Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૦
પંચસંગ્રહ તૃતીયખંડ તેની પછી પછીના કોધાદિકને ઉદય અવશ્ય હોય છે. અનંતાનુબંધી કોધને ઉદય હાય ત્યારે તેના પછીના અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધને ઉદય હેય છે.
એજ પ્રમાણે અનં. વિના ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ક્રોધ વગેરે જેને ઉદય હોય ત્યારે તેના પછીના બે ક્રોધાદિકનો ઉદય પણ અવશ્ય હોય છે એમસર્વત્ર સમજવું.
પહેલા ગુણસ્થાનકે ૨૨ ના બંધે સાતથી દશ પર્યન્ત ચાર ઉદયસ્થાને હોય છે. . ત્યાં અનંતાનુબંધી વિના અપ્રત્યાખ્યાનય વગેરે ત્રણ ક્રોધાદિક, બેમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી એક વેદ અને મિથ્યાત્વ મેહનીય એમ કમમાં કમ સાતને ઉદય હોય છે. આ સાત પ્રકૃતિએ સમાન હોવા છતાં કોઈક જીવને અપ્રત્યા. વગેરે ત્રણ ક્રોધ, કેઈને ત્રણ માન, કેઈને ત્રણ માયા, અને કેઈને ત્રણ લેભને ઉદય હોય છે એમ ચાર પ્રકારના જ પુરુષવેદના ઉદયવાળા હોય છે અને એવા જ બીજા ચાર પ્રકારના છ સ્ત્ર વેદના ઉદયવાળા હોય છે. અને આવા જ બીજા ચાર પ્રકારના નપુંસકવેદના ઉદયવાળા હોય છે.
માટે ચારને ત્રણે ગુણતાં બાર, આ બારે પ્રકારના છેવો હાસ્ય-રતિના ઉદયવાળા હોય અને બીજા કેટલાક આવા જ બાર પ્રકારના છ અરતિ-શેકના ઉદયવાળા હોય. માટે બારને બે એ ગુણતાં આ સાતના ઉદયવાળા કુલ છ વીશ પ્રકારના થાય. અર્થાત ચોવીસ ભાંગા થાય છે, તે વીશ ભાંગાઓના સમૂહને એક વીશી કહેવાય છે. એમ સર્વત્ર સમજવું. માટે સાતના ઉદયની એક એવીશી અર્થાત વીશ ભાંગા થાય છે.
એ સાતના ઉદયમાં અનંતાનુબંધી અથવા ભય અથવા જુગુપ્સા આ ત્રણમાંથી કેઈપણ એક પ્રકૃતિને ઉદય થાય. ત્યારે ત્રણ પ્રકારે આઠને ઉદય થાય અને એક પ્રકારના આઠના ઉદયમાં ઉપર બતાવ્યા મુજબ એકેક ચોવીસી ભાંગા થાય છે. માટે આઠના ઉદયની ત્રણ વીશી, એટલે ભાંગા ૭૨ થાય.
એજ પ્રમાણે પહેલાં બતાવેલ સાતમાં અનં. ભય, અનં--જુગુપ્સા અથવા ભયજુગુપ્સા એમ બે-બે પ્રકૃતિઓને અધિક ઉદય થવાથી નવને ઉદય થાય. તે પણ ત્રણ પ્રકારે હેવાથી કુલ ત્રણ વીસી એટલે ભાંગા ૭૨ થાય છે.
અને તે જ સાતમાં અન., ભય, જુગુ એ ત્રણેને ઉદય એક સાથે થાય ત્યારે વધુમાં વધુ દશને ઉદય થાય છે. અહીં એક જ વિકલ્પ હોવાથી એક ચોવીસી એટલે ચેવિસ ભાંગા થાય છે, એમ પહેલા ગુણસ્થાનકે સાતની એક, આઠની ત્રણ, નવની ત્રણ, દશની એક એમ સર્વ મળી આઠ જેવીસી અને તેના ભાંગા ૧૯૨ થાય છે.
સાસ્વાદન ગુણસ્થાનકે ૨૧ને બંધ હોય છે. અને ત્યાં સાત થી નવ પર્યત ત્રણ ઉદયસ્થાન હોય છે. અનં. ચાર ક્રોધાદિ, એક યુગલ અને એક વેદ-એમ કમમાં કમ આ