Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાવાદ ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થાય છે. એટલે તે મેળવતાં પણ અાશને ઉદય થાય છે. અહિં પણ એકજ ભંગ થાય છે. કુલ અવીશના ઉદયે બે ભંગ થાય છે.
ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસના ઉદયયુક્ત અઠ્ઠાવીશના ઉદયમાં સ્વરને ઉદય મેળવતાં એગણત્રીશનો ઉદય થાય છે. અહિં ભંગ એક જ થાય છે. અથવા પ્રાણુંપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વરને ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થવાથી પણ ઓગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ એક જ ભંગ થાય છે, સઘળા મળી એગણત્રીશના ઉદયના બે વિકલ્પ થાય છે.
ત્યાર બાદ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને સ્વર સહિત એગણત્રીશના ઉદયમાં ઉધોતને ઉદય મેળવતાં ત્રીશને ઉદય થાય છે. ભંગ એકજ થાય છે. સઘળા મળી આહારકશરીરના પાંચ ઉદયસ્થાનના સાત ભંગ થાય છે. ૮૩
આ પ્રમાણે મનુષ્યનાં ઉદયસ્થાનકે કહા, હવે દેવનાં કહે છે— देवाणं सव्वेवि हु ते एव विगलोदया असंघयणा । संघयणुज्जोयविवज्जिया उ ते नारएसु पुणो ॥ ८४ ॥
देवानां सर्वेऽपि हु त एव विकलोदया असंहननाः। આ સંદનનો વિનંતા તે ના જુના ૮૪ |
અર્થ–સંઘયણ વિનાનાં વિકસેન્દ્રિયનાં સઘળાં ઉદયસ્થાનકે દેવને હોય છે, તથા સંઘયણું અને ઉદ્યોતના ઉદય વિનાનાં સઘળાં નારકીઓને હોય છે.
ટકાનુ –વિઠલેન્દ્રિયને એકવીશ આદિ જે છ ઉદયસ્થાનકે પહેલાં કહી ગયા છે, તેજ સઘળાં ઉદયસ્થાનકે સંઘયણના ઉદય વિનાના દેને હોય છે. દેવેને હાડકાં નહિ હેવાથી સંઘયણને ઉદય હોતું નથી. માત્ર દેવગતિ આશ્રયી વિકસેન્દ્રિયનાં ઉદયસ્થાનકે કહેતાં કેટલીએક પ્રકૃતિએને ફેરફાર સ્વયં કરી લેવું. તેમાં પ્રકૃતિએને ફેરફાર કરતાં એકવીશ પ્રકૃતિએ આ પ્રમાણે થાય છે
દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, રસ, બાદર, પર્યાપ્ત, સુભગ-દુર્ભાગમાંથી એક, અદેય-અનાયમાંથી એક, યશકીર્તિ-અપયશકીર્તાિમાંથી એક, તેજસ, કામણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વર્ણાદિ ચતુષ્ક અને નિર્માણ. એ એકવીશના ઉદયના સુભગ-દુર્ભાગ, આઠેય-અનાદેય અને યશકીર્તિઅપયશકીર્તિ પદના આઠ વિકલ્પ થાય છે. દુર્ભાગ, અનાદેય અને અપયશકીર્તિને ઉદય પિશાચાદિને હોય છે.
૧ સંમૂર્ણિમ મનુષ્યને એકવીસ અને છવ્વીસ બેજ ઉદયસ્થાને હોય છે. તેમાં પરાવર્તમાન સઘળી પ્રકૃતિએ અશુભ હોવાથી અનેક વિકટ થતા નથી પરંતુ એક એક જ ભંગ થાય છે.