Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૧૭ અઠ્ઠાવીશ, એગણત્રીશ, ત્રીશ અને એકત્રશના ઉદયમાં પણ અઠોતેર સિવાયનાં ચાર ચાર સત્તાસ્થાને હોય છે. કારણ કે અડાવીશ આદિ ઉદય પર્યાતનામકર્મના ઉદયવાળા વિલેન્દ્રિય, તિય ચ પંચેન્દ્રિય અને મનુષ્યોને હોય છે, માત્ર એકત્રીશને ઉદય પર્યાપ્ત વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયો હોય છે. કેમકે એકત્રીશને ઉદય ઉદ્યાતનામ યુક્ત છે, અને ઉદ્યોતને ઉદય તિયાને હોય છે.) તે અડાવીશ આદિ સઘળા ઉદયવાળા આત્માઓ અવશ્ય મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વીની સત્તાવાળા હોય છે. આ પ્રમાણે ત્રેવીશ પ્રકૃતિના બાંધનારા જીવનમાં નવે ઉદયસ્થાન આશ્રયી ચાલીસ સત્તાસ્થાને થાય છે.
જેમ ત્રેવીશ પ્રકૃતિ એના અંધકને ઉદયસ્થાને અને સત્તાસ્થાને કહ્યાં, તેમ પચીસ અને છવ્વીસ પ્રવૃતિઓના બાંધનારાઓને પણ સમજવાં. તેમાં પચીસ અને છવ્વીસ એ બે બંધસ્થાને પર્યાપ્ત એકેન્દ્રિય યંગ્ય બાંધતાં બંધાય છે. અને તેના બંધક તિર્યો, મનુષ્ય અને ઈશાન સુધીના દેવે છે. તથા પચીસનું બંધસ્થાન અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તિવચ પંચેન્દ્રિય અને મનુષ્ય યોગ્ય બાંધતાં પણ બંધાય છે. તેના બંધક મનુ અને તિર્યંચે છે. ઉપરોક્ત છે પોતપોતાના સઘળા ઉદયમાં પચીસ અને છવ્વીસને બંધ કરે છે. તે વખતે ત્રેવીશના બંધમાં જે (અને જે રીતે પાંચ સત્તાસ્થાને કહાં તેજ પાંચ સત્તાસ્થાને હોય છે. માત્ર પર્યાપ્ત એકેન્દ્રિય ગ્ય પચીસ અને છવ્વીસ પ્રકૃતિને બંધ કરતા દેવેને પિતાના એકવીશ, પચીશ, સત્તાવીશ, અડાવીશ, એગણત્રીશ અને ત્રશ એ છએ ઉદયમાં બાણું અને અઠાશ એમ બેજ સત્તાસ્થાને હેય છે. દેવો અપર્યાપ્ત વિલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય કે અપર્યાપ્ત મનુષ્યગતિ ચોગ્ય પચીસ પ્રકૃતિને બંધ કરતાજ નથી, કેમકે અપર્યાપ્ત વિકસેન્દ્રિયાદિમાં તેઓ ઉત્પન્ન થતા નથી. સામાન્યથી પચીસ અને છવ્વીસના બંધે નવ ઉદયસ્થાને આશ્રયી ચાલીશ-ચાલીશ સત્તાસ્થાનકે થાય છે. '
અઠાવીશ પ્રકૃતિના બંધે આઠ ઉદયસ્થાનકે હેય છે. તે આ પ્રમાણે-૧૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧
અાવીશ પ્રકૃતિઓને બંધ દેવગતિ યોગ્ય અને નરકગતિ એગ્ય એમ બે પ્રકારે છે. અને તેના બંધક સામાન્યથી મનુષ્યો તથા તિર્યંચ છે. તેમાં દેવગતિ ગ્ય અઠાવીશ પ્રકૃતિઓને જ્યારે બંધ થાય ત્યારે ભિન્ન ભિન્ન છની અપેક્ષાએ ઉપરોક્ત આઠે
૧ અપર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય ૨૫ ના બંધે પ્રથમના ચાર ઉદયસ્થાનમાં પણ તેનું સત્તાસ્થાન હોતું નથી, માટે નવેય ઉદયસ્થાનોમાં ૭૮ વિનાનાં ચાર ચાર સત્તાસ્થાને હોય છે, તથા તેઉકાય, વાયુકાય, મનુષ્ય પ્રાગ્ય બંધ કરતા ન હોવાથી વૈક્રિય વાયુકાયના ઉદય ભાંગા પણ હોતા નથી.