Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૪
પંચસંગ્રહ તૃતીયખંડ ત્રણમાંથી ગમે તે એકને, બેના બંધ માયા-લેભ એ બેમાંથી ગમે તે એકને. અને લેભ રૂપ એકના બંધે એક લેભને જ ઉદય હોય છે.
એક પ્રકૃતિને ઉદય સર્વત્ર સમાન હોવા છતાં બંધસ્થાનના ભેદે અલગ અલગ ગણીએ તે ચારના બધે ચાર, ત્રણના બંધે ત્રણ, બે ના બંધે છે, અને એકના બંધે એક, એમ નવમા ગુણસ્થાનકે એકના ઉદયના કુલ દશ, અને બંધના અભાવે દશમા ગુણસ્થાનકે સંજ્વલન લેભરૂપ એક પ્રકૃતિને એક, એમ કુલ ૧૧ ભાંગા હોય છે એ પ્રમાણે પૂર્વોકત નવસે સાઠમાં દ્ધિકેદયના બાર અને એકેદયના ૧૧ મળી ૨૩ ભાંગા ઉમેરવાથી નવસત્યાસી ભાંગા થાય.
કેટલાક આચાર્ય મહારાજા પાંચના બંધમાંથી ચારને બંધ શરૂ કરે ત્યારે ચારના બંધે પણ શરૂઆતના અમુક કાળ સુધી વેકેદય માને છે, માટે ત્યાં સુધી એને ઉદય હેય છે પછી એકને ઉદય હેય છે. તેથી પાંચના બંધન જેમ ચારના બંધે પણ શરૂઆતના થડા કાળ સુધી બેન ઉદયના બાર ભાંગા વધારે થાય છે અને તે બાર ભાંગા પૂત ૯૮૩ માં ઉમેરવાથી મતાંતરે નવસો પંચાણું ઉદય ભાંગા થાય છે અને બંધસ્થાનના ભેદે ભાંગાઓ અલગ ન ગણીએ તે નવમા ગુણસ્થાનકે એકના ઉદયના કુલ ચાર, અને દશમાં ગુણસ્થાનકે એકના ઉદયને એક ભાગ પણ છે. તે પણ સ્વરૂપના ભેદથી ભિન્ન ન હોવાથી તેની વિવક્ષા ન કરતાં માત્ર એકના ઉદયના ૪ એમ કુલ ૧૬, તે પહેલાં બતાવેલ નવસે સાઠ માં ઉમેરતાં કુલ ૯૭૬ ભાંગા થાય છે.
હવે જે ગુણસ્થાનકના ભેદે ચોવીસી જુદી ગણીએ તે પ્રમાદિ ત્રણે ગુણસ્થાનકે નવને બંધ હોવા છતાં ગુણસ્થાનક અલગ હોવાથી નવના બંધે પહેલાં પ્રમત્ત ૮ ચોવીસી ગણેલ હોવાથી સાતમાની આઠ, અને આઠમાની ચાર, એમ ૧૨ ચોવીસી અધિક થતી હોવાથી તેને અધિક ગણતાં ૪૦ ને બદલે કુલ પર ચોવીસી, એટલે, ૧૨૪૮ ભાંગા થાય છે. અને તેમાં નવમા ગુણસ્થાનકના બેના ઉદયના બાર, તેમજ અહિં બંધના ભેદે ભાંગા અલગ ગણવાના નથી તેથી એકના ઉદયના ચાર, દશમા ગુણસ્થાનકે એકના ઉદયને એક, એમ કુલ ૧૭ ભાંગા ઉમેરવાથી ગુણસ્થાનક આશ્રયી ૧૨૬૫ ભાંગા થાય છે.
કાળ –આમાંના કેઈપણ ભાંગાને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણુ જ હોય છે. તેથી વધારે કાળ કેઈપણ એક ભાંગે ટકી શક્તા નથી કારણ કે પ્રકૃતિઓ પરાવર્તમાન હવાથી બંધ અથવા ઉદયમાં જઘન્યથી એક સમયમાં પણ પરાવર્તમાન પામે છે અને જે એક સમયમાં પરાવર્તમાન ન પામે તે પણ અન્તમુહૂર્તમાં તે અવશ્ય બંધ અથવા ઉદયમાં વિવક્ષિત પ્રકૃતિ પરાવર્તમાન પામે જ છે. અહીં ટકામાં ગુણસ્થાનકના પરાવર્તનથી પણ એક સમય બતાવેલ છે પરંતુ બીજા સિવાય એકથી પાંચમા ગુણસ્થાક સુધીને જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. માટે તે બહુશ્રુતેએ વિચારવું,