________________
મુનિજીવનની બાળપેથી-૨
१२७
હવે તે ડેલીવાળાનાં ય દુઃખ કાંઈ ઓછાં રહ્યાં નથી. તેમને ત્રાસ ક્યારેક સ્થિરવાસ કરવાની પ્રેરણા આપે તે અસહ્ય બની જતા હોય છે.
સવાલ (૨૯) : મુનિજીવનમાં સ્વાધ્યાયની પ્રધાનતા હોવી જોઈએ કે તપની ?
જવાબ : મુનિજીવન એટલે જ તપમય જીવન.
મહોપાધ્યાયજીએ બત્રીસીમાં કહ્યું છે કે જેમ જેમ સંયમજીવનની આંતરપરિણતિ વિકાસ પામતી જાય તેમ તેમ સહજ રીતે તે આત્મા તેના શરીર સાથે જ વધુ ને વધુ જોરદાર યુદ્ધ કરવા લાગી પડે. દેહ સાથેના ખૂનખાર જંગનું સફળતમ શસ્ત્ર છે : બાહ્ય તપ,
ખાઈ-પીને ખૂબ સ્વાધ્યાય કરે બહુ સહેલ છે. પરંતુ ભણ્યા-ગણ્યા વિના ય ઉગ્ર તપ કરે બહુ મુશ્કેલ છે. દેહાધ્યાસ ઉપર તપ જ સીધે પ્રહાર કરી શકે છે.
પણ છતાં.
કારણવશાત્ જે આત્મા વિશિષ્ટ તપ ન જ કરી શકે તેણે તેના ભારોભાર દુઃખ સાથે સંયમના બીજા યે -સ્વાધ્યાય-માં બરોબર લાગી પડવું જોઈએ. કેમ કે તપની પેઢી ન ચાલી; ફડચામાં ગઈ તે તેની નુકસાની સરભર કરવા માટે બીજી કોઈ–સ્વાધ્યાયાદિની પેઢીધીંગી કમાણ કરતી–ચલાવવી તે જોઈએ જ; નહિ તે બે ય બાજુથી એવી બરબાદી થાય, જે ભરપાઈ થઈ શકે નહિ.
બધી વાતે શૂરા તે બહુ થોડા જ ત્યાગીઓ મળી શકશે.