________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૩
તે એના જેવું ભૂંડું મેત તે કૂતરાનું પણ ન હોઈ શકે. બસ ગુરુકૃપા ! કેવલ ગુરુકૃપા !
ઓલા એકલવ્યની જેમ ! એકપક્ષી રીતે પણ ગુરુભક્તિ કરી છે તે અજોડ ધનુર્ધારી બની ગયો !
મારે વાસનાવિહેણ બની જવું છે. હું પણ કઈ અપેક્ષા વિના – અખંડ, અવિચલ ગુરુભક્તિ કરીશ. આડે. આવતા અંતરાના ખાડા-ટેકરા પાર ઊતરીશ અને ગુરુકૃપા પામીને જ જંપીશ.
મને ખબર છે કે મારા ગુરુ પ્રશસ્ત રાગી છે. રાગી રીઝે છે ! રીઝેલાની કૃપા ઊતરે જ છે. હવે તે તે ન મળે. તે મારી ભક્તિ કે પાત્રતામાં જ ખામી, સમજવાની છે.
આજથી જ “ગુરુકૃપા હિ કેવલં શિષ્ય પર મંગલં ને જીવંત ધબકાર હૈયે શરૂ કરું છું. પછી વાસના ક્યાં ઊભી રહે છે તે જોઉં છું !