રમાણે હોય છે.
મતિ-કૃત-અવધિજ્ઞાન અને અવધિદર્શન આ ૪ માર્ગણામાં ૪ થી ૧૨ મા ગુણસ્થાનક સુધી, ત્રણ અજ્ઞાનમાં પ્રથમ બે અથવા ૩ ગુણસ્થાનક સુધી, મનઃ પર્યાવજ્ઞાનમાં છઠ્ઠાથી બારમા ગુણસ્થાનક સુધી, અને ચક્ષુ-અચક્ષુદર્શનમાં ૧ થી ૧૨ ગુણસ્થાનક સુધી, અવિરત સંયમમાં પ્રથમનાં ૪ સુધી, સામાયિક અને છેદે પસ્થાપનીય ચારિત્રમાં ૬ થી ૯ સુધી, પરિહાર વિશુદ્ધિમાં ૬ થી ૭ સુધી, સંસીમાં ૧ થી ૧૨ અથવા ૧૩ મા ગુણસ્થાનક સુધી જે પ્રમાણે ગુણસ્થાનકમાં પ્રકૃતિઓ બતાવેલ છે. તે જ પ્રમાણે બંધાય છે.
દેશવિરતિ, સુમસં૫રાય, મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર માર્ગણમાં પિતપતાના ગુણસ્થાનક પ્રમાણે અને કેવળજ્ઞાન, કેવળદર્શન તેમજ યથાખ્યાત ચારિત્રમાં એકને બંધ અથવા બંધને અભાવ હોય છે. અભવ્ય ૧૧૭ અને અસંજ્ઞી જીવે એધે તથા મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૯૬ અથવા ૯૪ બાંધે છે. કૃણાદિક ત્રણ લેશ્યાવાળા એશે આહારકદ્ધિક વિના ૧૧૮, પહેલે જિનનામ વિના ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૭૪ અને કર્મગ્રંથના મત પ્રમાણે એથે ૭૭, પણ ભગવતીજી સૂત્ર આદિના મતે દેવ આયુ વિના ૭૬, એજ પ્રમાણે પાંચમ અને છઠું અનુક્રમે ૬૭ અને ૬૩ પણ સૂત્રના મતે દેવ આયુ વિના અનુક્રમે ૬૬ અને ૬૨ પ્રકૃતિએ બાંધે છે વિશુદ્ધ તેજલેશ્યાવાળા નરકાદિ નવ વિના એઘે ૧૧૧, જિનનામ અને આહારકદ્ધિક વિના પહેલે ૧૦૮, અને બીજાથી ૭મા સુધી ગુણસ્થાનકના ક્રમે જ બાંધે છે. વિશુદ્ધ પદ્મલેશ્યાવાળા નરકાદિ બાર વિના એઘે ૧૦૮, આહારદ્ધિક