Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 370
________________ સારસંગ્રહ સ્ત્રી વેદમાં પણ ઉદયસ્થાન, ઉદયભાંગા તેમજ સત્તાસ્થાન પુરૂષ વેદ પ્રમાણે જ છે. પરંતુ સ્ત્રીઓને આહારક શરીર ન હોવાથી આહારકના ૭ ભાંગા બાદ કરતાં શેષ (૭૬ ૬૩) સાત હજાર છસે ત્રેસઠ ઉદયભાંગા હોય છે. અને આહારકને સંભવતા ઉદયસ્થાનમાં પણ આહારકના ભાંગ બાદ કરી દરેક ઉદયસ્થાનમાં પણ પુરૂષ વેદની જેમ જ છે. નપુંસકવેદ એકેન્દ્રિયને પણ હોય છે. માટે ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં ૯ ઉદયસ્થાન તેમજ દેવતાઓને નપુંસક વેદ ન હોવાથી તેમના ૬૪ અને કેવળીને ૮ એમ ૭૨ વિના (૭૭૧૯) સાત હજાર સાતસે એગણીશ ઉદયભાંગ હોય છે. ઉદયસ્થાનવાર ભાંગા સુગમ હોવાથી પોતાની મેળે જ ગણવા. સત્તાસ્થાને અહીં ૭ આદિ પ્રથમનાં ૧૦ છે. કવાય માર્ગણુ ક્રોધાદિક ચારે કષાયમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન. (૧૩૯૪૫) તેર હજાર નવસે પીસ્તાલીશ બંધમાંગા અને કેવળીમાંજ ઘટતાં ઉદયસ્થાન તથા ઉદયભાંગા અને સત્તાસ્થાન બાદ કરી શેષ ૨૧ અને ૨૪ થી ૩૧. પર્યંતનાં ૯ ઉદયસ્થાન, (૭૭૮૩) સાત હજાર સાતસો વ્યાસી ઉદયભાંગ અને ૯૩ આદિ પ્રથમનાં ૧૦ સત્તાસ્થાને હોય છે. જ્ઞાન માર્ગણું:મતિ-શ્રત અને અવધિ એ ત્રણે જ્ઞાનમાં ૪ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. અને ર૩-૨૫ અને ૨૬ નું બંધસ્થાન તેમજ પંચેન્દ્રિય તિર્યંચ તથા નરક પ્રાપ્ય અહીં બંધ હેત જ નથી તેથી ૨૮ થી ૧ સુધીનાં ૫ બંધસ્થાન અને ૨૮ના બંધ દેવ પ્રાગ્યના ૮, ૨૯ ના બંધે જિનનામ સહિત દેવ પ્રાગ્યના ૮ અને મનુષ્ય પ્રાયે ગ્યના ૮ એમ ૧૬, ૩૦ ના બંધે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્યના ૮ અને આહારિદ્ધિક સહિત દેવ પ્રાગ્યને ૧ એમ ૯ અને ૩૧ તેમજ ૧ ના બંધને ૧-૧ એમ કુલ ૩૫ અંધભાંગા હોય છે. એકેન્દ્રિય તથા કેવળીને આ જ્ઞાન ન હોવાથી તેઓને સંભવતા ૨૪-૨૦-૯ અને ૮ આ ૪ વિના શેષ ૨૧ અને ૨૫ થી ૩૧ પર્યંતનાં ૮ ઉદયસ્થાને હોય છે. એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૨૬, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચના ૪ અને કેવળીના ૮ એમ કુલ ૧૨૦ ઉદયભાંગામાં આ જ્ઞાનેને સંભવ ન હોવાથી શેષ (૭૬૭૧) સાત હજાર છસે એકેતેર ઉદયભાંગા હોય છે. આ ત્રણે જ્ઞાને ૪ થી ૧૨ ગુણસ્થાનક સુધી જ હોય છે. તેથી પહેલા ગુણસ્થાનકે જ ઘટતા ૭૮ અને ૮૬ અને ચૌદમાના ચરમ સમયે જ સંભવતાં ૯ અને ૮ એમ ૪ વિના ૯૩ આદિ ૮ સત્તાસ્થાને હોય છે. આ | મન:પર્યવ જ્ઞાન સંચમીને જ લેવાથી ૨૮ આદિ ૪ બંધસ્થાને માત્ર દેવ પ્રાયોગ્ય અને ૧ નું એમ ૫ બંધસ્થાને હોય છે. ત્યાં ૨૮ ને ૮, ૨૯ ના ૮, ૩૦ ને ૧, ૩૧ ને ૧ અને ૧ ને ૧ એમ કુલ ૧૯ બંધભાંગ હોય છે,

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420