Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તૃતીયખંડ સુધીના આત્માએ માત્ર મનુષ્ય અને તિર્યંચગતિ યોગ્ય જ બંધ કરતા હોવાથી ઉપરોક્ત બંધસ્થાનકેમાંથી દેવગતિયેગ્ય ઓગણત્રી અને ત્રીશ તેમજ મનુષ્યગતિગ્ય તીર્થંકરનામ સહિત ત્રીશનું બંધસ્થાન અને તેને ભાંગાઓ વર્જિને શેય મનુષ્ય-તિર્યંચગતિ એગ્ય સઘળા ઉપરનાં બંધસ્થાનકોને અને તે બંધસ્થાનકના થતા ભાંગાઓને બંધ કરે છે. તેનું વિવેચન પહેલાં કરી ગયા છે, માટે ત્યાંથી જોઈ લેવું.
તથા પંચેન્દ્રિય માણા એ આ બંધસ્થાનકે હોય છે. તે આ પ્રમાણે-૨૩-૨૫ –૨૬-૨૮-૨૯-૩૦–૩–૧. પંચેન્દ્રિયમાં ચારે ગતિના જીવેને સમાવેશ થાય છે, અને તેઓ યોગ્યતા પ્રમાણે ઉપરના બંધસ્થાનકે બાંધે છે, એટલે સર્વ ગતિગ્ય એ સઘળા બંધસ્થાનકો અને તેના ભાંગાએ પૂર્વે જે પ્રમાણે કહી ગયા છે તે પ્રમાણે બરાબર અહિં પંચેન્દ્રિય માર્ગણામાં કહી જવા.
. હવે ઈન્દ્રિય-માર્ગણામાં ઉદયસ્થાનકે કહે છે–એકેન્દ્રિય, વિલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં અનુક્રમે પાંચ, છ અને અગીઆર ઉદયસ્થાનકે હેાય છે. તેમાં એકેન્દ્રિયેને પાંચ ઉદયસ્થાનકે આ પ્રમાણે છે -૨૧-૨૪ ૨૫-૨૬-૨૭ આ સઘળા ઉદયસ્થાનકે પહેલાં કહી ગયા છે, તે પ્રમાણે કહેવાં. વિકલેન્દ્રિને ૨૧-૨૬-૨૮ ૨૯-૩૦-૩૧. એ પ્રમાણે છ ઉદયસ્થાનકે હોય છે. આ ઉદયસ્થાનકોને પણ પહેલાંની જેમ કહેવાં.
પંચેન્દ્રિયેને ૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૮-૯ એ પ્રમાણે અગીઆર ઉદયસ્થાનક હોય છે. જેવીસનું ઉદયસ્થાનક માત્ર એકેન્દ્રિયમાં જ હોય છે, એટલે તેને વર્યું છે. મનુષ્યાદિ ભિન્નભિન્ન ગતિમાં પહેલાં જે પ્રમાણે ઉદયસ્થાનકે કહી ગયા છે, તે પ્રમાણે તે સઘળાં અહિં કહી જવાનાં છે. ઉદયસ્થાનકો અને તેના કુલ ભાંગામાંથી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સંબંધી ઉદયસ્થાનકે અને તેના ભાંગાએ વજિને શેષ સઘળા ઉદયસ્થાનકો અને ભાંગાઓ પંચેન્દ્રિયમાં સંભવે છે.
હવે સત્તાસ્થાનકેને વિચાર કરે છે -એકેનિદ્રય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં અનુક્રમે પાંચ, પાંચ અને બાર સત્તાસ્થાનકે હોય છે, તેમાં એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયેને આ પ્રમાણે હોય છે, ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ તથા પંચેન્દ્રિમાં ત્રાણું આદિ બારે સત્તાસ્થાનકે હોય છે, અને તેને પૂર્વે કહ્યાં તે પ્રમાણે કહેવાનાં છે. ૧૩૦
હવે જીવસ્થાનકોમાં બંધ, ઉદય અને સત્તાસ્થાનકોને પ્રતિપાદન કરવા ઈચ્છતા પહેલાં નાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનાં બંધાદિ સ્થાનિકોનું પ્રતિપાદન કરે છે–
नाणंतरायदंसण बंधोदयसंत भंग जे पिच्छे । .. ते तेरसठाणेसुं सण्णिम्मि गुणासिया सव्वे ॥१३१॥